કુવૈત-દિલ્હી ફ્લાઇટને મળી બોમ્બ અને હાઇજેકની ધમકી, અમદાવાદમાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ
અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, વિમાન કુવૈતથી દિલ્હી આવી રહ્યું હતું. આ દરમિયાન, વિમાનની અંદરથી એક ટીશ્યુ પેપર મળી આવ્યું જેમાં વિમાનને હાઇજેક કરીને ઉડાવી દેવાની ધમકી લખેલી હતી. ટીશ્યુ પેપર પર નોંધ મળતાં વિમાનમાં હોબાળો મચી ગયો હતો. વિમાનને તાત્કાલિક અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. કુવૈતથી દિલ્હી આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. ત્યારબાદ ફ્લાઇટમાં સવાર 180 મુસાફરો અને તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, કુવૈતથી દિલ્હી આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટમાં ટીશ્યુ પેપર પર લખેલી એક નોટ મળી આવી હતી. ટીશ્યુ પેપર પર લખેલી આ નોટમાં વિમાનને હાઇજેક કરીને ઉડાવી દેવાની…
ઇન્ડિગો પર DGCAનો 22 કરોડનો દંડ ‘નામમાત્ર’, 61% મુસાફરો પરેશાન
ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (IndiGo) સામે DGCA દ્વારા લાદવામાં આવેલા ₹22.2 કરોડના દંડથી મુસાફરો ખુશ નથી. તાજેતરના સર્વેક્ષણમાં 61% મુસાફરોનું માનવું છે કે ડિસેમ્બર 2025માં સર્જાયેલી ફ્લાઇટ કટોકટી માટે આ દંડ અને CEO-COOને આપવામાં આવેલી ચેતવણી પૂરતી નથી. તેઓ દાવો કરે છે કે કંપની માટે આ રકમ ‘લોટમાં મીઠા’ જેવી છે અને ભવિષ્યમાં આવી ભૂલો રોકવા માટે પ્રેરક નથી. શું હતું વિવાદ? 1 નવેમ્બરના નવા પાઇલટ અને ક્રૂ આરામ નિયમો (FDTL) લાગુ કરવામાં ઇન્ડિગો નિષ્ફળ રહી. પૂરતી તૈયારીના અભાવે ૩ થી ૫ ડિસેમ્બર વચ્ચે કંપનીએ 2,500થી વધુ ફ્લાઇટ્સ રદ કરી અને 1,900 ફ્લાઇટ્સ મોડીઓ પડી. પરિણામે, દેશભરના 3 લાખથી વધુ મુસાફરો એરપોર્ટ પર કલાકો સુધી અટવાયા. સર્વેમાં સામે આવેલા આંકડા LocalCircles દ્વારા 29૨ જિલ્લાઓમાં 31,000થી…
સરકારે ઈન્ડિગો સામે મોટી કાર્યવાહી કરવાની કરી તૈયારી, જાણો વિગત
હવાઈ મુસાફરીમાં વિક્ષેપને લઈને સરકારે ઈન્ડિગો સામે મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી છે. કેન્દ્ર સરકારે કોર્ટમાં જણાવ્યું છે કે કંપનીને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. તેણે એમ પણ કહ્યું છે કે કોઈપણ એરલાઈનને મુસાફરોને હેરાન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અગાઉ, ઈન્ડિગોના રૂટમાં 5% ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઇન્ડિગો કટોકટી પર લોકસભામાં બોલતા, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ જણાવ્યું હતું કે, “કામગીરી ઝડપથી સ્થિર થઈ રહી છે, સલામતી સંપૂર્ણ રીતે કાર્યરત છે, ઇન્ડિગોને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે, મુસાફરોના આરામ અને ગૌરવનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ભારતના ઉડ્ડયન ક્ષેત્રને વધુ મુસાફરો-કેન્દ્રિત બનાવવા માટે લાંબા ગાળાના પગલાં લેવામાં આવી રહ્યા છે….” તેમણે કહ્યું, “ઈન્ડિગોની સમસ્યાઓ હવે ઉકેલાઈ રહી છે. દેશભરની અન્ય…
ઇન્ડિગોની ‘પાછા ફરવાની’ શરૂઆત, રવિવારે 1,650 ફ્લાઇટ્સનું કરવામાં આવશે સંચાલન
છેલ્લાં કેટલાક દિવસોથી સતત ફ્લાઇટ વિલંબ અને રદબાતલને કારણે દેશભરમાં હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતુ હવે ઇન્ડિયાની સૌથી મોટી એરલાઇન IndiGo ધીમે ધીમે પોતાની સામાન્ય કામગીરી તરફ પરત ફરી રહી છે. કંપનીના સીઇઓ પીટર એલ્બર્સે રવિવારે સ્ટાફને એક આંતરિક વિડિયો સંદેશમાં જણાવ્યું કે એરલાઇન દિવસ દરમિયાન લગભગ 1,650 ફ્લાઇટ્સનું સંચાલન કરશે. એલ્બર્સે કહ્યું, “સ્ટેપ બાય સ્ટેપ, અમે પાછા ફરી રહ્યા છીએ.” ગયા ત્રણ દિવસની પરિસ્થિતિ સામાન્ય પરિસ્થિતિમાં ઇન્ડિગો દરરોજ આશરે 2,300 ફ્લાઇટ્સ ચલાવે છે, પરંતુ ગઈ કાલે અને ત્યારપહેલાના દિવસોમાં પરિસ્થિતિ કાફી બગડી ગઈ હતી: – શુક્રવાર: માત્ર 700 થી થોડું વધારે ફ્લાઇટ્સનું સંચાલન – શનિવાર: સંચાલન વધીને લગભગ 1,500 ફ્લાઇટ્સ – રવિવાર (અપેક્ષિત): 1,650 ફ્લાઇટ્સ સુધી પહોંચવાની આશા કંપનીના જણાવ્યા અનુસાર, મુસાફરોને એરપોર્ટ સુધી…
ઇન્ડિગોનો મુદ્દો ઉઠ્યો સંસદમાં, કોંગ્રેસ નેતાએ સરકાર પર સાધ્યું નિશાન
આજે સંસદના શિયાળુ સત્રમાં ઇન્ડિગોના સંચાલન સંકટનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ ઇન્ડિગોના સંચાલનમાં વિક્ષેપને કારણે મુસાફરોને થઈ રહેલી અસુવિધાનો ઉલ્લેખ કરતા કહ્યું કે સરકારે સંસદના ફ્લોર પરથી જણાવવું જોઈએ કે તે આ કટોકટીના ઉકેલ માટે શું પગલાં લઈ રહી છે. પ્રશ્નકાળ પૂરો થયા પછી ઇન્ડિગોનો મુદ્દો ઉઠાવતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે સરકારે જણાવવું જોઈએ કે ઉડ્ડયન મંત્રાલય આ કટોકટીનો ઉકેલ લાવવા માટે શું પગલાં લઈ રહ્યું છે. સ્પીકર ઓમ બિરલાએ ગોગોઈને ખાતરી આપી હતી કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પછીથી જવાબ આપશે. તેઓ આજે લોકસભામાં હાજર નહોતા. ત્યારબાદ લોકસભાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર ચર્ચા શરૂ કરી. પીએમ મોદી પછી, ગોગોઈએ પણ આ વિષય પર…
ઇન્ડિગો મુસાફરોને મોટી રાહત: 5–15 ડિસેમ્બર વચ્ચેની તમામ ટિકિટ પર રિફંડ-રિશેડ્યૂલિંગ ફ્રી
ઇન્ડિગો ફ્લાઇટ્સના વિલંબ અને રદ્દીકરણને કારણે દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અફરાતફરી વચ્ચે મુસાફરોને મોટી રાહત મળી છે. એરલાઇને 5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર વચ્ચે બુક કરાયેલી તમામ ટિકિટ પર રિશેડ્યૂલિંગ અને કેન્સલેશન ફી સંપૂર્ણપણે માફ કરી છે. મુસાફરોને રિફંડની પ્રક્રિયા ઓટોમેટિક શરૂ થશે, તેમજ એરલાઇને અસુવિધા બદલ માફી પણ માંગી છે. આ સાથે જ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતાં પાયલટ્સ માટેનો ફરજિયાત 48 કલાકનો ‘વિકલી રેસ્ટ’નો નવો નિયમ પાછો ખેંચી લીધો છે. પાયલટની અછત દૂર થતાં હવે ઓપરેશન્સ પરનું દબાણ ઘટશે અને ફ્લાઇટ શેડ્યૂલ ઝડપી સ્થિર થવાની આશા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે આજ રાતથી જ ઇન્ડિગો ફ્લાઇટ્સનું શેડ્યૂલ સામાન્ય થવાનું શરૂ થઈ જશે, જ્યારે મુસાફરોને એરપોર્ટ જવા પહેલાં ઘરેથી જ ફ્લાઇટ…















