રણજી ટ્રોફી માટે અર્જુન તેંડુલકર તૈયાર, ધમાકેદાર કરી શકે છે એન્ટ્રી

ક્રિક્રેટના મહાન ખેલાડી સચિન તેંડુલકરના પુત્ર અર્જુન રણજી ટ્રોફીમાં પોતાનુ દમ-ખમ બતાવવા જોવા મળી શકે છે. લાંબા સમયથી અર્જુન તેંડુલકરે કોઇ મોટી ટુર્નામેંટ નથી રમી. પરંતુ હવે તેઓ પોતાના ઉત્કૃષ્ટ દેખાવ માટે તૈયાર છે. રણજી ટ્રોફીમાં ગોવા માટે તેઓ પરત ફરવા તૈયાર છે. ગોવાના ઓલરાઉંડર નાગાલૈંડ વિરુદ્ધ રણજી ટ્રોફીના પ્લેટ ગ્રુપ ફાઇનલમાં રમતા જોવા મળશે. ગોવાના સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફી દરમિયાન અર્જુનને ટીમમાં સ્થાન મળ્યુ ન હતુ. પરંતુ રણજી સીઝનમાં ટીમમાં સૌથી વધુ વિકેટ લેનાર ત્રીજા નંબરના ખેલાડી બન્યા છે.

અર્જુન તેંડુલકરે હમણા સુધી 4 મેચમાં 16 વિકેટ ઝડપી છે. ફાઇનલમાં તેઓેએ 20 વિકેટના આંકડા પાર કરે તેવી શક્યતા છે. ગોવા અને નાગાલેંડ વચ્ચે 23થી 27 જાન્યુઆરી સુધી દીમાપુરમાં ક્રિક્રેટ મેચ રમવામાં આવશે. ગોવા માટેના મેચમાં અર્જુન તેંડુલકરની ભૂમિકા ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.મહત્વપૂર્ણ છે કે, અર્જુન તેંડુલકર 2022-23ની સીઝન અગાઉ તેઓ ગોવા પહોંચ્યા હતા. ગોવામાં સામેલ થવા અગાઉ તેઓ ટી-20 ક્રિકેટ મેચ રમી ચુક્યા છે. તેઓએ રણજી ટ્રોફીમાં યાદગાર ડેબ્યુ કર્યુ હતુ. અને રાજસ્થાન વિરુદ્ધ શતક પણ ફટકાર્યો હતો. સચિનના પુત્ર અર્જુન તેંડુલકરે હમણા સુધી 17 ફર્સ્ટ ક્લાસ, 18 લિસ્ટ એ અને 24 ટી-20 મેચ રમ્યા છે. અર્જુને રેડ-બોલ ક્રિકેટમાં 37 અને વ્હાઇટ બોલ ક્રિકેટમાં 52 વિકેટ પોતાના નામે કર્યા છે.

-> મુંબઇ માટે રમતા જોવા મળશે અર્જુન :- અર્જુન તેંડુલકર પ્લેટ ગ્રુપ રણજી ટ્રોફી ફાઇનલ બાદ આ વર્ષે આઇપીએલમાં પરત ફરશે. જ્યાં તેઓ પાંચ વખત આઇપીએલ ચેમ્પિયંસ બની ચુકેલી મુંબઇ ઇંડિયન્સનો ભાગ બનશે. ગયા વર્ષે આયોજિત કરાયેલા મેગા ઓક્શનમાં મુંબઇની ટીમે તેમને બેસ પ્રાઇઝ 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. અર્જુન તેંડુલકર મુંબઇ ઇંડિયન્સ ટીમમાં વર્ષ 2021થી સામેલ છે. આઇપીએલ 2022ના મેગા ઓક્શનમાં તેઓને 30 લાખ રૂપિયામાં રિટેન કર્યા હતા. વર્ષ 2023માં અર્જુનને આઇપીએલમાં ડેબ્યુ કરવાની તક મળી હતી. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનો પુત્ર હોવાથી અર્જુન તેંડુલકર પર ચાહકોની ખાસ અપેક્ષાઓ જોડાયેલી હોય છે.

Related Posts

વંદે ભારત ટ્રેને રચ્યો ઇતિહાસ: સુરતથી અમદાવાદ માત્ર આટલા સમયમાં થયું જીવંત હૃદયનું સફળ પરિવહન 2026 : Success

વંદે ભારત એક્સપ્રેસે રચ્યો ઇતિહાસ: પ્રથમ વખત જીવંત હૃદયનું સફળ પરિવહન, સુરતથી અમદાવાદ સુધી સમય સામેની જંગમાં મોટી સિદ્ધિ ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ: વંદે ભારત એક્સપ્રેસ મારફતે પ્રથમ વખત જીવંત હૃદયનું સફળ પરિવહન, યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં થશે પ્રત્યારોપણ અમદાવાદ  ભારતીય રેલવેએ પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ સુધી જીવંત હૃદયનું સફળ પરિવહન કર્યું. RPF, ગુજરાત પોલીસ અને તબીબી ટીમના ગ્રીન કોરિડોરથી હૃદય સમયસર યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ પહોંચાડાયું. ભારતીય રેલવેએ આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરીને દેશના પરિવહન ઈતિહાસમાં નવું પાનું ઉમેર્યું છે. પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ દ્વારા **જીવંત હૃદય (Live Heart)**નું સફળતાપૂર્વક પરિવહન કરવામાં આવ્યું છે. સુરતથી અમદાવાદ સુધી આ જીવનરક્ષક અંગને સમયસર અને સંપૂર્ણ સુરક્ષા સાથે પહોંચાડવામાં આવ્યું, જેના આધારે…

ભારતમાં મોબાઇલ નિકાસમાં 165 ગણો જંગી ઉછાળો, આંકડો ₹2.59 લાખ કરોડ પાર Growth

મોબાઇલ નિકાસમાં ભારતનો મોટો ઉછાળો: એક દાયકામાં નિકાસ 165 ગણી વધી, ₹2.59 લાખ કરોડનો આંકડો પાર કેન્દ્ર સરકારના આંકડા મુજબ ભારતની મોબાઇલ ફોન નિકાસમાં છેલ્લા એક દાયકામાં જંગી વધારો થયો છે. મોબાઇલ નિકાસ 165 ગણી વધીને ₹2.59 લાખ કરોડ સુધી પહોંચી છે. જાણો મેન્યુફેક્ચરિંગ, રોજગાર અને ‘મેક ઇન ઇન્ડિયા’ માટે તેનો અર્થ. નવી દિલ્હી: ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ છેલ્લા એક દાયકામાં ભારતની મોબાઇલ ફોન નિકાસમાં આશરે 165 ગણો વધારો થયો છે અને તે ₹2.59 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. મોબાઇલ ઉત્પાદન ક્ષેત્રમાં થયેલો આ ઝડપી વિકાસ ભારતની બદલાતી ઔદ્યોગિક ક્ષમતા અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં દેશની વધતી ભૂમિકા તરફ સંકેત કરે છે. એક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *