અમિત શાહ ઓપરેશન સિંદુર બાદ આવશે ગુજરાત પ્રવાસે: જાણો બે દિવસના કાર્યક્રમની વિગત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ઓપરેશન સિંદુરની સફળતા બાદ પહેલીવાર ગુજરાતના બે દિવસી પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ સહકાર ક્ષેત્રના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે અને મહિલાઓના આર્થિક સશક્તિકરણથી લઈને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રના વિકાસકરતાં કાર્યક્રમોમાં ભાગ લેશે.

પ્રથમ દિવસ – 6 જુલાઈ 2025
– 102મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી
સ્થળ: મહાત્મા મંદિર, ગાંધીનગર
સમયે: સવારે 10:00 કલાકે
કાર્યક્રમમાં દેશભરના સહકારી સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહેશે.

– દૂધ ઉત્પાદક મહિલાઓ સાથે બેઠક – બનાસકાંઠા
સ્થળ: ચાંગડા ગામ
સમયે: બપોરે 2:00 કલાકે
શૂન્ય ટકાવારી વ્યાજના RuPay કાર્ડનું વિતરણ કરવામાં આવશે.
સહકારી પાયલોટ પ્રોજેક્ટની મુલાકાત પણ થશે.

– પંચામૃત ડેરી મુલાકાત અને બેઠક – ગોધરા
સ્થળ: મહુલિયા ગામ
સમયે: સાંજે 5:00 કલાકે
રાજ્યની જિલ્લા સહકારી બેંકો અને ડેરીના ચેરમેન સાથે મટિંગ.

બીજો દિવસ – 7 જુલાઈ 2025
– જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ભાગ
સ્થળ: અમદાવાદ
સમયે: સવારે 4:00 કલાકે

– SLIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન
સ્થળ: નારણપુરા, અમદાવાદ
સમયે: સવારે 10:30 કલાકે

– વિદ્યાર્થી ભવન ઉદ્ઘાટન કાર્યક્રમ
સ્થળ: આંબાવાડી, અમદાવાદ
સમયે: સવારે 11:00 કલાકે

અમિત શાહનો આ પ્રવાસ માત્ર ઔપચારિક નહી પરંતુ વિકાસના નવા માપદંડ ઊભા કરવાના ઉદ્દેશ સાથે છે. ખાસ કરીને શૂન્ય ટકાવારી વ્યાજના RuPay કાર્ડ, સહકારી પાયલોટ પ્રોજેક્ટ્સ, અને આધુનિક હોસ્પિટલ તેમજ શૈક્ષણિક સંસ્થાઓના ઉદ્ઘાટનો એવાં પગલાં છે, જે ગ્રામિણ અને નગર વિસ્તારોના વિકાસ માટે મહત્વના સાબિત થશે.

Related Posts

Ambaji ભાદરવી પૂનમ મેળો 2026: પદયાત્રીઓની સુવિધા માટે તંત્ર સજ્જ; ભોજનશાળા, વિશ્રામ ગૃહો અને પાર્કિંગ ઝોન કાર્યરત…

B India બનાસકાંઠા : ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ Ambajiમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મહામેળો ભક્તિ અને આસ્થાના માહોલ વચ્ચે યોજાવા જઈ રહ્યો છે. 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનારા આ મહામેળામાં ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ Ambaji પહોંચે તેવી શક્યતા છે. મોટી સંખ્યામાં પગપાળા સંઘો અને યાત્રાળુઓ આવવાના હોવાથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 38 પાર્કિંગ વિસ્તારોમાં વાહનોની વ્યવસ્થા Ambaji ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજીમાં સૌથી મોટો પડકાર ટ્રાફિક અને પાર્કિંગનો રહે છે. મોટી સંખ્યામાં કાર, બસ, ખાનગી વાહનો અને યાત્રાળુઓના વાહનો Ambaji તરફ આવતા હોવાથી મુખ્ય યાત્રાધામ વિસ્તારમાં વાહનોની ભીડ ન વધે તે માટે અલગ-અલગ…

IIT-Bombay વિદ્યાર્થી આત્મહત્યા મામલો: ડાયરેક્ટરના રાજીનામા અને માનસિક સ્વાસ્થ્ય સુરક્ષાની માંગ સાથે ઉગ્ર વિરોધ

મુંબઈ : IIT-બોમ્બેમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુ બાદ કેમ્પસમાં ભારે વિરોધ શરૂ થયો છે. 18 સપ્ટેમ્બર 2026ના રોજ બનેલી આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓએ સંસ્થાના વહીવટીતંત્રની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ ઘટનાની સ્વતંત્ર અને પારદર્શક તપાસ, સંસ્થાના ડાયરેક્ટરના રાજીનામા, વિદ્યાર્થીઓને નીતિ-નિર્ણય પ્રક્રિયામાં વધુ પ્રતિનિધિત્વ અને કેમ્પસમાં માનસિક સ્વાસ્થ્યની સુવિધાઓ મજબૂત કરવાની માંગ કરી છે. પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો મામલો IIT-Bombayના સત્તાવાર નિવેદન અનુસાર, વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાયો હતો. સંસ્થાએ જણાવ્યું કે તેણે પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કરીને જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હોવાની બાબત પણ સામે આવી હતી. IIT-Bombayના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ વિદ્યાર્થી વિરુદ્ધ કોઈ ઔપચારિક શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી નહોતી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *