હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં માવઠું થવાની શક્યતા

ગુજરાતમાં આગામી સમયમાં બેવડી ઋતુનો અહેસાસ થશે. માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં આકરો તાપ તો પડશે, સાથે સાથે માવઠુ પણ થઇ શકે છે. ગુજરાતના જાણીતા આગાહીકારો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 31 માર્ચથી 5 એપ્રિલ વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે.

ગુજરાતમાં 29 માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છના ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ રહેશે. મધ્યપ્રદેશના અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાંટા પડવાની શક્યતા છે. 19 એપ્રિલથી ફરી હવામાનમાં પલટો આવી શકે અને વાદળછાયું વાતાવરણ આવી શકે છે. 20 એપ્રિલથી ગરમી વધતી જાય અને 26 એપ્રિલથી કાળજાળ ગરમી પડવાની શરૂ થઇ શકે છે. ગુજરાતના ભાગમાં 42થી 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હવે તાપમાનમા ઘટાડો થશે, 25 તારીખે એક ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે. જ્યારે કે, 26 અને 27 માર્ચે ગુજરાતના વાતાવરણમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. 28 તારીખ બાદ તાપમાનમા વધારો જોવા મળશે. 28 થી 31 માર્ચ ઉચા તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે. ગુજરાતમાં આવી રહેલા વાતાવરણના પલટા વચ્ચે પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદની આગાહી કરી છે.

વધુમાં પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ગુજરાતના અમુક વિસ્તારમાં માવઠાની શક્યતા છે. 31 માર્ચથી 5 એપ્રિલ વચ્ચે માવઠાની શક્યતા છે. જેમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા છે. માવઠાને લઈને હજુ આગામી દિવસો વધારે સ્પષ્ટતા થશે કે આવશે કે નહિં.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

અમદાવાદમાં આવતીકાલે જગન્નાથજીની પરંપરાગત જળયાત્રા, 108 કળશથી જળાભિષેક બાદ ગજવેશના થશે દર્શન

અષાઢી બીજની ઐતિહાસિક રથયાત્રા પૂર્વે અમદાવાદના જમાલપુર સ્થિત શ્રી જગન્નાથ મંદિરમાં આવતીકાલે (29 જૂન) પરંપરાગત જળયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પ્રસંગને લઈને મંદિર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ…

‘મન કી બાત’ની ૧૩૫મી કડી: વડાપ્રધાન મોદીએ આજે દેશને આપ્યો વિકાસનો મંત્ર!

‘મન કી બાત’ની ૧૩૫મી કડી: રાષ્ટ્રના નવનિર્માણ અને જનભાગીદારીનું પર્વ! આજે ૨૮ જૂન, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની ૧૩૫મી આવૃત્તિ દ્વારા દેશવાસીઓને સંબોધિત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *