અંક જ્યોતિષ/15 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
રાશિફળ/15 મે 2025: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા લાભની સંભાવના; જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારૂં સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી સક્યતા છે. ઑફિસમાં આજે તમારા અભિગમ તથા કામની ગુણવત્તામાં સુધારાનો…
પંચાંગ :15 મે 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી તૃતીયા (ત્રીજ) +04:05 AM નક્ષત્ર જ્યેષ્ઠા 02:08 PM કરણ : વાણિજ 03:21 PM વિષ્ટિ ભદ્ર 03:21 PM પક્ષ કૃષ્ણ યોગ શિવ 07:00 AM દિવસ ગુરુવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:30 AM ચંદ્રોદય 09:47 PM ચંદ્ર રાશિ વૃશ્ચિક સૂર્યાસ્ત 07:04 PM ચંદ્રાસ્ત 06:57 AM ઋતું ગ્રીષ્મ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5127 દિન…
સુરેન્દ્રનગર: DGPએ લીંબડી પોલીસ સ્ટેશનના 5 પોલીસકર્મીઓ સામે લીધા તાત્કાલિક પગલાં
ગુજરાત પોલીસના શિસ્ત અને કાયદાનું પાલન કરાવવાના ધોરણ સામે આજે મોટો સવાલ ઉભો થયો છે. લીંબડી પોલીસ સ્ટેશનના પાંચ પોલીસકર્મીઓને ગુનેગારો અને જુગારના આરોપીઓ સાથે સાંઠગાંઠ રાખવાના ગંભીર આક્ષેપો સામે તપાસ બાદ બરતરફ કરવામાં આવ્યા છે. આ નિર્ણય ગુજરાત રાજ્યના DGPની સીધી સુચના પરથી લેવામાં આવ્યો છે. જુગારના માફિયાઓ સાથે હતી સાંઠગાંઠ તપાસમાં ખુલ્યું હતું કે, લીંબડીના કેટલાક પોલીસ કર્મીઓ જુગારના આરોપી નવદીપ સિંહ અને તનવીર સિંહ જેવા અસામાજિક તત્વો સાથે સંપર્કમાં હતા અને સંરક્ષણ આપતા હતા. આ સંબંધો પોલીસની નૈતિકતા અને શિસ્તના ઘોર ઉલ્લંઘન સમાન ગણાયા છે. બરતરફ કરાયેલા પોલીસકર્મીઓના નામ: – પો.કો. વિજયસિંહ દિલીપસિંહ ઝાલા (ડ્રાયવર) – પો.કો. અજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ડ્રાયવર) – આર્મડ પો.કો. મયુરધ્વજસિંહ નરવીરસિંહ ઝાલા – અ.હે.કો. દિગપાલસિંહ લાલુભા સરવૈયા –…
અમિત શાહ ઓપરેશન સિંદુર બાદ આવશે ગુજરાત પ્રવાસે: જાણો બે દિવસના કાર્યક્રમની વિગત
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ઓપરેશન સિંદુરની સફળતા બાદ પહેલીવાર ગુજરાતના બે દિવસી પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ સહકાર ક્ષેત્રના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે અને મહિલાઓના આર્થિક સશક્તિકરણથી લઈને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રના વિકાસકરતાં કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રથમ દિવસ – 6 જુલાઈ 2025 – 102મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી સ્થળ: મહાત્મા મંદિર, ગાંધીનગર સમયે: સવારે 10:00 કલાકે કાર્યક્રમમાં દેશભરના સહકારી સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહેશે. – દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે બેઠક – બનાસકાંઠા સ્થળ: ચાંગડા ગામ સમયે: બપોરે 2:00 કલાકે શૂન્ય ટકાવારી વ્યાજના RuPay કાર્ડનું વિતરણ કરવામાં આવશે. સહકારી પાયલોટ પ્રોજેક્ટની મુલાકાત પણ થશે. – પંચામૃત ડેરી મુલાકાત અને બેઠક – ગોધરા સ્થળ: મહુલિયા ગામ સમયે: સાંજે 5:00 કલાકે રાજ્યની જિલ્લા…
નક્સલવાદ વિરુદ્ધ થયેલી મોટી કાર્યવાહી પર PM મોદીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું…?
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના કરેગુટ્ટા ટેકરી વિસ્તારમાં 21 દિવસ સુધી ચાલેલા સંયુક્ત ઓપરેશનમાં સુરક્ષા દળોએ 31 કુખ્યાત નક્સલીઓને ઠાર માર્યા હતા. આ નક્સલીઓમાં 17 મહિલા અને 14 પુરુષનો સમાવેશ થાય છે. આ અભૂતપૂર્વ સફળતાથી સમગ્ર દેશમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નક્સલવાદ વિરુદ્ધના આ સફળ ઓપરેશન અંગે ખુશી વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતું કે, “આ ઓપરેશન સાબિત કરે છે કે નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખવાનું ભારતનું અભિયાન યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે.” તેમણે ઉમેર્યું કે સરકાર નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા અને તે વિસ્તારોને વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઓપરેશન અંગે ટ્વીટ કરીને સુરક્ષા દળોને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું, “નક્સલ મુક્ત ભારતના સંકલ્પમાં…
આ 5 ખાદ્યપદાર્થો દરરોજ ખાલી પેટે ખાવાથી તમારું આરોગ્ય રહેશે ફિટ અને ફાઇન
આજની ઝડપી જિંદગીમાં તંદુરસ્ત રહેવું હવે ચોકસાઈથી પસંદ કરેલી આદતો પર નિર્ભર છે. જો તમે દરરોજની શરૂઆત યોગ્ય ખાદ્યપદાર્થોથી કરો, તો શરીર પણ તમારું સાથ નિભાવશે. ચાલો જાણીએ એવી 5 વસ્તુઓ વિશે જે દરરોજ ખાલી પેટે ખાવાથી આરોગ્યમાં ચમત્કારિક ફેરફાર આવી શકે છે: 1. ગરમ પાણીમાં લિંબુ અને મધ:- રોજ સવારે ખાલી પેટે લિંબુ અને મધ મિશ્રિત ગરમ પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે, ચરબી ઓગળે છે અને પાચન તંત્ર સક્રિય બને છે. 2. પલાળેલા બદામ:- બદામમાં વિટામિન E, મેંગ્નેશિયમ અને હેલ્ધી ફેટ હોય છે. ખાલી પેટે પલાળેલા બદામ ખાવાથી સ્મૃતિ શક્તિ અને ત્વચાની ગુણવત્તા સુધરે છે. 3. તાજું આમળું કે આમળાનું જ્યુસ:- આમળા એ એક શક્તિશાળી ઔષધીય ફળ છે. તેમાં વિટામિન C હોય છે જે…
ન્યાયાધીશ બી.આર. ગવઈના મહત્વના પાંચ ચુકાદાઓ: નોટબંધીથી લઈને બુલડોઝર ન્યાય સુધી
ભારતના 52મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધેલા જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈનું ન્યાયક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન રહ્યું છે. તેમણે ઘણી બંધારણીય બેન્ચનો ભાગ બનીને ઐતિહાસિક ચુકાદાઓ આપ્યા છે, જેમની સીધી અસર દેશના નાગરિક જીવન અને રાજકીય વ્યવસ્થા પર પડી છે. નોટબંધીને કાયદેસર ઠેરવ્યો 8 નવેમ્બર 2016ના રોજ ભારત સરકારે ચલણ રદ કરવાની નોટબંધી જાહેર કરી હતી. આ નિર્ણય સામે 50થી વધુ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ થઇ હતી. બંધારણીય બેન્ચે ચાર વિરુદ્ધ એકના બહુમતીથી નોટબંધીને યોગ્ય ઠેરવી. જસ્ટિસ ગવઈએ પોતાના નિર્ણયમાં જણાવ્યું કે નોટબંધી રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકાર વચ્ચે સંમતિથી લેવાયેલો નિર્ણય હતો, તેથી તે કાયદેસર છે. કલમ 370ને રદ્દ કરવાનો નિર્ણય 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરી. આ નિર્ણય સામે દાખલ અરજીઓ…
















