રાજ્યભરમાં બેવડી ઋતુની અસર, સવારમાં ઠંડી તો બપોરે ગરમી

ગુજરાત રાજ્યમાં હવામાનના બદલાતા મિજાજને કારણે હાલ બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાતા પવનોને કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે, જ્યારે બપોરે પવનોની દિશા બદલાતાં તાપમાનમાં વધારો થતાં ગરમી અનુભવાઈ રહી છે. નલિયામાં રાજ્યનું લઘુતમ તાપમાન કચ્છના નલિયા ખાતે રાજ્યનું સૌથી ઓછું લઘુતમ તાપમાન 11.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેના કારણે સવારના સમયે ઠંડીનું પ્રમાણ વધારે રહ્યું હતું. રાજ્યના અનેક વિસ્તારોમાં સવાર અને સાંજના સમયે હળવી ઠંડી જ્યારે બપોરે ગરમી અનુભવાઈ રહી છે. અમદાવાદ-ગાંધીનગરમાં પણ ઠંડીની અસર મહાનગર અમદાવાદમાં લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 15.5 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર ગુજરાતના ડીસામાં 15 ડિગ્રી તાપમાન સાથે ઠંડીનો અહેસાસ રહ્યો હતો. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન મધ્ય ગુજરાતના વડોદરામાં લઘુતમ તાપમાન 16.4…

અફઘાનિસ્તાનનો પાકિસ્તાની દવાઓની આયાત પર પ્રતિબંધ, ભારત બની શકે કાબુલનો મુખ્ય સપ્લાયર

દક્ષિણ એશિયાના રાજકારણમાં તાજેતરમાં નોંધપાત્ર ફેરફાર નોંધાયો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનથી આવતી તમામ દવાઓની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. આ નિર્ણય સોમવારથી લાગુ થઈ ગયો છે. દવાઓની અછત અફઘાનિસ્તાનની લગભગ 70% દવાઓ પાકિસ્તાન પર આધારિત હતી. આ પ્રતિબંધના કારણે દેશમાં દવાઓની ભારે અછત સર્જાઈ છે. તાલિબાનના નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાની માલ માત્ર જપ્ત નહીં થશે, પરંતુ નાશ પણ કરવામાં આવશે. ગેરકાયદેસર દાણચોરી પર પણ કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. ભારત તરફ વળતી નજર આ અછતને પહોંચી વળવા, તાલિબાનના અધિકારીઓએ તાજેતરમાં ભારતની મુલાકાત લીધી હતી. ભારત પહેલાથી જ અફઘાનિસ્તાનને માનવતાવાદી ધોરણે અનાજ અને તબીબી સહાય મોકલતું રહ્યું છે. હવે ભારત અફઘાનિસ્તાન માટે મુખ્ય ફાર્મા સપ્લાયર બની શકે છે, જે પાકિસ્તાનના…

દક્ષિણ કોરિયામાં તાલીમ દરમિયાન AH-1S ‘કોબ્રા’ હેલિકોપ્ટર ક્રેશ, બે સેનાના અધિકારીઓના મોત

દક્ષિણ કોરિયાના ગ્યોંગગી પ્રાંતમાં આજે સૈન્ય દુર્ઘટનાએ હિલ્લા મચાવી દીધું છે. સેનાનું શક્તિશાળી AH-1S કોબ્રા હેલિકોપ્ટર તાલીમ ઉડાન દરમિયાન ગેપ્યોંગ કાઉન્ટીની નદીના કિનારે તૂટી પડ્યું. દુર્ભાગ્યવશ, હેલિકોપ્ટરમાં સવાર બંને જુનિયર વોરંટ ઓફિસરોનું સ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. અકસ્માતની વિગતો હેલિકોપ્ટર સેનાના 15મા એવિએશન ગ્રુપનું હતું. ઉડાન શરૂ થયા પછી જ તે બેઝથી માત્ર 800 મીટરના અંતરે ક્રેશ થયું. અકસ્માતમાં કોઈ વિસ્ફોટ કે આગ લાગ્યાનું અહેવાલ નથી, પરંતુ હેલિકોપ્ટરના ફુરચા ઉડી ગયા હતા. બંને ગંભીર રીતે ઘાયલ અધિકારીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો. સેનાના પગલાં દુર્ઘટનાના પગલે, દક્ષિણ કોરિયાની સેના દ્વારા તમામ કોબ્રા હેલિકોપ્ટરોનું ઓપરેશન તાત્કાલિક સ્થગિત કરવામાં આવ્યું છે. સેનામાં શોકની લહેર દોડી ગઈ છે અને દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ…

ભૂમધ્ય સમુદ્ર બન્યો ‘મોતનું સરનામું’: લીબિયાના કિનારે હોડી પલટી, 53 ના જીવન સમુદ્રમાં દફન

યુરોપમાં સારી જીવનની શોધમાં નીકળેલી હોડીમાં 53 પરપ્રાંતિય શ્રમિકોનું ભૂમધ્ય સમુદ્રમાં કરુણ મોત નીપજ્યું છે. ઉત્તર આફ્રિકા દેશ લીબિયાના દરિયાકાંઠેથી યુરોપ પહોંચવાના પ્રયાસમાં નીકળેલી હોડી તોફાની મોજાઓ સામે હાર માની ગઈ અને પલટી ગઈ, જેના કારણે ડઝનો લોકોના સપનાઓ મોજામાં વિખરી ગયા. માનવ તસ્કરીનો ભયાનક માહોલ પ્રાપ્ત અહેવાલો મુજબ, માનવ તસ્કરોએ ક્ષમતા કરતા વધુ લોકોને નાનકડી રબર બોટમાં ભરી, સલામતી સાધનો કે લાઈફ જેકેટ વગર દરિયામાં છોડ્યાં હતા. મોજાઓના અથડામણ અથવા એન્જિન ફેઈલ થવાને કારણે બોટ પલટી ગઈ. મૃતકોમાં અનેક મહિલાઓ અને બાળકો શામેલ છે, જે ગરીબી અને અંધાધૂંધી જીવનથી બચવા યુરોપમાં આશરો મેળવવા નીકળ્યા હતા. “તરતા કબ્રસ્તાન” સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંગઠન (IOM)ના મતે, ભૂમધ્ય સમુદ્રનો આ પટ્ટો હવે ‘તરતા કબ્રસ્તાન’ તરીકે ઓળખાય છે.…

સુરક્ષિત ગુજરાત તરફ વધુ એક પગલું: ATSના નવા બિલ્ડિંગ સહિત ₹202 કરોડના પોલીસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત

ગુજરાત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાના સંકલ્પ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે અમદાવાદમાં વિવિધ પોલીસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 202.85 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા વિવિધ મહત્વના પ્રકલ્પોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના છારોડી ખાતે 47.98 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક ATS બિલ્ડિંગ, બોડકદેવ ખાતે 33.49 કરોડના ખર્ચે બનનાર અર્બન પોલીસ સ્ટેશન, અમરાઈવાડી પોલીસ લાઈન ખાતે 74.62 કરોડના ખર્ચે પોલીસ આવાસ અને PSI ક્વાર્ટર્સ, કાગડાપીઠ ખાતે 39.68 કરોડના ખર્ચે પોલીસ આવાસ તેમજ સૈજપુર બોઘા ખાતે 5.74 કરોડના ખર્ચે ડૉગ કેનાલ તથા ટ્રેનિંગ ઓફિસ અને 1.34 કરોડના ખર્ચે SRP ગ્રુપ-2 ના બંગલાના કામોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકલ્પો સુવિધા સભર હશે જે પોલીસ પરિવારના જીવનધોરણમાં…

ગુજરાતમાં 20 એપ્રિલથી વસતિ ગણતરીની હાઉસલિસ્ટિંગ પ્રક્રિયા શરૂ, 33 સવાલો દ્વારા માહિતી એકત્રિત થશે

દેશભરમાં યોજાનારી વસતિ ગણતરી–2027 માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, સમગ્ર દેશમાં 1 એપ્રિલ 2026થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન હાઉસલિસ્ટિંગ કામગીરી હાથ ધરવામાં આવશે. ગુજરાત માટે વિશેષ સમયગાળો ગુજરાત રાજ્યમાં હાઉસલિસ્ટિંગ ઓપરેશન માટે અલગ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. રાજ્યમાં 20 એપ્રિલ 2026થી 19 મે 2026 સુધી આ પ્રક્રિયા અમલમાં રહેશે. આ દરમિયાન દરેક મકાન, રહેણાંક એકમ અને ઘરો અંગેની વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવશે. હાઉસલિસ્ટિંગ દરમિયાન કુલ 33 સવાલો પૂછવામાં આવશે. નાગરિકોને સ્વ-ગણતરીની સુવિધા હાઉસ ટુ હાઉસ ગણતરી શરૂ થાય તે પહેલાં **15 દિવસ માટે Self Enumeration (સ્વ-ગણતરી)**ની સુવિધા આપવામાં આવશે. આ પ્રક્રિયામાં નાગરિકો પોતાની માહિતી જાતે જ નોંધાવી શકશે. આ અંગેની સત્તાવાર સૂચના ગુજરાત…

T-20 વર્લ્ડ કપમાં ભારત સામે રમશે પાકિસ્તાન, ICCએ માંગણીઓ સ્વીકારવાનો કર્યો ઇનકાર

ભારત-પાકિસ્તાન વચ્ચેની T-20 વર્લ્ડ કપ 2026ની મેચને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ICCના નિર્ણય મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડ કપમાં મેચ રમાશે, જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ દ્વારા રજૂ કરાયેલી અનેક માંગણીઓને ફગાવી દેવામાં આવી છે. બાંગ્લાદેશને કોઈ દંડ નહીં ICCએ સ્પષ્ટ કર્યું છે કે આ સમગ્ર મામલે બાંગ્લાદેશને કોઈપણ પ્રકારનો દંડ કરવામાં આવશે નહીં. ભલે બાંગ્લાદેશ વર્તમાન વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હોય, તેમ છતાં તેને ICCની આવકમાંથી મળતો હિસ્સો યથાવત રાખવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિર્ણય ICCએ સ્વતંત્ર રીતે લીધો છે અને તેમાં કોઈપણ ક્રિકેટ બોર્ડનું દબાણ નથી. પાકિસ્તાનને વધુ એક ફટકો ભારત-પાકિસ્તાન મેચને લઈને પાકિસ્તાનને ICC તરફથી વધુ એક મોટો ઝટકો…

રાશિફળ/10 ફેબ્રુઆરી 2026: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ નિરાશાવાદી અભિગમ ટાળવો જોઈએ કારણ કે તે તમારી શક્યતાઓને ન માત્ર ન્યૂનતમ કરશે બલ્કે તમારા શરીરની સંવાદિતામાં પણ ખલેલ પહોંચાડશે. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. આજે કોઈક તમારા વખાણ કરશે. આ રાશિ ના એ લોકો જે રચનાત્મક કાર્ય સાથે સંકળાયેલા છે તે લોકો ને આજે મુશ્કેલીઓ નો…

અંક જ્યોતિષ/10 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

ગ્લુકોમા | Glaucoma | GUJARATI NEWS BULETIN

ગ્લુકોમાએ આંખની એક ગંભીર બીમારી આંખનું દબાણ અને ઓપ્ટિક નર્વનું નુકસાન સમયે પગલાં લીધા વિના આંખની દ્રષ્ટિ ગુમાવી શકાય ગ્લુકોમામાં દવાઓ, લેસર અને સર્જરીના વિકલ્પ 40+ વયના લોકોને નિયમિત આંખ ચેકઅપ ફરજિયાત વારસાગત જોખમ ધરાવતાં દર્દીઓ માટે વિશેષ ધ્યાન આંખમાં નુકસાન પહેલાં લક્ષણો ઓળખો વારસાગત અને જોખમગ્રસ્ત દર્દીઓ માટે તકેદારી નિયમિત આંખ ચેકઅપ જરૂરી જીવનશૈલી ફેરફારોથી જોખમ ઘટાડો આંખની સલામતી માટે ઝડપી પગલાં મહત્વપૂર્ણ સમયસર સારવારથી દ્રષ્ટિ બચાવો જાગૃત રહો આંખને સુરક્ષિત રાખો   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in