રણજી ટ્રોફીમાં રોહિત શર્માનું નિરાશાજનક પ્રદર્શન, ક્રિકેટ રસિકો થયા નિરાશ

9 વર્ષ બાદ મેદાને ઉતરેલા રોહિત શર્મા પોતાનુ જાદુ બતાવી શક્યા ન હતા. તો સાથે જ યશસ્વી જયસવાલે પણ ચાહક વર્ગને નિરાશ કર્યો હતો. રણજી ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીર અને મુંબઇ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં રોહિત શર્મા અને યશસ્વી જયસવાલ બંને સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યા હતા. આ નિરાશાજનક પ્રદર્શન બાદ ક્રિકેટ રસિકોમાં ઉદાસીનતા જોવા મળી હતી.રોહિત શર્માએ એક દશક બાદ રણજી ટ્રોફીમાં ઘર વાપસી કરી છે. મુંબઇના બીકેસી મેદાનમાં મુંબઇ અને જમ્મુ-કાશ્મીરની ટીમ આમને સામને મુકાબલા માટે આવી હતી.

આ રણજી ટ્રોફીમાં દરેકની નજર રોહિત શર્મા અને યશસ્વી જયસવાલ પર હતી. જ્યાં એક તરફ કોલક્તા સામે ધમાકેદાર જીત મેળવ્યા બાદ બીજા દિવસે ક્રિકેટ રસિકોને નિરાશા હાથ લાગી હતી. પોતાનુ નસીબ અજમાવા માટે ઘરેલુ ક્રિકેટ મેદાનમાં ઉતરેલા ભારતીય ટેસ્ટ અને વન ડે ટીમના કપ્તાન રોહિત શર્માએ અસફળતાનો સિલસિલો યથાવત રાખ્યો હતો.રણજી ટ્રોફીમાં મુંબઇ અને જમ્મુ-કાશ્મીર વચ્ચે થયેલા મુકાબલામાં સૌ પ્રથમ ટૉસ અજિંક્ય રાહણેએ જીત્યો હતો.

તેઓએ પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં યશસ્વી જયસવાલ 4 રન બનાવીને આઉટ થયા હતા. યશસ્વી જયસવાલ જમ્મુ-કાશ્મીરના આકિબ નબીની બોલિંગ પર એલબીડબલ્યુ આઉટ થયા હતા.તો આ તરફ, રોહિત શર્મા પણ 3 રન ફટકારી પવેલિયન પરત ફર્યા હતા. પારસ ડોગરાના હાથે ઉમર નજીની બોલિંગ પર હિટમેન આઉટ થયા હતા. રોહિત શર્મા 9 વર્ષ 3 મહિના બાદ રણજી ટ્રોફી માટે મેદાને ઉતર્યા હતા.

Related Posts

વંદે ભારત ટ્રેને રચ્યો ઇતિહાસ: સુરતથી અમદાવાદ માત્ર આટલા સમયમાં થયું જીવંત હૃદયનું સફળ પરિવહન 2026 : Success

વંદે ભારત એક્સપ્રેસે રચ્યો ઇતિહાસ: પ્રથમ વખત જીવંત હૃદયનું સફળ પરિવહન, સુરતથી અમદાવાદ સુધી સમય સામેની જંગમાં મોટી સિદ્ધિ ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ: વંદે ભારત એક્સપ્રેસ મારફતે પ્રથમ વખત જીવંત હૃદયનું સફળ પરિવહન, યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં થશે પ્રત્યારોપણ અમદાવાદ  ભારતીય રેલવેએ પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ સુધી જીવંત હૃદયનું સફળ પરિવહન કર્યું. RPF, ગુજરાત પોલીસ અને તબીબી ટીમના ગ્રીન કોરિડોરથી હૃદય સમયસર યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ પહોંચાડાયું. ભારતીય રેલવેએ આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરીને દેશના પરિવહન ઈતિહાસમાં નવું પાનું ઉમેર્યું છે. પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા **જીવંત હૃદય (Live Heart)**નું સફળતાપૂર્વક પરિવહન કરવામાં આવ્યું છે. સુરતથી અમદાવાદ સુધી આ જીવનરક્ષક અંગને સમયસર અને સંપૂર્ણ સુરક્ષા સાથે પહોંચાડવામાં આવ્યું, જેના આધારે…

ભારતમાં મોબાઇલ નિકાસમાં 165 ગણો જંગી ઉછાળો, આંકડો ₹2.59 લાખ કરોડ પાર Growth

મોબાઇલ નિકાસમાં ભારતનો મોટો ઉછાળો: એક દાયકામાં નિકાસ 165 ગણી વધી, ₹2.59 લાખ કરોડનો આંકડો પાર કેન્દ્ર સરકારના આંકડા મુજબ ભારતની મોબાઇલ ફોન નિકાસમાં છેલ્લા એક દાયકામાં જંગી વધારો થયો છે. મોબાઇલ નિકાસ 165 ગણી વધીને ₹2.59 લાખ કરોડ સુધી પહોંચી છે. જાણો મેન્યુફેક્ચરિંગ, રોજગાર અને ‘મેક ઇન ઇન્ડિયા’ માટે તેનો અર્થ. નવી દિલ્હી: ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ છેલ્લા એક દાયકામાં ભારતની મોબાઇલ ફોન નિકાસમાં આશરે 165 ગણો વધારો થયો છે અને તે ₹2.59 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. મોબાઇલ ઉત્પાદન ક્ષેત્રમાં થયેલો આ ઝડપી વિકાસ ભારતની બદલાતી ઔદ્યોગિક ક્ષમતા અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં દેશની વધતી ભૂમિકા તરફ સંકેત કરે છે. એક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *