રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને ચોટીલા-રાજકોટ હાઈવે પર નડ્યો અકસ્માત

B INSIA ગાંધીનગર : રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલની કારને મોડી રાત્રે અકસ્માત નડ્યો છે. તેઓ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. તે વખતે ચોટીલા રાજકોટ હાઈવે પર કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલની કારને ટ્રકે ટક્કર મારતાં સામાન્ય નુકસાન પહોંચ્યું છે. આ અકસ્માતમાં રાઘવજી પટેલનો ચમત્કારિક બચાવ થયો છે. આ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસે આ અંગેનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સારી વાત એ છે કે, રાઘવજી પટેલનો ચમત્કારિક બચાવ થયો હતો. સામાન્ય ટક્કર હોવાથી કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પોતાની કાર સાથે આગળ જામનગર તરફ જવા રાત્રે જ રવાના થઈ ગયા હતા. તો બીજી બાજુ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

-> અગાઉ સર્જાયો હતો અકસ્માત :- બે દિવસ પહેલા પણ ઉના હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. પોલીસ દ્વારા અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Posts

યુરોપના જંગલોમાં લાગેલી આગનો ફેલાવો: બચાવ કામગીરી શરૂ, હજારો લોકોનું સ્થળાંતર

યુરોપના અનેક દેશોમાં ઉનાળાની તીવ્ર ગરમી અને સૂકા હવામાન વચ્ચે જંગલની આગ (Wildfire) ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ખાસ કરીને ફ્રાન્સ, સ્પેન અને અન્ય કેટલાક યુરોપીયન વિસ્તારોમાં વાઇલ્ડફાયર ઝડપથી…

દૈનિક જીવન અને કામમાં AI ના જાદુઈ ઉપયોગો: પ્રોડક્ટિવિટી વધારવાની નવી રીત

છેલ્લા કેટલાક વર્ષોમાં Artificial Intelligence (AI) ટેક્નોલોજીએ સમગ્ર વિશ્વમાં કામ કરવાની રીત બદલી નાખી છે. એક સમય હતો જ્યારે AI માત્ર વૈજ્ઞાનિકો અને મોટી ટેક કંપનીઓ સુધી મર્યાદિત હતું, પરંતુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *