રોહિત શર્માને હવે પાકિસ્તાન નહીં જાવું પડે, ઓપનિંગ સેરેમની વિના શરૂ થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025

19મી ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવા જઇ રહી છે, પરંતુ આ વખતે ટૂર્નામેન્ટ પહેલા થનાર ફોટોશૂટ અને પ્રેસ કોન્ફરન્સને રદ કરવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે, ભારતીય કેપ્ટન રોહિત શર્મા પાકિસ્તાન નહીં જાય. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના સ્રોતે કહ્યું છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત પહેલા પાકિસ્તાનમાં કોઈ પ્રેસ કોન્ફરન્સ અથવા ફોટોશૂટ યોજાશે નહીં. આ નિર્ણય ટૂર્નામેન્ટ પહેલા સ્પષ્ટ શેડ્યૂલ અને ટીમોની વ્યસ્તતા સામે લાવી રહ્યો છે. સ્પર્ધામાં ભાગ લેનારી ટીમો પ્રત્યેક વ્યસ્ત શેડ્યૂલ ધરાવે છે, જેમ કે, ભારત અને ઇંગ્લેન્ડ મર્યાદિત ઓવરોની શ્રેણી રમવા માટે તૈયાર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા શ્રીલંકામાં ટેસ્ટ અને વનડે શ્રેણી રમે છે.

-> PCB દ્વારા ખાનગી કાર્યક્રમનું આયોજન :- જો કે, PCB લાહોરમાં 16 ફેબ્રુઆરીએ એક ખાનગી ઉદ્ઘાટન સમારંભનો આયોજન કરશે. પરંતુ આ કાર્યક્રમ ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ઔપચારિક ઉદ્ઘાટન સમારંભથી અલગ રહેશે.

-> ભારતનું સમયપત્રક :- ભારત પોતાની પ્રથમ લીગ તબક્કાની મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. આ પછી 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે તેમની મહત્વની મેચ રમાશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયાને સાત દિવસનો ગેપ મળશે અને 2 માર્ચે ન્યુઝીલેન્ડ સાથે રમશે. આ ટૂર્નામેન્ટ 2013માં એક જ વખત ભારતે જીતી હતી. જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ટીમના કેપ્ટન હતા.

-> ચેમ્પિયન્સ ટ્રોફીમાં આઠ ટીમો લેશે ભાગ :- આ ટૂર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લેશે. અને 15 મેચો રમાશે. ટૂર્નામેન્ટનો મુખ્ય આયોજન પાકિસ્તાન અને દુબઈ દ્વારા કરવામાં આવશે. ભારતની ગ્રુપ સ્ટેજની તમામ મેચો દુબઈમાં રમાશે, જ્યારે અન્ય ટીમોની મેચો પાકિસ્તાનમાં યોજાશે.

Related Posts

અમિત શાહનું મેગા વિઝન: ગાંધીનગર બનશે દેશની પ્રથમ ‘હરિયાળી લોકસભા’, વર્ષ 2026-27માં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ

અમિત શાહનું મેગા વિઝન: ગાંધીનગર બનશે દેશની પ્રથમ ‘હરિયાળી લોકસભા’, વર્ષ 2026-27માં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ ગાંધીનગર: ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ…

#Drugs/ શું ગુજરાતમાં પાંગરી ગયો છે ‘મોતમિત્ર’ સમો ડ્રગ્સનો કાળો કારોબાર?

ગુજરાતનો સાગરકાંઠો ડ્રગ્સ કાર્ટેલ માટે આશીર્વાદ રુપ બનતો દેખાય રહ્યો છે, જ્યારે દેશ માટે યુવા પેઢીને નષ્ટ કરતા ઝેરનાં પ્રવેશદ્વાર સમાન બની રહ્યો છે. વાત વિચાર માંગી લે તેવી છે કે જો આટલા વિપુર જથ્થામાં ડ્રગ્સ પકડાયું હોય અને તે પણ ફક્ત આ માસમાં જ, તો ડ્રગ્સ ટોટલ માત્રામાં ગુજરાતમાં ઠલવાયું કેટલું હશે? વિપુલ અને કરોડોનો જથ્થો પકડાય જવા છતા જો ડ્રગ્સનાં દાનવોને કોઇ ફરક પડતો ન હોય અને ડ્રગ્સ આવીરત રીતે મોકલી રહ્યા હોય તો આવી ગયેલો જથ્થો કેટલો હશે? વળી આ કાળા ઝેરનાં કારોબારમાં કેટલા યુવાનો ખપ્યા હશે? અને ડ્રગ્સ કાર્ટલની કાળા ઝેરની કાળી કમાણી કાટલી હશે? આ કાળી કમાણી ક્યાં વપરાતી હશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *