અમિત શાહ ઓપરેશન સિંદુર બાદ આવશે ગુજરાત પ્રવાસે: જાણો બે દિવસના કાર્યક્રમની વિગત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ઓપરેશન સિંદુરની સફળતા બાદ પહેલીવાર ગુજરાતના બે દિવસી પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ સહકાર ક્ષેત્રના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે અને મહિલાઓના આર્થિક સશક્તિકરણથી લઈને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રના વિકાસકરતાં કાર્યક્રમોમાં ભાગ લેશે.

પ્રથમ દિવસ – 6 જુલાઈ 2025
– 102મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી
સ્થળ: મહાત્મા મંદિર, ગાંધીનગર
સમયે: સવારે 10:00 કલાકે
કાર્યક્રમમાં દેશભરના સહકારી સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહેશે.

– દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે બેઠક – બનાસકાંઠા
સ્થળ: ચાંગડા ગામ
સમયે: બપોરે 2:00 કલાકે
શૂન્ય ટકાવારી વ્યાજના RuPay કાર્ડનું વિતરણ કરવામાં આવશે.
સહકારી પાયલોટ પ્રોજેક્ટની મુલાકાત પણ થશે.

– પંચામૃત ડેરી મુલાકાત અને બેઠક – ગોધરા
સ્થળ: મહુલિયા ગામ
સમયે: સાંજે 5:00 કલાકે
રાજ્યની જિલ્લા સહકારી બેંકો અને ડેરીના ચેરમેન સાથે મટિંગ.

બીજો દિવસ – 7 જુલાઈ 2025
– જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ભાગ
સ્થળ: અમદાવાદ
સમયે: સવારે 4:00 કલાકે

– SLIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન
સ્થળ: નારણપુરા, અમદાવાદ
સમયે: સવારે 10:30 કલાકે

– વિદ્યાર્થી ભવન ઉદ્ઘાટન કાર્યક્રમ
સ્થળ: આંબાવાડી, અમદાવાદ
સમયે: સવારે 11:00 કલાકે

અમિત શાહનો આ પ્રવાસ માત્ર ઔપચારિક નહી પરંતુ વિકાસના નવા માપદંડ ઊભા કરવાના ઉદ્દેશ સાથે છે. ખાસ કરીને શૂન્ય ટકાવારી વ્યાજના RuPay કાર્ડ, સહકારી પાયલોટ પ્રોજેક્ટ્સ, અને આધુનિક હોસ્પિટલ તેમજ શૈક્ષણિક સંસ્થાઓના ઉદ્ઘાટનો એવાં પગલાં છે, જે ગ્રામિણ અને નગર વિસ્તારોના વિકાસ માટે મહત્વના સાબિત થશે.

Related Posts

સંસદમાં હોબાળા વચ્ચે સરકારે પસાર કર્યા અનેક મહત્વપૂર્ણ બિલ, FCRA સુધારા વિધેયક પર સૌની નજર

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સતત હોબાળા અને વિરોધ વચ્ચે પણ કેન્દ્ર સરકાર પોતાના વિધાયી એજન્ડાને ઝડપથી આગળ ધપાવી રહી છે. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના વિરોધ છતાં સરકારે અત્યાર સુધી અનેક મહત્વપૂર્ણ વિધેયકો પસાર કરાવવામાં સફળતા મેળવી છે. નોંધનીય છે કે આમાંથી મોટાભાગના વિધેયકો પર વિસ્તૃત ચર્ચા થઈ શકી નથી અને ગૃહમાં હંગામા વચ્ચે જ તેમને મંજૂરી આપવામાં આવી છે. હવે સરકારનું આગામી લક્ષ્ય વિદેશી ફાળો નિયમન કાયદા (FCRA)માં સુધારા માટેનું વિધેયક માનવામાં આવી રહ્યું છે. સતત હોબાળાથી પ્રભાવિત થઈ રહી છે સંસદની કાર્યવાહી ચોમાસુ સત્રના શરૂઆતના દિવસથી જ સંસદના બંને ગૃહોમાં વિપક્ષ વિવિધ મુદ્દાઓને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવી રહ્યો છે. વિપક્ષ દ્વારા સતત વિરોધ અને સૂત્રોચ્ચાર થતાં પ્રશ્નકાળ તથા શૂન્યકાળની કાર્યવાહી વારંવાર ખોરવાઈ રહી…

ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, 23 ઓગસ્ટે યોજાશે પરીક્ષા

ગુજરાત પોલીસમાં નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. બોર્ડની જાહેરાત મુજબ આગામી 23 ઓગસ્ટે અમદાવાદ ખાતે લેખિત પરીક્ષા યોજાશે. પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારો માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા પણ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો 17 ઓગસ્ટના બપોરે 2 વાગ્યાથી ગુજરાત સરકારની OJAS વેબસાઇટ પરથી પોતાનું કોલ લેટર મેળવી શકશે. ગુજરાતમાં ઉમેદવારો માટે મહત્વપૂર્ણ તારીખો જાહેર ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પરીક્ષાની તારીખ સાથે ઉમેદવારો માટે જરૂરી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. જે ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં સામેલ છે તેમણે સમયસર કોલ લેટર ડાઉનલોડ કરીને તેમાં આપવામાં આવેલી તમામ વિગતો ચકાસી લેવી પડશે. કોલ લેટરમાં પરીક્ષા કેન્દ્ર, સમય,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *