સુરેન્દ્રનગરમાં 1001 કરોડના કામને મંજૂરી, નીતિન ગડકરીએ કરી જાહેરાત

B INDIA સુરેન્દ્રનગર : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકકરીએ એક મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી માહિતી આપી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-51ના લીંબડી-ધ્રાંગધ્રા વિભાગને પેવ્ડ શોલ્ડર કન્ફિગરેશન સાથે 2-લેન બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોસ્ટ કરતાં જણાવ્યું કે, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય રાજમાર્ગ-51ના લિંબડી-ધ્રાંગધ્રાને પેવ્ડ શોલ્ડર કોન્ફિગ્રેશન સાથે 2 લેનમાં અપગ્રેડ કરવા માટે 1001.42 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-51 બેટ દ્વારકાથી શરૂ થાય છે અને કુડા ખાતે સમાપ્ત થાય છે. આ પ્રોજેક્ટ લીંબડી-સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા સેક્શનના અપગ્રેડેશન માટે છે.

આ પ્રોજેક્ટ કોરિડોર સૌરાષ્ટ્ર ક્ષેત્ર અને ગુજરાતના કચ્છ ક્ષેત્રના મહત્વપૂર્ણ સ્થળોને જોડે છે અને બે મહત્વપૂર્ણ હાઇવે અમદાવાદ-વિરમગામ-માળીયા અને અમદાવાદ-રાજકોટ વચ્ચે ઇન્ટર કોરિડોર રૂટ તરીકે કામ કરે છે. જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આ રસ્તાને ગ્રેડ-સેપરેટેડ સ્ટ્રક્ચર્સ અને ભૌમિતિક સુધારાઓ સહિત સલામતીના કાર્યો સાથે પેવ્ડ શોલ્ડર સાથે 2-લેનમાં અપગ્રેડ કરાશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચે વધુ સારી કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે.

Related Posts

યુરોપના જંગલોમાં લાગેલી આગનો ફેલાવો: બચાવ કામગીરી શરૂ, હજારો લોકોનું સ્થળાંતર

યુરોપના અનેક દેશોમાં ઉનાળાની તીવ્ર ગરમી અને સૂકા હવામાન વચ્ચે જંગલની આગ (Wildfire) ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ખાસ કરીને ફ્રાન્સ, સ્પેન અને અન્ય કેટલાક યુરોપીયન વિસ્તારોમાં વાઇલ્ડફાયર ઝડપથી…

દૈનિક જીવન અને કામમાં AI ના જાદુઈ ઉપયોગો: પ્રોડક્ટિવિટી વધારવાની નવી રીત

છેલ્લા કેટલાક વર્ષોમાં Artificial Intelligence (AI) ટેક્નોલોજીએ સમગ્ર વિશ્વમાં કામ કરવાની રીત બદલી નાખી છે. એક સમય હતો જ્યારે AI માત્ર વૈજ્ઞાનિકો અને મોટી ટેક કંપનીઓ સુધી મર્યાદિત હતું, પરંતુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *