સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી: કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલની તાત્કાલીક બદલી

અહીના કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે ED દ્વારા 1500 કરોડના જમીન કૌભાંડની તપાસ હેઠળ મોટું એક્શન લેવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન તાત્કાલીક અસરથી કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલને બદલી કરી સામાન્ય વહીવટ વિભાગમાં મુકાયા છે, અને ડીડીને કલેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ED દ્વારા દરોડા અને ધરપકડ બુધવારે EDની ટીમે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, NA શાખાના ક્લાર્ક મયુર ગોહિલ, કલેક્ટરના PA જયરાજસિંહ ઝાલા અને અન્ય અધિકારીઓના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા. દરોડા દરમિયાન 67.50 લાખ રોકડ, દસ્તાવેજો અને ડિજિટલ ડેટા કબ્જે લેવામાં આવ્યા. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને EDની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માટે અરજી કરવામાં આવશે. કૌભાંડના કારણો સૂત્રોના જણાવ્યા મુજબ, કૌભાંડ જમીન સંપાદન અને NA (નન એગ્રિકલ્ચરલ) મંજૂરીઓમાં…