ખેડૂતો માટે રાહતના સમાચાર: સરકાર રૂ. 8060 પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવે કરશે કપાસની ખરીદી

ગુજરાતના કપાસ ઉગાડતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં રાજ્યમાં કપાસની ટેકાના ભાવે ખરીદી સુનિશ્ચિત કરવા માટે મહત્વના નિર્ણયો લેવાયા છે. ભારત સરકાર દ્વારા 2025-26 માટે કપાસનો ટેકાનો ભાવ રૂ. 8060 પ્રતિ ક્વિન્ટલ (અથવા રૂ. 1612 પ્રતિ મણ) નક્કી કરવામાં આવ્યો છે. હાલમાં કપાસનો બજાર ભાવ ટેકાના ભાવે કરતાં રૂ. 800 થી 1000 ઓછો છે, જેના પગલે મોટી સંખ્યામાં ખેડૂતો ટેકાના ભાવે કપાસ વેચવા ઇચ્છુક છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના સૂચનો: – CCI દ્વારા તમામ પાત્ર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી સુનિશ્ચિત કરવી. – જ્યાં જરૂરી હોય ત્યાં નોંધણીની સમયમર્યાદા લંબાવવા. – ખરીદી કેન્દ્રોની ઉપલબ્ધતા…

રાજ્ય સરકારે કર્મચારીઓને આપી દિપાવલી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.1 જુલાઈ,2025થી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ કર્મયોગી હિતકારી નિર્ણય અંતર્ગત સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવામાં આવેલ છે.આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જુલાઈ 2025 થી 30 સપ્ટેમ્બર 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે. એરિયર્સ પેટે કુલ મળીને રૂ.483.24 કરોડની થશે ચુકવણી આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.69 લાખ કર્મયોગીઓ…

Surendranagar: ઝેઝરી ગામ નજીક કાર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત, 4 મહિલાના મોત એકની હાલત ગંભીર

ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝેઝરી ગામ નજીક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કારમાં સવાર 4 મહિલાઓન ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે એક પુરુષની હાલત ગંભીર છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધામા શક્તિ માતાના દર્શન કરી પરત ફરી રહેલી કાર ભયંકર રીતે ડમ્પર સાથે અથડાઈ હતી. જેમાં અકસ્માતમાં ચાર4 મહિલાઓનું ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે અકસ્માતમાં એક પુરૂષને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિકોએ પોલીસ તેમજ 108ને જાણ કરી હતી. જેને લઈને પોલીસ અને 108નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ દરમિયાન કારમાં સવાર લખતર તાલુકાના ડેરવાળા ગામની ચાર ક્ષત્રિય મહિલાઓના સારવાર મળે એ પહેલા જ…

Ahmedabad : SGVP સંસ્થાન દ્વારા ઉજવાયો શરદોત્સવ, મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ રહ્યા ઉપસ્થિત

અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલ SGVP સંસ્થાન દ્વારા ભવ્ય રીતે આયોજિત શરદોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. SGVP સંસ્થાન ઉજવામાં આવેલ શરદોત્સવ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ તથા રાજ્યના મંત્રીજગદીશભાઈ વિશ્વકર્મા, SGVPના સંત સમુદાયના આગેવાનો, તેમજ ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, કૌશિકભાઈ વેકરીયા સહિત અનેક મહાનુભાવો અને શ્રદ્ધાળુઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.   જોવા મળ્યું સાંસ્કૃતિક સૌહાર્દનું સુંદર દ્રશ્ય શરદોત્સવ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો, ભક્તિ સંગીત અને સંસ્કૃતિક રજૂઆતો દ્વારા સાંસ્કૃતિક સૌહાર્દનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. SGVP સંસ્થાન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમને ભવ્યતા અને આધ્યાત્મિકતા સાથે ઉજવાયો હતો. Follow us On Social…

ઝેરી કફ સીરપ કાંડમાં ગુજરાત કનેક્શન ! સરકાર આવી એક્શનમોડમાં

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ઝેરી કફ સિરપના કારણે 11થી વધુ બાળકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે ગુજરાત સરકાર ઝેરી કફ સિરપ મામલે એક્શન મોડમાં જોવા મળી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ બાળકોના ઉપયોગમાં લેવાતી કેટલીક કફ સિરપ દવાઓ ‘નોટ ઑફ સ્ટાન્ડર્ડ’ (Not of Standard Quality – NSQ) જાહેર કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતમાં પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આવી કફ સિરપ દવાઓ બનાવતી પેઢીઓની સઘન તપાસ કરીને અને રાજ્યવ્યાપી પગલાં લેવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં લાઇસન્સ ધરાવતી કુલ 624 ઓરલ લિક્વિડ દવા બનાવતી કંપની સ્થિત છે. જે તેમના ઉત્પાદનોનો પુરવઠો રાજ્યની અંદરના અધિકૃત વિતરણકારો મારફતે તેમજ રાજ્ય બહારના વિસ્તારોમાં પણ સપ્લાય કરે છે. અહી લેવામાં આવી એક્શન મંત્રી ઋષિકેશ…

કફ સિરપથી બાળકોના મોતનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કરવામાં આવી આ માંગ

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપથી મૃત્યુ પામેલા માસૂમ બાળકોનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સીબીઆઈ તપાસની માંગ કરતી જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. વકીલ વિશાલ તિવારી દ્વારા દાખલ કરાયેલી PILમાં રાષ્ટ્રીય ન્યાયિક આયોગ/નિષ્ણાત સમિતિ દ્વારા તપાસ કરાવવા અને પ્રતિબંધિત કોલ્ડ્રિફ કફ સિરપના તમામ હાલના સ્ટોકને જપ્ત કરવાની માંગ કરવામાં આવી છે. તપાસ મામલે કરી આ માંગ અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે તમામ FIR ની તપાસ CBI દ્વારા કરવામાં આવે. કફ સિરપના ઉત્પાદન, નિયમન, પરીક્ષણ અને વિતરણની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ કરવામાં આવે. બાળકોએ ગુમાવ્યા જીવ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ‘કોલ્ડ્રિફ’ કફ સિરપના સેવનથી બાળકોના મૃત્યુનો સિલસિલો સતત ચાલુ છે. સત્તાવાર આંકડા અનુસાર, બંને રાજ્યોમાં…

ગુજરાત કોંગ્રેસને દિલ્હીનું તેડું, બપોરે 2 કલાકે કોંગ્રેસ ભવન ખાતે યોજાશે બેઠક

ગુજરાત પર એક તરફ કોંગ્રેસનું ફોકસ છે. ત્યારે બીજી તરફ રાહુલ ગાંધી પણ સતત ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન હવે ગુજરાત કોંગ્રેસના નેતાને દિલ્હીથી તેડું આવ્યું છે અને આજે બોપોરે જ ગુજરાત કોંગ્રેસના સિનિયર હોદ્દેદારોની કોંગ્રેસ ભવન ખાતે મિટિંગ યોજાશે. હાલ ગુજરાતમાં કોંગ્રેસ પોતાના સોગઠાં ગોઠવી રહી છે. સંગઠન મજબૂત કરવાના પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ , વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા, ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ વિપક્ષ નેતા તથા ઉપનેતા સહિતના સિનિયર હોદ્દેદારો આજે દિલ્હી પહોંચ્યા છે. આ સાથે આ તમામ નેતાઓ બપોરે 2 કલાકે કોંગ્રેસ ભવન ખાતે બેઠકમાં હાજરી આપશે. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસનો ગ્રાફ એકદમ નીચે જઈ રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું…

વિજય દેવરકોંડાની કાર અકસ્માત બાદ પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું – “માથામાં દુખાવો છે, પણ બિરયાની અને ઊંઘથી ઠીક થઈ જઈશું”

દક્ષિણ ભારતીય ફિલ્મોના લોકપ્રિય અભિનેતા વિજય દેવરકોંડા 6 ઓક્ટોબર, સોમવારે સવારે એક માર્ગ અકસ્માતમાં સપડાયા હતા. ઘટના દરમિયાન તેઓ પોતાના પરિવાર સાથે પુત્તપર્થીથી હૈદરાબાદ પરત ફરી રહ્યા હતા ત્યારે અંડાવલ્લી પાસે નેશનલ હાઈવે-44 પર તેમની કારને એક બોલેરો વાહન દ્વારા પાછળથી ટક્કર મારવામાં આવી હતી. ઘટનાની વિગતો વિજય દેવરકોંડાની લક્ઝરી લેકસસ LM350h કાર તેમના ડ્રાઈવર શ્રીકાંતે ચલાવતી હતી. અચાનક પાછળથી આવેલા બોલેરો વાહનના ધક્કાથી અકસ્માત સર્જાયો હતો. પોલીસ અનુસાર, ધક્કો મારનાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે અને હાલમાં તેની શોધ ચાલી રહી છે. કારમાં વિજય ઉપરાંત તેમના પરિવારજનો પણ હાજર હતા, પરંતુ કોઇને ગંભીર ઇજા થવાની માહિતી નથી. વિજય દેવરકોંડાનું નિવેદન અકસ્માત બાદ વિજય દેવરકોંડાએ સોશિયલ મીડિયા પર ચાહકોને આશ્વસ્ત કરતાં લખ્યું, “બધી બાબત ઠીક…

ફ્રાંસમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ વચ્ચે એફિલ ટાવર બંધ, પ્રવાસીઓ નિરાશ

ફ્રાંસના રાષ્ટ્રવ્યાપી વિરોધ અને હડતાળના માહોલ વચ્ચે, પેરિસના દુનખ્યાત ઐતિહાસિક સ્મારક એફિલ ટાવરને તાત્કાલિક અસરથી મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સરકારની સામાજિક યોજનાઓમાં ખર્ચ ઘટાડા સામે લોકોમાં ઉગ્ર વિરોધ છે અને આંદોલનનો વ્યાપ સમગ્ર દેશમાં ફેલાયો છે. ગુરુવારથી શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શનમાં પેરિસ સહિત 200થી વધુ શહેરોમાં હજારો લોકોએ રસ્તાઓ પર ઉતરીને સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો. એવી સ્થિતિમાં, પ્રવાસીઓની સલામતી અને ટાવર સ્ટાફની હડતાળને કારણે ટાવરની મુલાકાત બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વિરોધના મુખ્ય મુદ્દા: – સામાજિક કલ્યાણ યોજનાઓમાં ઘટાડો ન કરો – તેની જગ્યાએ ઉચ્ચ આવક ધરાવતા વર્ગો પર ટેક્સ વધારો કરો – કર્મચારીઓની પણ માંગ: વધારાની સંખ્યામાં સ્ટાફ અને જાળવણી માટે પૂરતું નાણાંકીય રોકાણ જરૂરી છે એફિલ ટાવર, જે દર…

અમદાવાદ પોલીસમાં મેગા ટ્રાન્સફર, એકસાથે 744 પોલીસકર્મીઓની બદલી

શહેર પોલીસ વિભાગમાં વહીવટી સ્તરે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા એક સાથે 744 પોલીસકર્મીઓની બદલીનો હુકમ જારી કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો હેતુ શહેરની કાયદો-વ્યવસ્થાને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવાનો છે. બદલીમાં કોણ-કોણ સામેલ? જેઓની બદલી કરવામાં આવી છે તેમાં નીચેના દરજ્જાના કર્મચારીઓનો સમાવેશ થાય છે: – પોલીસ કોન્સ્ટેબલ (PC) – હેડ કોન્સ્ટેબલ (HC) – અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) – લોકરક્ષક દળ (LRD) આ તમામ પોલીસકર્મીઓને શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો, શાખાઓ અને વિભાગોમાં બદલી કરીને નિયુક્ત કરવામાં આવ્યા છે. 7 દિવસમાં નવી જગ્યાએ રિપોર્ટ કરવાનું સૂચન બદલી પામેલા કર્મચારીઓને તેમના સંબંધિત અધિકારીઓ દ્વારા સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે તેઓને આદેશ મળ્યા પછી 7 દિવસની અંદર નવી જગ્યાએ હાજર…