રોહિત શર્માને હવે પાકિસ્તાન નહીં જાવું પડે, ઓપનિંગ સેરેમની વિના શરૂ થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025

19મી ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવા જઇ રહી છે, પરંતુ આ વખતે ટૂર્નામેન્ટ પહેલા થનાર ફોટોશૂટ અને પ્રેસ કોન્ફરન્સને રદ કરવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે, ભારતીય કેપ્ટન રોહિત શર્મા પાકિસ્તાન નહીં જાય. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના સ્રોતે કહ્યું છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત પહેલા પાકિસ્તાનમાં કોઈ પ્રેસ કોન્ફરન્સ અથવા ફોટોશૂટ યોજાશે નહીં. આ નિર્ણય ટૂર્નામેન્ટ પહેલા સ્પષ્ટ શેડ્યૂલ અને ટીમોની વ્યસ્તતા સામે લાવી રહ્યો છે. સ્પર્ધામાં ભાગ લેનારી ટીમો પ્રત્યેક વ્યસ્ત શેડ્યૂલ ધરાવે છે, જેમ કે, ભારત અને ઇંગ્લેન્ડ મર્યાદિત ઓવરોની શ્રેણી રમવા માટે તૈયાર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા શ્રીલંકામાં ટેસ્ટ અને વનડે શ્રેણી રમે છે. -> PCB દ્વારા ખાનગી કાર્યક્રમનું આયોજન :- જો કે, PCB લાહોરમાં 16 ફેબ્રુઆરીએ એક ખાનગી ઉદ્ઘાટન…

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને ચોટીલા-રાજકોટ હાઈવે પર નડ્યો અકસ્માત

B INSIA ગાંધીનગર : રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલની કારને મોડી રાત્રે અકસ્માત નડ્યો છે. તેઓ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. તે વખતે ચોટીલા રાજકોટ હાઈવે પર કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલની કારને ટ્રકે ટક્કર મારતાં સામાન્ય નુકસાન પહોંચ્યું છે. આ અકસ્માતમાં રાઘવજી પટેલનો ચમત્કારિક બચાવ થયો છે. આ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસે આ અંગેનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સારી વાત એ છે કે, રાઘવજી પટેલનો ચમત્કારિક બચાવ થયો હતો. સામાન્ય ટક્કર હોવાથી કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પોતાની કાર સાથે આગળ જામનગર તરફ જવા રાત્રે જ રવાના થઈ ગયા હતા. તો બીજી બાજુ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ કાફલો…

સુરેન્દ્રનગરમાં 1001 કરોડના કામને મંજૂરી, નીતિન ગડકરીએ કરી જાહેરાત

B INDIA સુરેન્દ્રનગર : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકકરીએ એક મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી માહિતી આપી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-51ના લીંબડી-ધ્રાંગધ્રા વિભાગને પેવ્ડ શોલ્ડર કન્ફિગરેશન સાથે 2-લેન બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોસ્ટ કરતાં જણાવ્યું કે, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય રાજમાર્ગ-51ના લિંબડી-ધ્રાંગધ્રાને પેવ્ડ શોલ્ડર કોન્ફિગ્રેશન સાથે 2 લેનમાં અપગ્રેડ કરવા માટે 1001.42 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-51 બેટ દ્વારકાથી શરૂ થાય છે અને કુડા ખાતે સમાપ્ત થાય છે. આ પ્રોજેક્ટ લીંબડી-સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા સેક્શનના અપગ્રેડેશન માટે છે. આ પ્રોજેક્ટ કોરિડોર સૌરાષ્ટ્ર ક્ષેત્ર અને ગુજરાતના કચ્છ ક્ષેત્રના મહત્વપૂર્ણ સ્થળોને જોડે છે અને બે મહત્વપૂર્ણ હાઇવે અમદાવાદ-વિરમગામ-માળીયા અને અમદાવાદ-રાજકોટ…

અંબાજીમાં મેગા ડિમોલિશન, 200થી વધુ પોલીસ જવાનો કરાયા તૈનાત

B INDIA અંબાજી : અંબાજીમાં મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. શક્તિ કોરીડોર પ્રોજેક્ટ આડે આવતા દબાણ હટાવવા કામગારી હાથ ધરવામાં આવી છે. અને કોઇ અનિચ્છનિય ઘટના ન ઘટે એ માટે 200થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, અંબાજીના 89થી વધુ ઘરોને નોટિસ આપવામાં આવી છે. અંબાજી ખાતે દબાણો દૂર કરવાની કામગીરી હાઈકોર્ટના નિર્દેશ બાદ શરૂ થઈ છે. શક્તિ કોરિડોરના માર્ગ પર આવેલા મકાનોના ડિમોલિશનના વિરોધમાં લગભગ 60 લોકોએ હાઈકોર્ટમાં અરજીઓ દાખલ કરી હતી. પરંતુ હાઈકોર્ટે કોઈ પણ પ્રકારની રાહત આપવા ઇનકાર કરી દીધો અને તંત્રને દબાણો દૂર કરવાની તાત્કાલિક સૂચના આપી હતી. અંબાજીમાં 89 કાચા અને પાકા મકાનોને તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી કલેક્ટર, જિલ્લા પોલીસવડા અને…

સુરતમાં 31 વર્ષે ઝડપાયો હત્યાનો આરોપી, લાફો મારવા જેવી બાબતમાં કરી હતી હત્યા

B INDIA સુરત : સુરતમાં હત્યાનાં કેસમાં વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીદારોને કામે લગાડી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. અને 31 વર્ષ બાદ રૂમ પાર્ટનરની હત્યા કરી ફરાર થનાર આરોપીને ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે 31 વર્ષ પહેલા એક શખ્સની હત્યા કરી ફરાર થનાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી ૧૯૯૪માં વરાછા પોલીસ સ્ટેશનના ચોપડે વોન્ટેડ હતો. આરોપી એક ઉડિયા યુવક છે જેણે લાફો મારવા જેવી સામાન્ય બાબતે બબાલ કરી એક શખ્સને મોતને ઘાટ ઉતાર્યો હતો. મળતી માહિતી મુજબ, માથાકૂટ થયા બાદ ઉડિયા યુવક આરત દિવાકર બિસોઈએ લાફો મારનારને ચપ્પુથી રહેંસી નાખ્યો હતો. લાફો મારનારની હત્યા કર્યા બાદ થોડા સમય સુધી બિસોઇ, ઓરિસ્સા અને બંગાળમાં છુપાઈને રહેતો હતો. વારંવાર સ્થળાંતર…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધાનેરાના ધારાસભ્યએ લખ્યો પત્ર, કહ્યું-મહાકુંભમાં એક ગુજરાતી થયો ગુમ

મહાકુંભ મેળામાં ધાનેરાના 50 વર્ષિય બાળકાભાઈ રબારી લાપતા થયા છે. ત્યારે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. ધારાસભ્ય માવજી દેસાઈ કહ્યું છે કે, બાળકાભાઈ રબારી લાપતા થયા છે તેની જાણ ઉત્તરપ્રદેશ તંત્રને ફોટા સાથે કરવા છતાં ભાળ ન મળતા પરિવાર ચિંતિત જોવા બન્યો છે.ઉલ્લેખનિય છે કે, મહાકુંભમાં થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે 60 લોકો ઘાયલ થયાના સમાચાર છે. જો કે, ધાનેરાના 50 વર્ષિય બાળકાભાઈ રબારી 29મી જાન્યુઆરીના રોજ પરિવારથી વિખુટા પડ્યા હતા. બાળકાભાઈ 29મી જાન્યુઆરીના વહેલી સવારે પરિવાર સાથે કુંભમેળામાં સ્નાન કરીને ત્યાંથી વિખૂટા પડી ગયા હતા. તેમનો હજી સુધી કોઈ પત્તો નથી. પત્રમાં જણાવ્યા પ્રમાણે, યુપી પ્રસાશનને તેમના ફોટા, નામ સાથે…

મહાકુંભમાં જતા ગુજરાતીઓને ચિત્રકૂટમાં નડ્યો અકસ્માત, 1નું મોત, 7 લોકોને ઈજા

મહાકુંભ મેળાને લઈને હાલ લોકો પ્રયાગરાજ તરફ જઈ રહ્યા છે.ત્યારે નવસારીના વતની સ્વાતિ પટેલ તેમના સંબંધીઓ સાથે કુંભમેળામાં જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રવિવારે રાતે 11 વાગ્યાની આસપાસ ચિત્રકૂટ નજીક તેમની કારને અકસ્માત નડતાં સ્વાતિ પટેલની કરૂણ મોત નીપજ્યું, જ્યારે તેમની સાથે કારમાં સવાર અન્ય સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. નવસારીના ધર્મિનગરના જલારામનગર સોસાયટીના રહેવાસી સ્વાતિ પટેલ સંબંધીઓ સાથે પ્રયાગરાજના કુંભમેળામાં જવા નીકળ્યા હતા. ત્યારે ચિત્રકૂટ પાસે એક કાર સાથે તેમની કારને ઓવરટેક કરવા જતાં સાઇડમાંથી ટકરાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્વાતિ પટેલને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેમને સારવાર અર્થે તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું છે. કારમાં સવાર અન્ય સાત…

દિલ્હીમાં રાહુલ ગાંધીની જનસભા, કેજરીવાલ અને ભાજપ પર સાધ્યું નિશાન

દિલ્હી ચૂંટણી પ્રચારના ભાગ રૂપે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બવાનામાં એક જાહેર સભાને સંબોધવા પહોંચ્યા. રાહુલ ગાંધીના નિશાના પર ભાજપની સાથે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પણ હતા. રાહુલે બંને પર પ્રહારો કરતા કહ્યું કે અહીં પાણીની સમસ્યા છે. પીવાનું પાણી ઉપલબ્ધ નથી. ગંદુ પાણી ઉપલબ્ધ છે. મોંઘા ભાવે પાણી ખરીદવું પડે છે. -> કેજરીવાલે કહ્યું મોદીજી અને આરએસએસે નફરત ફેલાવવાનું કામ કર્યું છે :- તેઓ જ્યાં પણ જાય છે, તેઓ ધર્મને ધર્મની વિરુદ્ધ અને જાતિને જાતિની વિરુદ્ધ લડાવે છે. તેઓ એક ભાષાને બીજી ભાષા સાથે લડાવે છે. તેઓ તમારા પૈસા અંબાણી અને અદાણી જેવા અબજોપતિઓને આપે છે. મોદી સરકારે પચીસ અબજોપતિઓના ૧૬ લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા. નોટબંધી અને જીએસટીના કારણે નાની…

બાંગ્લાદેશની નવી સરકારનું ભારત વિરોધી વલણ યથાવત, હવે મુક્યો ડ્રગ્સની દાણચોરીનો આરોપ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો હંમેશા ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે, પરંતુ બાંગ્લાદેશની નવી વચગાળાની સરકાર હવે ભારત વિરોધી વલણમાં એટલી આંધળી બની ગઈ છે કે તેણે ભારત પર ડ્રગ્સની સ્મગલિંગનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની સરકારે ભારત સાથે થયેલા અગાઉના કરારોની સમીક્ષા કરવાની પણ જાહેરાત કરી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં ગૃહ બાબતોના સલાહકાર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે ફેન્સિડિલ નામનું ડ્રગ ભારતમાંથી બાંગ્લાદેશમાં દાણચોરી કરવામાં આવી રહ્યું છે. મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીના મતે, ભારતીય નાગરિકો ફેન્સિડિલ દવા બનાવે છે, પરંતુ વાસ્તવમાં તે એક ડ્રગ્સ છે જે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ મોકલવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે બંને દેશોની સંમતિ વિના સરહદના…

મહાકુંભમાં નાસભાગની દુર્ઘટનાનું પુનરાવર્તન ટાળવા 5 મોટા ફેરફાર

પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યા સ્નાન પહેલા સંગમ કિનારે થયેલી ભાગદોડ અને દુ:ખદ મૃત્યુ બાદ, વહીવટીતંત્રે કડક પગલાં લીધાં છે. જે અંતર્ગત મેળા વિસ્તારમાં પાંચ મોટા ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે. આ સાથે, સમગ્ર મેળા વિસ્તારને હવે નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે કોઈપણ પ્રકારના વાહનને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એટલું જ નહીં, VVIP પાસ અને ટ્રાફિક અંગે પણ ફેરફારો કરવામાં આવ્યા છે. મહાકુંભમાં થયેલી ભાગદોડની ઘટના બાદ પોલીસ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે, સીએમ યોગીની કડક સૂચના બાદ, ભક્તોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને મેળા વિસ્તાર માટે પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે જેથી આવા અકસ્માતો રોકી શકાય. ભવિષ્યમાં ટાળી શકાય. હવે પોલીસ વહીવટીતંત્ર સામે વસંત પંચમી પર અમૃત સ્નાન કાર્યક્ષમ રીતે કરાવવાનો પડકાર…