અમદાવાદનાં વટવામાં GST વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ

B INDIA અમદાવાદ : અમદાવાદનાં વટવામાં સ્ટેટ GST વિભાગે દરોડાનાં પગલે વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.  GST વિભાગ દ્વારા વટવા GIDCમાં વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. સ્ટેટ GST વિભાગે અચાનક રેડ પાડી વેપારીઓની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજ જપ્ત કર્યા હતા.
-> સ્ટેટ GST વિભાગે દરોડા :- અમદાવાદનાં વટવા GIDCમાં 3થી 4 વેપારીઓના ત્યાં દરોડા સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. GST વિભાગે અચાનક કામગીરી હાથ ધરતાં કેમિકલના ઉત્પાદકના 2 એકમ પર અને કેમિકલની ખરીદી કરનારા બે ટ્રેડર્સને ત્યાં પણ દરોડા પાડ્યા. સ્ટેટ GST વિભાગ દ્વારા મંગળવાર સવારથી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, તપાસ દરમિયાન હિસાબી સાહિત્ય જપ્ત કર્યા. હાથ ધરાયેલ દરોડામાં અત્યાર સુધી વધુ કોઈ મોટી રકમ કે રોકડ મળી હોવાના સમાચાર સામે આવ્યા નથી.
જો કે પ્રાપ્ત કરેલ હિસાબી સાહિત્યની ચકાસણી કરવામાં આવશે. તેના બાદ વેપારીઓએ કરચોરી કરી છે કે કેમ અથવા કઈ કઈ જગ્યા પર રોકાણ કર્યું છે તેના ખુલાસા થશે. જો કરચોરી કરી હોવાનું સામે આવશે. તો નિયમ મુજબ વેપારીઓ સામે પગલાં લેવામાં આવશે.બિલ્ડરો અને વેપારીઓ પર સ્ટેટ GST વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે.  વેપારીઓ અને બિલ્ડરો ટેક્સ ચૂકવવામાં બેદરકાર રહેતા હોય છે. ટેક્સ ના ચૂકવવો પડે માટે પોતાના હિસાબમાં ખોટી માહિતીની રજૂઆત કરતા હોય છે. આથી જ કરચોરી કરનારા વેપારીઓ માટે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું.

Related Posts

ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા

કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવી જ એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે, જ્યાં ડોલવણ પોલીસે પોતાના જીવના જોખમે પૂરના ગળાડૂબ પાણીમાં ઊતરીને ૪ લોકોનો જીવ બચાવીને માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાળ ગામ પાસે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી એટલી ઝડપથી વધી રહ્યા હતા કે ધોડિયાવાળ વિસ્તારમાં ૪ જેટલા નાગરિકો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. પાણીનું વહેણ અત્યંત ઝડપી હતું અને જો સમયસર મદદ ન પહોંચે…

ફરિયાદ કરો, તપાસ થશે! જાણો AMC વિજિલન્સની કામગીરી

પંકજ મકવાણા – અમદાવાદ: ફરિયાદથી ફેક્ટ સુધી: અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગેરવર્તણૂક અંગે કોઈપણ નાગરિક પાસે વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તેની તપાસ માટે AMCનું વિજિલન્સ ખાતું સત્તાવાર વ્યવસ્થા ધરાવે છે. મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વિજિલન્સ)ની સીધી દેખરેખ હેઠળ કાર્યરત આ વિભાગ ફરિયાદોની તપાસ કરીને સક્ષમ સત્તાને અહેવાલ મોકલે છે તેમજ વહીવટી પ્રક્રિયામાં ગુણવત્તા સુધારવા માટે પણ સમીક્ષા અને સેમ્પલ ટેસ્ટિંગ જેવી કામગીરી કરે છે. ઉપરોક્ત માહિતી AMC Diary 2026ના પેજ નં. 58માં પ્રકાશિત વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે.   લાંચ-ભ્રષ્ટાચાર સામે સત્તાવાર વ્યવસ્થા AMCના વિજિલન્સ વિભાગની મુખ્ય જવાબદારી માત્ર ફરિયાદ નોંધવાની નથી, પરંતુ વહીવટી અને ટેકનિકલ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ સામે મળતી લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગેરવર્તણૂક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *