જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથ પર હુમલો કર્યો છે. આ ઘટના પહેલગામના બૈસરાના વિસ્તારમાં બની હતી, જ્યાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. હુમલા પછીની પરિસ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ટોચના સેના અને ગુપ્તચર અધિકારીઓ બેઠકમાં હાજરી આપશે. ગૃહમંત્રી પણ કાશ્મીરની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે: – હુમલામાં અત્યાર સુધીમાં 12 પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને એક પ્રવાસીનું મોત થયું હોવાના અહેવાલ છે. બધા ઘાયલોને અનંતનાગની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. બેઠક પછી, ગૃહમંત્રી અમિત શાહ પણ કાશ્મીરની…







