સરકારના નિર્દેશ બાદ એરલાઇન્સ કંપનીઓએ પ્રયાગરાજની ફલાઇટની ટિકીટના ભાવ ઘટાડ્યા

મહાકુંભથી દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. દેશના અલગ-અલગ શહેરોથી લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. આ દરમિયાન હમણાં ફ્લાઇટના ભાવ પણ આસમાને પહોંચ્યા હતા. આ તરફ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઈન્ડિગો એરલાઈને ગુરુવારે જણાવ્યું હતું કે, પ્રયાગરાજની ફ્લાઈટનું ભાડું સ્થિર થઈ ગયું છે અને તેણે મહાકુંભ માટે આ રૂટ પર ફ્લાઈટ્સની સંખ્યા વધારીને 900 કરી દીધી છે. મુસાફરોની વધતી માંગને કારણે પ્રયાગરાજની ફ્લાઈટમાં ભાડામાં વધારાની સતત ફરિયાદો થઈ રહી છે.

-> ઈન્ડિગોએ ભાડા સ્થિર રાખવાની ખાતરી આપી :- સરકારે એરલાઇન કંપનીઓને ટિકિટના ભાવ સ્થિર રાખીને આ રૂટ પર વધુ ફ્લાઇટ્સ ઓપરેટ કરવા જણાવ્યું છે. ઈન્ડિગોએ જણાવ્યું હતું કે, એરલાઈને ભાડાં સ્થિર રાખવાની પણ ખાતરી કરી છે અને તે તેના તમામ ગ્રાહકોને શ્રેષ્ઠ મુસાફરીનો અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે. બુધવારે સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈન્ડિગોએ પ્રયાગરાજ ફ્લાઈટના ભાડામાં 30-50 ટકાનો ઘટાડો કર્યો છે. એરલાઈન અનુસાર તેમણે મહાકુંભ દરમિયાન પ્રયાગરાજ એરપોર્ટથી ફ્લાઈટ્સ અને સીટ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે. કંપનીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ સમયગાળા દરમિયાન ઈન્ડિગો પ્રયાગરાજને ભારતમાં 10 સ્થળો સાથે જોડશે. તેમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, લખનૌ, રાયપુર અને ભુવનેશ્વર સાથેની હાલની કનેક્ટિવિટી ઉપરાંત અમદાવાદ, કોલકાતા અને જયપુરની ફ્લાઈટ્સનો સમાવેશ થશે”

-> ફ્લાઈટ્સની સંખ્યામાં પણ વધારો :- આ તરફ Akasa Air એ પણ પ્રયાગરાજ માટે ફ્લાઇટના ભાડામાં 30-45 ટકાનો ઘટાડો કર્યો છે. આ સાથે એરલાઈને શહેરમાં ફ્લાઈટની સંખ્યામાં પણ વધારો કર્યો છે. અકાસા એરએ કહ્યું કે, તેમણે પુણે, હૈદરાબાદ, અમદાવાદ અને બેંગલુરુથી પ્રયાગરાજ માટે વિશેષ ફ્લાઇટ શરૂ કરી છે. આ મુંબઈ અને દિલ્હીથી દૈનિક સીધી ફ્લાઇટ સેવા ઉપરાંત છે.

-> મહાકુંભમાં વસંત પંચમી પર અમૃત સ્નાનની યોજનામાં મોટો ફેરફાર :- મહાકુંભમાં થયેલી નાસભાગને જોતા હવે મેળા વિસ્તારમાં ભક્તોની સલામતી માટે નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે. જ્યાં ભીડનું દબાણ વધે છે તેવા વિસ્તારોની ઓળખ કરીને વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવશે. ડાયવર્ઝન પર ખાસ ભાર મૂકવામાં આવશે અને ભીડનું દબાણ વધે નહીં તેની ખાતરી કરવામાં આવશે. વધુ ઘણા રૂટને વન વે બનાવવામાં આવી રહ્યા છે. સંગમ પર વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે અને ત્યાં વધુ પાંચ સ્થળોએ બેરિકેડીંગ કરવામાં આવશે.

Related Posts

Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત

ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન…

મધર્સ-ડે/ ઐતિહાસિક ધરોહર ઉપરકોટનાં કિલ્લામાં નોકરી કરતા સ્ટાફની માતાઓએ માણી મોજ

આપણી સંસ્કૃતિ પ્રમાણે મધર્સ-ડે હોય જ ન શકે, કારણ કે આપણી સંસ્કૃતિમાં માઁ ને ભગવાન કરતા પણ ઉપરનો દરજ્જો પ્રાપ્ત છે. અહીં માઁ નો દિવસ હોય જ ન શકે અહીં તો સમગ્ર જીવન અને જીવન પર્યાતનો કાળ પણ માઁ માટે સમર્પિત છે. પરંતુ આજે વિશ્વની તમામ સંસ્કૃતિ એક સાથે ચાલતી દેખાય છે. અને સનાતની ભારત તમામને નાત-જાત, દેશ, ઘર્મને સાથે રાખીને ચાલતો દેશ છે. ભારતએ વિશ્વનો એક માત્ર એવો દેશ છે જેની માતૃ વિભક્તિ છે અને માટે જ ભારત માતા ની જય કહેવામાં આવે છે. આવા ઐતિહાસિક દેશનાં ઐતિહાસિક જૂનાગઢનાં ઐતિહાસિક સ્થળ એવા ઉપરકોટનાં કિલ્લા ખાતે પણ માઁ માટે અને માઁ સાથે ઉજવણી કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *