gandhinagar : ગુજરાતનાં 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર, અનેક શહેરોમાં હજી પણ વધશે ગરમી

ગુજરાતનાં 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર થયો છે. જો કે, આજથી ગરમીથી આશિંક રાહત મળશે તેવી વાત સામે આવી છે તો તાપમાનમાં 2-4 ડિગ્રી જેટલો ઘટાડો થશે. સાથે સાથે મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે તો કેટલાક જિલ્લામાં તાપમાન ઊંચુ રહેવાની સંભાવના છે અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન ઊંચુ રહેશે તો બીજી તરફ પોરબંદર, કચ્છમાં તાપમાન ઊંચુ રહેશે અને ઉત્તર પૂર્વના પવનોને લીધે ગરમીની અસર રહેશે. આ પણ વાંચો :- Rajkot : રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલનો વિવાદ, 7 ટાંકાનું બિલ દોઢ લાખ રૂપિયા આ શહેરોમાં હજી પણ વધશે ગરમી :- આગામી 3-4 દિવસ તાપમાન 40થી 42 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ગરમી વધવાની સંભાવના પ્રબળ છે. એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવશે.…

લીંબુના ભાવમાં અધધ…વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. બદલાતા હવામાન સાથે શાકભાજીના ભાવમાં ધરખમ બદલાવ થઈ રહ્યો છે. ગરમીનો પારો વધતા જ લીંબુના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. ગરમીમાં સૌથી વધુ વપરાશમાં લેવાતા લીંબુની માગ વધારે હોય છે. ત્યારે વધતા ભાવના કારણે ગૃહિણીઓની ચિંતામાં વધારો થયો છે. એક સપ્તાહ પહેલા લીંબુના ભાવ 100 રૂ કિલો હતા જ્યારે આ સપ્તાહની શરૂઆત સાથે જ સીધા 60 રૂપિયા વધતા પ્રતિ કિલો લીંબુના ભાવ 160 એ પંહોચ્યા છે. જથ્થાબંધ માર્કેટમાં લીંબુનું 160 રુપિયામાં વેચાણ થાય છે જ્યારે છૂટક બજારમાં 200 રૂ કિલોએ વેચાય છે. આમ, એક જ સપ્તાહની અંદર લીંબુમાં સીધો 60 રૂપિયાનો વધારો થતા ગૃહિણીઓનું મહિનાનું બજેટ ખોરવાઈ ગયું છે. આ પણ વાંચો :- સુજી ઢોકળા રેસીપી: સોજી…

Vadodara : ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, ભાયલીમાં અશાંતધારો લાગુ કરવા કરાઈ રજૂઆત

ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા ધારાસભ્ય શૈલેશ મહેતાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, ભાયલી વિસ્તારનો ડભોઇ વિધાનસભામાં સમાવેશ થયો છે. અને આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લઘુમતી સમુદાયની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. લઘુમતી વસ્તીમાં વધારો થતાં અન્ય ધર્મના સ્થાનિકો સ્થળાંતર કરી રહ્યા છે. આ પણ વાંચો :- gandhinagar : રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત માટે ફરીથી કવાયત તેજ, શહેરી વિસ્તારમાં કડક અમલીકરણ માટે અપાઈ સૂચના લઘુમતી સમુદાયનું અતિક્રમણ રોકવા ધારાસભ્યએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અશાંતધારો લાગુ કરવા રજૂઆત કરી છે. વધુમાં ધારાસભ્યએ આ પત્રમાં જણાવ્યું કે, ભાયલી વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ સહિતની અન્ય યોજનાની શરૂઆત કરી. પરંતુ પ્રધાનમંત્રી આવાસના મકાનો મોટાભાગે લઘુમતી સમુદાયને ફાળવવામાં આવ્યા…

Navsari : નવસારીમાં મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીનું સંબોધન, કહ્યું-“પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ માટે માતૃશક્તિને નમન કરૂ છું.”

B INDIA Navsari : નવસારીનાં વાંસી-બોરસીમાં ‘લખપતિ દીદી’ કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ” મહાકુંભમાં માતા ગંગાના આશીર્વાદ મળ્યા હતા અને આજે માતૃશક્તિના આ મહાકુંભમાં તેમને બધી માતાઓ અને બહેનોના આશીર્વાદ મળ્યા છે. આજે, મહિલા દિવસ પર, મારી માતૃભૂમિ ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં બધી માતાઓ, બહેનો અને પુત્રીઓ તરફથી મળેલા પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ માટે માતૃશક્તિને નમન કરૂ છું.” આ પણ વાંચો :- PM મોદીએ મહિલા દિવસની પાઠવી શુભેચ્છા, કહ્યું ‘મહિલા શક્તિને સલામ’ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજનો દિવસ દરેક માટે મહિલાઓ પાસેથી પ્રેરણા લેવાનો અને તેમની પાસેથી શીખવાનો છે. તમામ મહિલાઓને અભિનંદન અને આભાર માનતા પીએમ મોદીએ કહ્યું કે, તેઓ ગર્વથી કહી શકે છે કે, તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમના જીવનના…

ઉનાળાની શરૂઆતમાં લીંબુનાં ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ગરમીની શરૂઆતમાં લીંબુનાં ભાવમાં ભડકો થયો છે. ભાવનગરની બજારમાં લીંબુના ભાવમાં વધારો થયો છે. ઉનાળા શરૂઆત થતા જ લીંબુના ભાવ વધતા લોકોને પરસેવો વળી ગયો છે. ત્યારે આગામી દિવસમાં હજુ લીંબુનાં ભાવ વધવાની શક્યતા છે. સમગ્ર દેશમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. જેને પગલે આગ વરસાવતી ગરમી લાગી રહી છે. આવી ગરમીથી રાહત મેળવવા માટે લોકો લીંબુ શરબત પીતા હોય છે. જેથી આ સીઝનમાં લીંબુનું વેચાણ પણ વધારે થતું હોય છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવમાં વધારો નોંધાયો છે. આ પણ વાંચો :- પનીર બટર મસાલા રેસીપી: પનીર બટર મસાલા રાત્રિભોજનને ખાસ બનાવશે, મહેમાનોને ગમશે, રેસીપી જાણો સુરતમાં પ્રતિકિલો લીંબુનો ભાવ રૂ.100થી 125 પર પહોંચ્યા છે. ગયા મહિને કિલો લીંબુનો ભાવ રુ.30થી 45 હતો. લીંબુના…

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે થઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલ, આ છે આખું સમીકરણ

અફઘાનિસ્તાનની ટીમે શાનદાર પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડને 8 રનથી હરાવીને સેમીફાઈનલમાં પહોંચવાની આશાઓ વધારી દીધી હતી. અફઘાનિસ્તાનની જીતે ઈંગ્લેન્ડ (AFG vs ENG) ને સેમિફાઈનલની રેસમાંથી બહાર કરી દીધી છે. આ જીત સાથે અફઘાનિસ્તાનની ટીમ હવે સેમીફાઈનલમાં પહોંચવાની આશા રાખી શકે છે. તમને જણાવી દઈએ કે આ જીત સાથે અફઘાનિસ્તાનની ટીમ -0.990ના રન રેટ સાથે ગ્રુપ બીમાં ત્રીજા સ્થાન પર આવી ગઈ છે. હવે અફઘાનિસ્તાન પાસે સેમિફાઇનલમાં જવાની તક છે. અફઘાનિસ્તાન ટીમની આગામી મેચ 28 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે થવાની છે. આ મેચ જીતીને અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકે છે. હવે બીજી તરફ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પણ સેમીફાઈનલ થઈ શકે છે કે કેમ તે અંગે પણ ચર્ચા થઈ રહી છે. કારણ કે ભારતીય ટીમ પહેલાથી જ સેમીફાઈનલમાં…