હવે GPSCની પરીક્ષા 16 ફેબ્રુઆરીએ નહીં યોજાય, હસમુખ પટેલે પોસ્ટ કરી આપી માહિતી

B INDIA અમદાવાદ : ગુજરાતમાં આગામી યોજાનાર GPSCની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચેરમેન હસમુખ પટેલે પોસ્ટ કરી માહિતી આપી હતી કે, 16 ફેબ્રુઆરીએ GPSC નહીં લે કોઈ પરીક્ષા. પંચાયતની ચૂંટણી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ હોદ્દાને લઈને વિવિધ પરીક્ષા લેવામાં આવે છે. વર્ષ 2025માં GPSCની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ દરમ્યાન રાજ્ય આયોગ ચૂંટણી કમિશન દ્વારા સ્થાનિક રાજની ચૂંટણી જાહેર કરવામાં આવતા GPSCની પરીક્ષાની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે.

-> GPSCની પરીક્ષાને લઈ ફેરફાર :- આ વર્ષે GPSCની પરીક્ષામાં બહુ બધા બદલાવ થયા છે. ઉમેદવારો સરળતાથી પરીક્ષા આપી શકે માટે અભ્યાસક્રમના સિલેબસમાં પણ બદલાવ કરાયો. આ ઉપરાંત GPSC દ્વારા વાંધા અરજી માટે ફી વસૂલવાની જાહેરાત પણ કરાઈ હતી. GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે વિદ્યાર્થીના હિતને ધ્યાને રાખીને પરીક્ષાને લગતી બાબતોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

GPSC ના કલાસ 1-2 ના સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી રહેશે. GPSC આ નિર્ણય અંગે કોઈ ફેર વિચારણા કરવા માંગતી નથી. આ ઉપરાંત સામાન્ય જ્ઞાનનો સિલેબસ તમામ ભરતીમાં કોમન કરાયો. સામાન્ય અભ્યાસ વિષયનો એક જ અભ્યાસક્રમ અમલી થશે.GPSCના કલાસ 1-2ના સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ અમલી કરાયો. જયારે અગાઉ સામાન્ય અભ્યાસના જુદા-જુદા અભ્યાસક્રમ હતા.હવે તેમાં ફેરફાર કરી ને એક જ અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો છે.

Related Posts

શું હવે પાણીથી ચાલશે તમારી કાર? ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિનો થયો આરંભ!

ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિ: ૨૧મી સદીના ભારતનું પર્યાવરણને અનુકૂળ ‘સુપર-ફ્યુઅલ’ નવી દિલ્હી: વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ જળવાયુ પરિવર્તન (Climate Change) અને ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું…

શહેરીકરણની નવી ક્રાંતિ: દિલ્હી-NCR માં આકાર લેશે ‘નમો સિટીઝ’, જાણો તેની મુખ્ય વિશેષતાઓ

‘નમો સિટીઝ’: દિલ્હી-NCR ના ભવિષ્ય માટેનું એક ક્રાંતિકારી શહેરી વિકાસ મોડેલ   નવી દિલ્હી: ભારત સરકાર દ્વારા દેશના શહેરીકરણના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ગણાય તેવો અત્યંત મહત્વકાંક્ષી ‘નમો સિટીઝ’ (Namo Cities)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *