ઉનાળાની શરૂઆતમાં લીંબુનાં ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ગરમીની શરૂઆતમાં લીંબુનાં ભાવમાં ભડકો થયો છે. ભાવનગરની બજારમાં લીંબુના ભાવમાં વધારો થયો છે. ઉનાળા શરૂઆત થતા જ લીંબુના ભાવ વધતા લોકોને પરસેવો વળી ગયો છે. ત્યારે આગામી દિવસમાં હજુ લીંબુનાં ભાવ વધવાની શક્યતા છે. સમગ્ર દેશમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. જેને પગલે આગ વરસાવતી ગરમી લાગી રહી છે. આવી ગરમીથી રાહત મેળવવા માટે લોકો લીંબુ શરબત પીતા હોય છે. જેથી આ સીઝનમાં લીંબુનું વેચાણ પણ વધારે થતું હોય છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવમાં વધારો નોંધાયો છે.

આ પણ વાંચો :- પનીર બટર મસાલા રેસીપી: પનીર બટર મસાલા રાત્રિભોજનને ખાસ બનાવશે, મહેમાનોને ગમશે, રેસીપી જાણો

સુરતમાં પ્રતિકિલો લીંબુનો ભાવ રૂ.100થી 125 પર પહોંચ્યા છે. ગયા મહિને કિલો લીંબુનો ભાવ રુ.30થી 45 હતો. લીંબુના ભાવમાં વધારાને લઈને વેપારીઓનું કહેવુ છે કે, બજારમાં વપરાશના હિસાબે સપ્લાય થઈ રહ્યો નથી. જેના કારણે બજારમાં લીંબુ નથી અને તેની ડિમાન્ડ વધી ગઈ છે. એવામાં લીંબુના ભાવમાં વધારો થયો છે. બજારમાં લગભગ એક મહિના પહેલા રુ.30થી 45 રૂપિયા કિલોના ભાવે લીંબુ મળી રહ્યા હતા પરંતુ હવે લીંબુ લગભગ બમણાથી પણ વધુ કિંમતે મળી રહ્યા છે. એટલે કે હવે એક કિલો લીંબુના 100થી 125 રૂપિયા થઈ ગયા છે.

આ પણ વાંચો :- હૃદય સ્વાસ્થ્ય: 40 વર્ષની ઉંમર પછી તમારા હૃદયનું ખાસ ધ્યાન રાખો, હૃદય 6 રીતે સ્વસ્થ બનશે; સ્વસ્થ રહીશ.

આજે રુ.1000 થી 1400 મણનો ભાવ APMCમાં બોલાયો છે. લોકોનું કહેવુ છે કે, લીંબુની વધતી કિંમતે ચિંતા વધારી દીધી છે. જો આ જ સ્થિતિ રહી તો મે-જૂનના મહિનામાં લીંબુની કિંમત 200 રૂપિયા કિલોથી પણ વધુ થઈ શકે છે. અન્ય રાજ્યોમાં પણ લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજસ્થાન સહિત અલગ-અલગ રાજ્યોમાં લીંબુના ભાવ વધી રહ્યા છે. અનુમાન છે કે, 2-3 મહિના સુધી લીંબુના ભાવમાં ઘટાડો થશે નહીં.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ચામડી દઝાડતા તાપમાં કેવા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું? ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો

ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે, જેમાંથી એક છે ત્વચા સંબંધિત સમસ્યાઓ. હકીકતમાં, સૂર્યના તીવ્ર કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નોંધપાત્ર નુકસાન થાય છે. યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી ત્વચામાં વિવિધ ફેરફારો થાય છે, જેમ કે શુષ્કતા, કરચલીઓ, ઇલાસ્ટિન અને કોલેજનનું ભંગાણ, ફ્રીકલ્સ અને ઉંમરના ફોલ્લીઓ. તેથી, આ ઋતુ દરમિયાન, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય SPF સ્તર સાથે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.

Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *