રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર, તાપમાનનો પારો 40 ડિગ્રી પાર પહોંચ્યો

રાજ્યમાં કાળઝાળ ગરમી કહેર વર્તાવી રહી છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1 ડિગ્રી જેટલું ઊંચકાયું છે. જ્યારે આગામી એપ્રિલ મહિનાના આરંભમાં આકરી ગરમીને લઈને હવામાન વિભાગે ચેતવણી આપી છે. ઉલ્લેખનિય છે કે, માર્ચ મહિનાના મધ્યમાં હવામાનમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો થયો હતો. પરંતુ ફરી રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર પહોંચ્યો છે. માર્ચ મહિનાના અંત સાથે જ ભૂક્કા બોલાવશે તેવી કાળઝાળ ગરમી જોવા મળશે.

–> એપ્રિલમાં અંગ દઝાવતી ગરમીનો અહેસાસ થશે:- ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી એપ્રિલ મહિનાથી મે સુધીમાં આકરી ગરમી જોવા મળશે. એપ્રિલ મહિનાના આરંભ ગરમીનું તીવ્ર મોજું જોવા મળી શકે છે. સૌથી વધુ અમદાવાદ, વડોદરા અને પંચમહાલ વિસ્તારમાં કાળઝાળ ગરમીની સંભાવનાને કારણે લોકોને ચેતવણી આપી છે. કચ્છમાં હાલમાં જોરદાર પવન જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાનનો પારો 42 ડિગ્રીની આરપાર જોવા મળી શકે છે.

–>ક્યાં કેટલું તાપમાન?:- રાજ્યમાં સૌથી વધુ તાપમાન વલ્લભ વિદ્યાનગરમાં 41.3 ડિગ્રી નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું નલિયામાં 37.6 તાપમાન નોંધાયું. રાજકોટ 41.0, સુરેન્દ્રનગરમાં 40.8 ડિગ્રી, અમદાવાદ અને ગાંધીનગર 40.0 ડિગ્રી તાપમાન જોવા મળ્યું. જ્યારે ભુજ 40.2, વડોદરા 40.2, અમરેલી 40.4 અને કેશોદ 40.5ની આસપાસ તાપમાન નોંધાયું. આ ઉપરાંત અન્ય સ્થાનો પર ડીસા, કંડલા, સુરત અને નલિયામાં 40 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું. સુરતમાં 37.0, ડીસા 39.3, કંડલા 39.9 ડિગ્રી,ભાવનગર 38.8, મહુવા 38.0 અને સૌથી ઓછું નલિયામાં 37.6 તાપમાન નોંધાયું.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

AMCની ઘોર બેદરકારીએ લીધો માસૂમનો જીવ: સાબરમતીમાં ડિમોલિશન સાઇટ પર ખુલ્લા વાયરે ૮ વર્ષના માસૂમને ભરખી લીધી!

પંકજ મકવાણા – અમદાવાદ: શહેરમાં વિકાસના નામે વહીવટીતંત્ર કેટલું બેદરકાર હોઈ શકે છે તેનો વધુ એક હૃદયદ્રાવક અને આક્રોશજનક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ગંભીર લાપરવાહીના કારણે…

“રાજા રઘુવંશી હત્યા કેસ: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, આરોપીઓના જામીન પર લગાવી રોક!”

⚖️ રાજા રઘુવંશી હત્યા કેસ: સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, આરોપીઓની જામીન અરજી પર લગાવી રોક નવી દિલ્હી: બહુચર્ચિત રાજા રઘુવંશી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે એક મોટો આદેશ આપતા આરોપીઓની જામીન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *