એપ્રિલમાં જ ગરમીનો કહેર: દેશના ઘણા ભાગોમાં ગરમીનું મોજું, ગુજરાતમાં સૌથી વધુ તાપમાન

એપ્રિલની શરૂઆતમાં જ દેશના ઘણા ભાગોમાં ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બુધવારે દેશભરના 26 થી વધુ હવામાન મથકોએ મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ નોંધ્યું હતું. ગુજરાતના કંડલામાં તાપમાનનો પારો 45.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો, જે દેશમાં દિવસનું સૌથી વધુ તાપમાન હતું. રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાં પણ તાપમાન 44 ડિગ્રીને પાર કરી ગયું હતું.   દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અસામાન્ય ગરમી:- દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમીની અસર જોવા મળી. પોરબંદરમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો, જે સામાન્ય કરતાં 8.8  ડિગ્રી વધારે છે. ડીસા અને અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું, જેના કારણે ગુજરાતના મોટાભાગના ભાગોમાં ગરમીનું મોજું ફરી વળ્યું હતું.  …

ગુજરાતમાં સતત બે દિવસથી ગરમીથી આંશિક રાહત, તાપમાન 2 ડિગ્રી સુધી ઘટ્યું

ગુજરાતમાં સતત બે દિવસથી ગરમીથી આંશિક રાહત મળી છે. જ્યારે આજથી ગરમીમાં ઘટાડો નોંધાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 ડિગ્રી ઘટ્યું છે. સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 38.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજી પણ આગામી સમયમાં થોડું તાપમાન ઘટશે અને ત્યારબાદ ગરમી જોર પકડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યને હવામાનના બેવડા પ્રકોપનો સામનો કરવો પડશે. અમરેલી અને તાપી સહિત ઘણા જિલ્લાઓમાં તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. 27 મે સુધી આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે. તો આ વર્ષે અમદાવાદ,…

રાજયમાં આજથી પવનોની દિશા બદલાતા ગરમીથી મળશે આંશિક રાહત

રાજયમાં આજથી પવનોની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત રાહત મળશે. આજથી ગરમીમાં ઘટાડો નોંધાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 3 દિવસ બાદ ફરી ગરમી વધશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો મહત્તમ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાનમાં ઘટાડો થશે. આગામી સાત દિવસ કેવું રહેશે હવામાન:- હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં સાત દિવસ હવામાન સૂકું રહેશે. આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ દર્શાવી છે. જે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ સુધી કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી. પરંતુ તે પછી 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની…

રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર, તાપમાનનો પારો 40 ડિગ્રી પાર પહોંચ્યો

રાજ્યમાં કાળઝાળ ગરમી કહેર વર્તાવી રહી છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1 ડિગ્રી જેટલું ઊંચકાયું છે. જ્યારે આગામી એપ્રિલ મહિનાના આરંભમાં આકરી ગરમીને લઈને હવામાન વિભાગે ચેતવણી આપી છે. ઉલ્લેખનિય છે કે, માર્ચ મહિનાના મધ્યમાં હવામાનમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો થયો હતો. પરંતુ ફરી રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર પહોંચ્યો છે. માર્ચ મહિનાના અંત સાથે જ ભૂક્કા બોલાવશે તેવી કાળઝાળ ગરમી જોવા મળશે. –> એપ્રિલમાં અંગ દઝાવતી ગરમીનો અહેસાસ થશે:- ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી એપ્રિલ મહિનાથી મે સુધીમાં આકરી ગરમી જોવા મળશે. એપ્રિલ મહિનાના આરંભ ગરમીનું તીવ્ર મોજું જોવા મળી શકે છે. સૌથી વધુ અમદાવાદ, વડોદરા અને પંચમહાલ વિસ્તારમાં કાળઝાળ ગરમીની સંભાવનાને કારણે લોકોને ચેતવણી આપી છે. કચ્છમાં હાલમાં જોરદાર પવન જોવા મળી રહ્યો…

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં માવઠું થવાની શક્યતા

ગુજરાતમાં આગામી સમયમાં બેવડી ઋતુનો અહેસાસ થશે. માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં આકરો તાપ તો પડશે, સાથે સાથે માવઠુ પણ થઇ શકે છે. ગુજરાતના જાણીતા આગાહીકારો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 31 માર્ચથી 5 એપ્રિલ વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. ગુજરાતમાં 29 માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છના ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ રહેશે. મધ્યપ્રદેશના અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાંટા પડવાની શક્યતા છે. 19 એપ્રિલથી ફરી હવામાનમાં પલટો આવી શકે અને વાદળછાયું વાતાવરણ આવી શકે છે. 20 એપ્રિલથી ગરમી વધતી જાય અને 26 એપ્રિલથી કાળજાળ ગરમી પડવાની શરૂ થઇ શકે છે. ગુજરાતના ભાગમાં 42થી 45 ડિગ્રી…

છીંક આવવાના ઘરેલું ઉપાય: જો તમને બદલાતા હવામાનમાં વારંવાર છીંક આવે છે, તો આ ઘરેલું ઉપાયો તમારી સમસ્યાનો ઉકેલ લાવશે

બદલાતા હવામાનની સાથે, ઘણા લોકોને શરદી, ખાંસી અને વારંવાર છીંક આવવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યા એલર્જી, વાયરલ ચેપ અથવા હવામાનમાં ફેરફારને કારણે થઈ શકે છે. જોકે, કેટલાક સરળ અને અસરકારક ઘરેલું ઉપચારની મદદથી, આ સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે. જો તમારી સાથે પણ આવું કંઈક થઈ રહ્યું છે તો તમે આ મહત્વપૂર્ણ ઘરેલું ઉપાયો અપનાવી શકો છો. -> હુંફાળા પાણીમાં મધ :- હૂંફાળું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે તેમાં મધ ઉમેરવામાં આવે છે, ત્યારે તે તમને શરદી અને છીંકની સમસ્યામાં રાહત મેળવવામાં મદદ કરી શકે છે. એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી મધ મિક્સ કરો.આ સવારે ખાલી પેટ પીવો.આ ઉપાય ગળું સાફ કરે છે અને એલર્જીને કારણે થતી છીંક…