Vadodara : ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, ભાયલીમાં અશાંતધારો લાગુ કરવા કરાઈ રજૂઆત

ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા ધારાસભ્ય શૈલેશ મહેતાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, ભાયલી વિસ્તારનો ડભોઇ વિધાનસભામાં સમાવેશ થયો છે. અને આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લઘુમતી સમુદાયની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. લઘુમતી વસ્તીમાં વધારો થતાં અન્ય ધર્મના સ્થાનિકો સ્થળાંતર કરી રહ્યા છે.

આ પણ વાંચો :- gandhinagar : રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત માટે ફરીથી કવાયત તેજ, શહેરી વિસ્તારમાં કડક અમલીકરણ માટે અપાઈ સૂચના

લઘુમતી સમુદાયનું અતિક્રમણ રોકવા ધારાસભ્યએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અશાંતધારો લાગુ કરવા રજૂઆત કરી છે. વધુમાં ધારાસભ્યએ આ પત્રમાં જણાવ્યું કે, ભાયલી વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ સહિતની અન્ય યોજનાની શરૂઆત કરી. પરંતુ પ્રધાનમંત્રી આવાસના મકાનો મોટાભાગે લઘુમતી સમુદાયને ફાળવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ભાયલી વિસ્તારમાં ધીરે-ધીરે લઘુમતી સમુદાયની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

સરકારી યોજનાનો લાભ લેવા તાંદલજા વિસ્તારમાંથી પણ લઘુમતી વસ્તી વાસણા ભાયલી તરફ વધી રહી છે અને તેના કારણે ત્યાં વર્ષોથી રહેતા સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે. આ વિસ્તારમાં નવા સ્થાપિત થતાં લઘુમતી સમુદાયને મળતા વિવિધ લાભોના કારણે વર્ષોથી રહેતા સ્થાનિકોની સમસ્યાને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. આથી લોકોની લાગણીને ધ્યાનમાં રાખતા ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા બે કોમ વચ્ચે વધુ સંઘર્ષ પેદા ના થયા માટે ભાયલીમાં અશાંત ધારો લાગુ કરવાને લઈને રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો :- Rajkot : ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરુઆત! આ 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

શહેરમાં અગાઉ પણ અન્ય એક વિસ્તાર ફતેગંજમાં અશાંતધારો લાગુ કરવાની માંગ કરાઈ હતી. કારણ કે આ વિસ્તારમાં છેલ્લા થોડા વર્ષોમાં ધર્મ આધારિત સંખ્યામાં મોટા ફેરફાર જોવા મળ્યા હતા. ફતેગંજમાં મુસ્લિમ સમુદાયની સંખ્યા વધતા હિન્દુઓ મકાન અને દુકાન છોડી અન્ય સ્થળો પર જવા લાગ્યા. જેના કારણે ત્યાં વર્ષોથી રહેતા હિદુ સમુદાય દ્વારા ફતેગંજમાં અશાંતધારો લાગુ કરવાને લઈને તેમના ધારાસભ્યને રજૂઆત કરી હતી.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ વરસતા ગરમીથી મળી રાહત

છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત દક્ષિણ ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે નવસારી અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી…

શું છે આ 1200 કિમી ચાલતી કારનું અસલી રહસ્ય? પેટ્રોલ અને બેટરીની એવી જુગલબંધી જે તમે ક્યારેય નહીં જોઈ હોય!

નવી દિલ્હી / અમદાવાદ: ભારતીય ઓટોમોબાઈલ સેક્ટરમાં અત્યાર સુધી જેની માત્ર ચર્ચાઓ ચાલતી હતી, તે ક્રાંતિની હવે સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે. વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની BYD…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *