અંબાજીમાં મેગા ડિમોલિશન, 200થી વધુ પોલીસ જવાનો કરાયા તૈનાત

B INDIA અંબાજી : અંબાજીમાં મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. શક્તિ કોરીડોર પ્રોજેક્ટ આડે આવતા દબાણ હટાવવા કામગારી હાથ ધરવામાં આવી છે. અને કોઇ અનિચ્છનિય ઘટના ન ઘટે એ માટે 200થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, અંબાજીના 89થી વધુ ઘરોને નોટિસ આપવામાં આવી છે. અંબાજી ખાતે દબાણો દૂર કરવાની કામગીરી હાઈકોર્ટના નિર્દેશ બાદ શરૂ થઈ છે. શક્તિ કોરિડોરના માર્ગ પર આવેલા મકાનોના ડિમોલિશનના વિરોધમાં લગભગ 60 લોકોએ હાઈકોર્ટમાં અરજીઓ દાખલ કરી હતી. પરંતુ હાઈકોર્ટે કોઈ પણ પ્રકારની રાહત આપવા ઇનકાર કરી દીધો અને તંત્રને દબાણો દૂર કરવાની તાત્કાલિક સૂચના આપી હતી.

અંબાજીમાં 89 કાચા અને પાકા મકાનોને તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી કલેક્ટર, જિલ્લા પોલીસવડા અને અન્ય ઉંચા અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. અનિચ્છનીય બનાવ ટાળવા માટે પુલિસના કડક બંદોબસ્તના પગલાં લેવામાં આવ્યા છે.

50 વર્ષોથી વધુ સમયથી રહેતા લોકોના ઘરને મોડી રાત્રે ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વર્ષોથી રહેતા લોકોના મકાનો તૂટતા લોકો ઘર વિહોણા થયા છે. આ ડિમોલિશનની કામગીરીને લઇ લોકોના ઘર સામાન ન લેવા દેતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ વ્યાપ્યો છે.

Related Posts

યુરોપના જંગલોમાં લાગેલી આગનો ફેલાવો: બચાવ કામગીરી શરૂ, હજારો લોકોનું સ્થળાંતર

યુરોપના અનેક દેશોમાં ઉનાળાની તીવ્ર ગરમી અને સૂકા હવામાન વચ્ચે જંગલની આગ (Wildfire) ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ખાસ કરીને ફ્રાન્સ, સ્પેન અને અન્ય કેટલાક યુરોપીયન વિસ્તારોમાં વાઇલ્ડફાયર ઝડપથી…

દૈનિક જીવન અને કામમાં AI ના જાદુઈ ઉપયોગો: પ્રોડક્ટિવિટી વધારવાની નવી રીત

છેલ્લા કેટલાક વર્ષોમાં Artificial Intelligence (AI) ટેક્નોલોજીએ સમગ્ર વિશ્વમાં કામ કરવાની રીત બદલી નાખી છે. એક સમય હતો જ્યારે AI માત્ર વૈજ્ઞાનિકો અને મોટી ટેક કંપનીઓ સુધી મર્યાદિત હતું, પરંતુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *