મહારાષ્ટ્રમાં 3 નાયબ મુખ્યમંત્રી હશે, અને ત્રીજા ડે.સીએમ એકનાથ શિંદેની શિવસેનામાંથી હશેઃ સંજય રાઉત

શિવસેના યુબીટી સાંસદ સંજય રાઉતે પોતાના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. તેમનું કહેવું છે કે હવે મહારાષ્ટ્રમાં બે નહીં પણ ત્રણ નાયબ મુખ્યમંત્રી હશે. સંજય રાઉતે એવો પણ દાવો કર્યો છે કે નવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાના નેતા હશે. એકનાથ શિંદે પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, “આ લાચાર અને કાયર લોકો છે. તેઓ ED-CBI થી ડરીને ભાગી ગયા હતા. મોદી-શાહ તેમને છોડશે નહીં. આગળ બોલતા તેઓએ કહ્યું કે ટૂંક સમયમાં મહારાષ્ટ્રને એક નવો નાયબ મુખ્યમંત્રી મળશે, અને તે ફક્ત શિંદેના પક્ષમાંથી જ હશે. બસ રાહ જુઓ અને જુઓ શું થાય છે.” -> સંજય રાઉતે કહ્યું- ‘એકનાથ શિંદે કોણ છે? :- 23 જાન્યુઆરી (ગુરુવારે) એકનાથ શિંદેની રેલીમાં સોનુ નિગમનો શો હતો, ત્યારબાદ…

Manoj vs Gambhir: ‘કોઈએ આવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ’, મનોજ તિવારીએ કોચ ગૌતમ પર લગાવ્યા ગંભીર આરોપ

મનોજ તિવારી અને ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીર વચ્ચે બધુ બરાબર નથી. તિવારીએ છેલ્લા કેટલાક દિવસોમાં ગૌતમ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. હવે એક ઈન્ટરવ્યુમાં તેણે ફરીથી ભારતીય કોચને લઈને નિવેદન આપ્યું છે. તિવારીએ ગંભીર પર ‘દુરુપયોગ અને ધમકીઓ’નો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તિવારીએ તેના કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના દિવસોમાં થયેલી ચર્ચાને યાદ કરી. તેણે કહ્યું કે, બંને વચ્ચે લગભગ ટક્કર થઈ ગઈ હતી અને તેઓ લડવાના હતા. તિવારીએ કહ્યું કે, તેમની વચ્ચે લગભગ ઝઘડો થયો હતો, પરંતુ કેકેઆરના તત્કાલિન બોલિંગ કોચ વસીમ અકરમે તેમને રોક્યા હતા. તિવારીએ કહ્યું, ‘જ્યારે કોઈ નવો ખેલાડી ઉભરે છે, ત્યારે તેને અખબારમાં જગ્યા આપવામાં આવે છે. કદાચ આ એક કારણ છે કે, ગંભીર મારાથી ગુસ્સે થયો હતો. જો…

અમદાવાદ: અમિત શાહનાં હસ્તે 3 દિવસીય મિનીકુંભનો પ્રારંભ, ગુજરાતીઓને અપીલ કરતા કહ્યું- ‘ મહાકુંભમાં તો જરૂર જવું જોઈએ’

B INDIA અમદાવાદ : અમદાવાદનાં વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો યોજાયો છે. કેન્દ્રીય ગૃહ અમિત શાહે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય સુરેશ ભૈયાજી જોશી, સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, લીંબડી નિંબાર્ક પીઠના મહામંડલેશ્વર 1008 લલિત કિશોરદાસજી મહારાજ, છારોડી સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી માધવ પ્રિયદાસજી તેમજ વિવિધ સંપ્રદાયના સાધુ સંતો પણ જોડાયા હતા. મહત્વનું છે કે, આજથી શરૂ થયેલા મેળામાં વિભિન્ન સાંસ્કૃતિક, ધાર્મિક અને સર્જનાત્મક વિષયોનું સુંદર સમન્વય કરવામાં આવ્યું છે. 11 કુંડી સમરસતા યજ્ઞશાળા, 11થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન, 15થી વધારે મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ, કુંભ મેળા દર્શન, ગંગા આરતી, આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગ્રામ આદિ મેળામાં ઝાંખી મૂકવામાં આવી છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત…

રણજી ટ્રોફી માટે અર્જુન તેંડુલકર તૈયાર, ધમાકેદાર કરી શકે છે એન્ટ્રી

ક્રિક્રેટના મહાન ખેલાડી સચિન તેંડુલકરના પુત્ર અર્જુન રણજી ટ્રોફીમાં પોતાનુ દમ-ખમ બતાવવા જોવા મળી શકે છે. લાંબા સમયથી અર્જુન તેંડુલકરે કોઇ મોટી ટુર્નામેંટ નથી રમી. પરંતુ હવે તેઓ પોતાના ઉત્કૃષ્ટ દેખાવ માટે તૈયાર છે. રણજી ટ્રોફીમાં ગોવા માટે તેઓ પરત ફરવા તૈયાર છે. ગોવાના ઓલરાઉંડર નાગાલૈંડ વિરુદ્ધ રણજી ટ્રોફીના પ્લેટ ગ્રુપ ફાઇનલમાં રમતા જોવા મળશે. ગોવાના સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફી દરમિયાન અર્જુનને ટીમમાં સ્થાન મળ્યુ ન હતુ. પરંતુ રણજી સીઝનમાં ટીમમાં સૌથી વધુ વિકેટ લેનાર ત્રીજા નંબરના ખેલાડી બન્યા છે. અર્જુન તેંડુલકરે હમણા સુધી 4 મેચમાં 16 વિકેટ ઝડપી છે. ફાઇનલમાં તેઓેએ 20 વિકેટના આંકડા પાર કરે તેવી શક્યતા છે. ગોવા અને નાગાલેંડ વચ્ચે 23થી 27 જાન્યુઆરી સુધી દીમાપુરમાં ક્રિક્રેટ મેચ રમવામાં…

રણજી ટ્રોફીમાં રોહિત શર્માનું નિરાશાજનક પ્રદર્શન, ક્રિકેટ રસિકો થયા નિરાશ

9 વર્ષ બાદ મેદાને ઉતરેલા રોહિત શર્મા પોતાનુ જાદુ બતાવી શક્યા ન હતા. તો સાથે જ યશસ્વી જયસવાલે પણ ચાહક વર્ગને નિરાશ કર્યો હતો. રણજી ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીર અને મુંબઇ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં રોહિત શર્મા અને યશસ્વી જયસવાલ બંને સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યા હતા. આ નિરાશાજનક પ્રદર્શન બાદ ક્રિકેટ રસિકોમાં ઉદાસીનતા જોવા મળી હતી.રોહિત શર્માએ એક દશક બાદ રણજી ટ્રોફીમાં ઘર વાપસી કરી છે. મુંબઇના બીકેસી મેદાનમાં મુંબઇ અને જમ્મુ-કાશ્મીરની ટીમ આમને સામને મુકાબલા માટે આવી હતી. આ રણજી ટ્રોફીમાં દરેકની નજર રોહિત શર્મા અને યશસ્વી જયસવાલ પર હતી. જ્યાં એક તરફ કોલક્તા સામે ધમાકેદાર જીત મેળવ્યા બાદ બીજા દિવસે ક્રિકેટ રસિકોને નિરાશા હાથ લાગી હતી. પોતાનુ નસીબ અજમાવા માટે ઘરેલુ ક્રિકેટ મેદાનમાં ઉતરેલા ભારતીય…

સુરતમાં કિશોરે તેમની જ બહેનની હત્યા કરતા ચકચાર, પોલીસે હાથ ધરી તપાસ

B INDIA સુરત : સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં 13 વર્ષના કિશોરે પોતાની માસીની દીકરીની હત્યા કરી છે. આ એક વર્ષની બાળકી રડતી હોવાને લીધે મોટાભાઈએ તકિયાથી તેનું મોઢું દબાવીને હત્યા કર્યાનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે બાળકીના મોત બાદ પીએમ રિપોર્ટ જોઈને પોલીસ સાથે પરિવાર પણ ચોંકી ઉઠ્યું હતું. હાલ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી હત્યારા કિશોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આપને જણાવી દઈએ કે, મૂળ બિહારના વતની અને સુરતની ખાનગી હોસ્પિટલમાં કામ કરતી બે સગી બહેનો સુરતના નાનપુરા વિસ્તારમાં રહે છે. મોટી બહેનને ચાર દીકરીઓ છે જ્યારે નાની બહેનને બે દીકરા છે. મોટી બહેનના પતિ મહારાષ્ટ્રના પુણે ખાતે કામ કરે છે. જ્યારે નાની બહેનના પતિ અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં…

હવે GPSCની પરીક્ષા 16 ફેબ્રુઆરીએ નહીં યોજાય, હસમુખ પટેલે પોસ્ટ કરી આપી માહિતી

B INDIA અમદાવાદ : ગુજરાતમાં આગામી યોજાનાર GPSCની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચેરમેન હસમુખ પટેલે પોસ્ટ કરી માહિતી આપી હતી કે, 16 ફેબ્રુઆરીએ GPSC નહીં લે કોઈ પરીક્ષા. પંચાયતની ચૂંટણી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ હોદ્દાને લઈને વિવિધ પરીક્ષા લેવામાં આવે છે. વર્ષ 2025માં GPSCની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ દરમ્યાન રાજ્ય આયોગ ચૂંટણી કમિશન દ્વારા સ્થાનિક રાજની ચૂંટણી જાહેર કરવામાં આવતા GPSCની પરીક્ષાની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે. -> GPSCની પરીક્ષાને લઈ ફેરફાર :- આ વર્ષે GPSCની પરીક્ષામાં બહુ બધા બદલાવ થયા છે. ઉમેદવારો સરળતાથી પરીક્ષા આપી શકે માટે અભ્યાસક્રમના સિલેબસમાં પણ બદલાવ કરાયો. આ ઉપરાંત GPSC દ્વારા વાંધા અરજી માટે ફી વસૂલવાની…

BZ ગ્રૂપના 6 હજાર કરોડના કૌભાંડ મુદ્દે કાર્યવાહી, મોડાસાના શિક્ષક એજન્ટની કરાઈ ધરપકડ

B INDIA અમદાવાદ : BZ ગ્રૂપના 6000 કરોડના કૌભાંડમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઈમે ચાલુ શાળાએ મોડાસાના શિક્ષક એજન્ટ વિનોદ પટેલની ધરપકડ કરી છે. ગુજરાતના ચર્ચિત BZ કૌભાંડમાં તપાસનો રેલો હવે મુખ્ય એજન્ટો સુધી પહોંચ્યો છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, અરવલ્લી જિલ્લાના ભેમાપુર પ્રા.શાળા નંબર 2ના શિક્ષકની તપાસ હાથ ધરવામાં આવી છે. અને પોલીસ પૂછપરછ માટે ગાંધીનગર ખાતે લઈ ગઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. શિક્ષક વી.ડી પટેલને બી.ઝેડમાં એજન્ટ તરીકેની ભૂમિકા હોવાની આશંકાને તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર,પોલીસે મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થયા બાદ કૌભાંડમાં સંડોવાયેલ તમામ મુખ્ય એજન્ટો પર કાર્યવાહી શરુ કરી છે. સૂત્રો દ્વારા એ પણ માહિતી સામે આવી છે કે, અરવલ્લી જિલ્લામાં શિક્ષક વી.ડી પટેલ BZ…

અમદાવાદનાં વટવામાં GST વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ

B INDIA અમદાવાદ : અમદાવાદનાં વટવામાં સ્ટેટ GST વિભાગે દરોડાનાં પગલે વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.  GST વિભાગ દ્વારા વટવા GIDCમાં વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. સ્ટેટ GST વિભાગે અચાનક રેડ પાડી વેપારીઓની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજ જપ્ત કર્યા હતા. -> સ્ટેટ GST વિભાગે દરોડા :- અમદાવાદનાં વટવા GIDCમાં 3થી 4 વેપારીઓના ત્યાં દરોડા સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. GST વિભાગે અચાનક કામગીરી હાથ ધરતાં કેમિકલના ઉત્પાદકના 2 એકમ પર અને કેમિકલની ખરીદી કરનારા બે ટ્રેડર્સને ત્યાં પણ દરોડા પાડ્યા. સ્ટેટ GST વિભાગ દ્વારા મંગળવાર સવારથી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, તપાસ દરમિયાન હિસાબી સાહિત્ય જપ્ત કર્યા. હાથ ધરાયેલ દરોડામાં અત્યાર સુધી વધુ કોઈ મોટી રકમ કે રોકડ મળી હોવાના…

ખેડૂતો આનંદો: ટેકાનાં ભાવે ઘઉંની સીધી ખરીદી, ઓનલાઇન નોંધણી કરવી ફરજિયાત

B INDIA અમદાવાદ : રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ટેકાનાં ભાવે ઘઉંની સીધી ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૫-૨૬ માં લઘુતમ ટેકાના ભાવે રૂ ૨,૪૨૫/- પ્રતિ ક્વી. ઘઉંની ખરીદી કરશે. આ ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી., મારફતે કરવામાં આવનાર છે. ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ૦૧/૦૧/૨૦૨૫થી કરવામાં આવી રહી છે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂત મિત્રોને અપીલ કરવામાં આવે છે. જેમાં ડોક્યુમેન્ટ્સ નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો ૭/૧૨, ૮/અ ની નકલ જોડવી જરૂરી છે. ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રીના થઇ હોય તો પાકની વાવણી…