ઈન્ડિગોની આગામી 2–3 દિવસ વધુ ફ્લાઇટ્સ રદ થશે, DGCA પરિસ્થિતિની નજીકથી દેખરેખ રાખી રહ્યું
ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો (IndiGo) છેલ્લા બે દિવસથી ચાલતી ફ્લાઇટ રદ્દી અને લાંબા વિલંબની સમસ્યા વચ્ચે ભારે દબાણમાં છે. દેશભરના એરપોર્ટ્સ પર મુસાફરોની મોટી સંખ્યાએ સોશિયલ મીડિયા પર થયેલી ભારે નારાજગી બાદ DGCA (Directorate General of Civil Aviation) એ ઈન્ડિગો મેનેજમેન્ટને તાત્કાલિક સ્પષ્ટીકરણ માટે બોલાવ્યું છે. ઈન્ડિગોએ DGCA ને જાણ કરી છે કે શેડ્યૂલને સ્થિર કરવા માટે આવતા 2–3 દિવસ સુધી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું છે કે ઓપરેશન્સને સામાન્ય કરવા માટે ફ્લાઇટ્સની સંખ્યા તાત્કાલિક ઘટાડવી જરૂરી છે. ઓપરેશન્સ સામાન્ય કરવાનું ઈન્ડિગોનું પહેલું લક્ષ્ય ન્યૂઝ એજન્સી PTI મુજબ, ઈન્ડિગોએ DGCA ને ખાતરી આપી છે કે 8 ડિસેમ્બરથી વિક્ષેપો ઘટાડવા માટે ફ્લાઇટ ઓપરેશન્સ ઘટાડવાનું શરૂ કરશે. કંપનીના CEO પીટર એલ્બર્સે આંતરિક મેમોમાં જણાવ્યું કે…
અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, મળી હતી આ ધમકી
સાઉદી અરેબિયાના મદીનાથી હૈદરાબાદ, ભારત જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-058નું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. એરપોર્ટ સૂત્રોએ જણાવ્યું હતું કે બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી. વિમાનમાં 180 મુસાફરો અને છ ક્રૂ સભ્યો સવાર હતા. અહેવાલો અનુસાર, વિમાનમાં એક મુસાફરે અચાનક જાહેરાત કરી કે તેની પાસે બોમ્બ છે. આ સાંભળીને, ક્રૂ અને અન્ય મુસાફરો સતર્ક થઈ ગયા. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને તાત્કાલિક જાણ કરવામાં આવી, અને વિમાનને અમદાવાદ એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું સવારે 11.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર વિમાનનું સલામત ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ત્યારબાદ CISF અને એરપોર્ટ સુરક્ષા ટીમોએ વિમાનને ઘેરી લીધું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) એ વિમાનની સંપૂર્ણ તપાસ કરી, પરંતુ…
ઇન્ડિગોની 70થી વધુ ફ્લાઇટ્સ રદ, દેશભરના એરપોર્ટ્સ પર વિલંબનો સામનો
હવાઈ મુસાફરોને છેલ્લા કેટલાક દિવસથી ફ્લાઇટ રદ અને વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ 70થી વધુ ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી છે, જેમાં બેંગલુરુ, મુંબઈ જેવા મુખ્ય શહેરોની ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય છે. આ રદ થયેલી ફ્લાઇટ્સ પાછળ મુખ્ય કારણ ક્રૂની તીવ્ર અછત તરીકે ઓળખાયું છે, જે એટલા માટે ખૂબ અસરકારક બની છે કે ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ્સ પણ મોડી પડી રહી છે. 3 ડિસેમ્બરે ટેકનિકલ ખામીના કારણે વિલંબ બુધવારે 3 ડિસેમ્બરે દેશભરના એરપોર્ટ પર ચેક-ઇન સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વારાણસી એરપોર્ટે આ મુદ્દે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સેવાઓમાં વિક્ષેપની માહિતી જાહેર કરી હતી, પરંતુ માઇક્રોસોફ્ટે તેને ખોટી ગણાવી છે. આ ખામીને લીધે ઇન્ડિગો, સ્પાઇસજેટ, અકાસા એર અને એર ઇન્ડિયા એક્સપ્રેસની સેવાઓ પ્રભાવિત…
એરબસે અચાનક 6,000 વિમાન પાછા ખેંચ્યા, ભારતમાં પણ ફ્લાઇટ્સ પર પડી ગંભીર અસર ; જાણો શું છે મામલો
વિશ્વની સૌથી મોટી વિમાન ઉત્પાદકોમાંની એક, યુરોપિયન જાયન્ટ એરબસે તેના A320-સીરિઝના 6,000 વિમાનોને પાછા બોલાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કંપનીનું કહેવું છે કે એક ગંભીર સોફ્ટવેર સમસ્યા મળી આવી છે જે ફ્લાઇટ નિયંત્રણ જેવી સિસ્ટમોને અસર કરી શકે છે. આ પગલાથી ભારત સહિત વિશ્વભરની એરલાઇન્સ માટે ફ્લાઇટમાં વિલંબ અને રદ થવાની શક્યતા વધી ગઈ છે. એરબસના જણાવ્યા અનુસાર, તાજેતરમાં A320- વિમાન સાથે થયેલા અકસ્માતમાં જાણવા મળ્યું છે કે અવકાશમાંથી નીકળતા તીવ્ર સૌર રેડીશન ફ્લાઇટ નિયંત્રણ ડેટાને અસર કરી શકે છે. આ સમસ્યા વિમાનની ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં ખામી સર્જી શકે છે, જે ફ્લાઇટ કામગીરીને જોખમમાં મૂકી શકે છે. 30 ઓક્ટોબરના રોજ મેક્સિકોથી યુનાઇટેડ સ્ટેટ્સ જતી એક વિમાને ફ્લોરિડાના ટેમ્પામાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યા બાદ આ સમસ્યા શોધી કાઢવામાં આવી…
એર સ્ટ્રાઈક બાદ ભારત એલર્ટ મોડમાં, ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ અનેક ફ્લાઈટ્સ કરી રદ
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે મંગળવારે મોડી રાત્રે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ ઓપરેશન હેઠળ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ પછી, સાવચેતીના પગલા તરીકે, શ્રીનગર એરપોર્ટને સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત, એર ઇન્ડિયાએ બપોરે ૧૨ વાગ્યા સુધી તેની બધી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલો કર્યા બાદ સાવચેતીના પગલા તરીકે શ્રીનગર એરપોર્ટ નાગરિકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્રણેય દળોએ સાથે મળીને ઓપરેશન સિંદૂર ચલાવ્યું. એર ઇન્ડિયાએ એક એડવાઇઝરી જારી કરીને કહ્યું કે, ‘વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, એર ઇન્ડિયાએ 7 મેના રોજ બપોરે 12…
સરકારના નિર્દેશ બાદ એરલાઇન્સ કંપનીઓએ પ્રયાગરાજની ફલાઇટની ટિકીટના ભાવ ઘટાડ્યા
મહાકુંભથી દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. દેશના અલગ-અલગ શહેરોથી લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. આ દરમિયાન હમણાં ફ્લાઇટના ભાવ પણ આસમાને પહોંચ્યા હતા. આ તરફ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઈન્ડિગો એરલાઈને ગુરુવારે જણાવ્યું હતું કે, પ્રયાગરાજની ફ્લાઈટનું ભાડું સ્થિર થઈ ગયું છે અને તેણે મહાકુંભ માટે આ રૂટ પર ફ્લાઈટ્સની સંખ્યા વધારીને 900 કરી દીધી છે. મુસાફરોની વધતી માંગને કારણે પ્રયાગરાજની ફ્લાઈટમાં ભાડામાં વધારાની સતત ફરિયાદો થઈ રહી છે. -> ઈન્ડિગોએ ભાડા સ્થિર રાખવાની ખાતરી આપી :- સરકારે એરલાઇન કંપનીઓને ટિકિટના ભાવ સ્થિર રાખીને આ રૂટ પર વધુ ફ્લાઇટ્સ ઓપરેટ કરવા જણાવ્યું છે. ઈન્ડિગોએ જણાવ્યું હતું કે, એરલાઈને ભાડાં સ્થિર રાખવાની પણ ખાતરી કરી છે અને તે તેના તમામ ગ્રાહકોને…












