અમદાવાદ મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી સંદર્ભે રાજકીય સભાઓ-સરઘસોની પરવાનગી માટે ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ કાર્યરત કરાઈ
અમદાવાદ: રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના જાહેરનામા ક્રમાંક: ચટણ-નપા-મકા-8012025- ક/2909, થી 2850 તા. 01/04/2026 અન્વયે માહે એપ્રિલ-2026 માં અમદાવાદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તેમજ આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારોને વિવિધ પ્રકારની પરવાનગીઓ મેળવવામાં સરળતા રહે તે માટે કલેક્ટર કચેરી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 06 એપ્રિલ 2026 થી રાજકીય ઉમેદવારોને જાહેર સભા, સરઘસ કે અન્ય ચૂંટણીલક્ષી કાર્યક્રમોની પરવાનગી આપવા માટે ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ (Single Window System) ગ્રાઉન્ડ ફ્લોર, મામલતદાર (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) ની કચેરી, કલેક્ટર કચેરી કંપાઉન્ડ, સુભાષબ્રિજ પાસે, અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવી…
‘ભારત ગૌરવ ટ્રેન’ દ્વારા મે માસમાં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’નું ભવ્ય આયોજન
ભારતીય રેલ્વેના ઉપક્રમે દક્ષિણ ભારતના વિવિધ પ્રસિદ્ધ યાત્રાધામના આરામદાયક અને સલામત પ્રવાસ માટે વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેમાં ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિ. (IRCTC) દ્વારા સરકારી કર્મયોગીઓ અને શ્રદ્ધાળુઓ માટે આગામી મે 2026 માં એક વિશેષ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.‘ભારત ગૌરવ ટ્રેન’ અંતર્ગત આગામી દિ. 12 થી 22 મે, 2026 દરમિયાન ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’ સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ’ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ અને પવિત્ર ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 11 દિવસીય પ્રવાસ દરમિયાન યાત્રિકોને પ્રસિદ્ધ યાત્રાધામ તિરુપતિ બાલાજી, રામનાથસ્વામી જ્યોતિર્લિંગ મંદિર, મીનાક્ષી મંદિર, કન્યાકુમારી તેમજ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન સહિત વિવિધ સ્થાનિક સ્થળોનો પ્રવાસ કરવાનો લ્હાવો મળશે. આ યાત્રાનું પ્રસ્થાન ગુજરાતમાંથી તા. 12 મે 2026…
કલોલમાં મહિલા હોમગાર્ડ પર એસિડ હુમલો: રિક્ષા ચાલકને 15 વર્ષની સજા
ગાંધીનગર જિલ્લાના કલોલમાં મહિલા હોમગાર્ડ પર થયેલા ગંભીર એસિડ હુમલા કેસમાં ન્યાયાલયે કડક ચુકાદો આપ્યો છે. કલોલની સેશન્સ કોર્ટે આરોપી રિક્ષા ચાલકને 15 વર્ષની કેદની સજા ફટકારી છે, સાથે જ 1 લાખ રૂપિયાનો દંડ અને પીડિતાને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ઘટના શું હતી? આ બનાવ 18 જુલાઈ 2025નો છે, જ્યારે કલોલના છત્રાલ બ્રિજ નીચે મહિલા હોમગાર્ડ ભાવનાબેન પરમાર ટ્રાફિક નિયંત્રણની ફરજ બજાવી રહી હતી. આ દરમિયાન આરોપી અશોકભાઈ રમેશભાઈ રાવત પોતાની રિક્ષા ટ્રાફિકમાં અવરોધરૂપ રાખી હતી. ભાવનાબેને રિક્ષા ખસેડવા કહ્યું ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો અને બોલાચાલી કરીને ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ તેણે મનમાં બદલો રાખ્યો હતો. બદલાની ભાવનાથી હુમલો થોડીવાર બાદ આરોપી ફરી ઘટનાસ્થળે પરત આવ્યો અને મહિલા હોમગાર્ડ પર એસિડથી હુમલો…
સરકારી કર્મયોગીઓને ઉનાળુ વેકેશન દરમિયાન : ‘ભારત ગૌરવ ટ્રેન’ દ્વારા મે માસમાં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’નું ભવ્ય આયોજન
ભારતીય રેલ્વેના ઉપક્રમે દક્ષિણ ભારતના વિવિધ પ્રસિદ્ધ યાત્રાધામના આરામદાયક અને સલામત પ્રવાસ માટે વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેમાં ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિ. (IRCTC) દ્વારા સરકારી કર્મયોગીઓ અને શ્રદ્ધાળુઓ માટે આગામી મે 2026માં એક વિશેષ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.’ભારત ગૌરવ ટ્રેન’ અંતર્ગત આગામી દિ. ૧૨ થી ૨૨ મે, ૨૦૨૬ દરમિયાન ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’ સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ’ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ અને પવિત્ર ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ૧૧ દિવસીય પ્રવાસ દરમિયાન યાત્રિકોને પ્રસિદ્ધ યાત્રાધામ તિરુપતિ બાલાજી, રામનાથસ્વામી જ્યોતિર્લિંગ મંદિર, મીનાક્ષી મંદિર, કન્યાકુમારી તેમજ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન સહિત વિવિધ સ્થાનિક સ્થળોનો પ્રવાસ કરવાનો લ્હાવો મળશે. આ યાત્રાનું પ્રસ્થાન ગુજરાતમાંથી તા. 12 મે 2026ના રોજ…
અમદાવાદ મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી સંદર્ભે સભાઓ-સરઘસોની પરવાનગી માટે ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ કાર્યરત કરાઈ
રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરના જાહેરનામા અન્વયે એપ્રિલ-૨૦૨૬માં અમદાવાદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તેમજ આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારોને વિવિધ પ્રકારની પરવાનગીઓ મેળવવામાં સરળતા રહે તે માટે કલેક્ટર કચેરી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ ૦૬ એપ્રિલ ૨૦૨૬ થી રાજકીય ઉમેદવારોને જાહેર સભા, સરઘસ કે અન્ય ચૂંટણીલક્ષી કાર્યક્રમોની પરવાનગી આપવા માટે ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ (Single Window System) ગ્રાઉન્ડ ફ્લોર, મામલતદાર (ડિઝાસ્ટર મેનેજમેન્ટ)ની કચેરી, કલેક્ટર કચેરી કંપાઉન્ડ, સુભાષબ્રિજ પાસે, અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવી છે. ચૂંટણી લડતા તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષોએ સભા કે…
ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 પૂર્વ તૈયારી માટે પ્રથમ કોમનવેલ્થ સ્પોર્ટ ટિમની મુલાકાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક અને સાઈટ વિઝિટ
ગુજરાત અને અમદાવાદમાં 2030 માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વતૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ પ્રથમવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી છે. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ યુત ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં આ ટિમના પાંચ સભ્યો ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોશીએસનના પદાધિકારીઓ સાથે 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા-સૌજન્ય મુલાકાતથી આ ડેલિગેશને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરે અને સીઈઓ સુશ્રી કાટે સેડલીરે ગુજરાતમાં તેમને મળેલા ઉષ્માપૂર્ણ આવકાર અને આતિથ્ય સત્કાર માટે પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટાઇમ બાઉન્ડ, ક્વોલિટીવ અને ઇફેક્ટિવ પ્લાનિંગના આપેલા મંત્રને સાકાર કરીને શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ટિમવર્કથી કાર્યરત રહીને આ ગેમ્સ ભવ્યતા પૂર્વક યોજવાનું રાજ્ય સરકારનું કમિટમેન્ટ…
સાવધાન! અમદાવાદમાં નકલી પનીર કૌભાંડ:ગોતા અને નરોડામાં ભાંડાફોડ, ખાદ્ય સુરક્ષા પર ઉઠ્યા ગંભીર પ્રશ્નો
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોતા અને નરોડા વિસ્તારોમાં નકલી પનીરનું ધડાધડ વેચાણ થતું હોવાનો ભાંડાફોડ થયો છે. હેલ્થ વિભાગે મળેલી માહિતીના આધારે કાર્યવાહી કરતાં નકલી પનીરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે અને તેને સીલ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ પનીર સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે અને તેમાં ગુણવત્તા ધોરણોનું પાલન કરવામાં આવ્યું નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ, કેટલાક વેપારીઓ દ્વારા સસ્તા અને નકલી પનીર બનાવીને બજારમાં વેચાણ કરવામાં આવતું હતું, જે ગ્રાહકોના આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. આ ઘટનાને પગલે તંત્ર વધુ સતર્ક બન્યું છે અને શહેરના અન્ય વિસ્તારોમાં પણ ચકાસણી શરૂ કરવામાં આવી છે. સાથે જ નાગરિકોને પનીર ખરીદતી વખતે…
પશ્ચિમ એશિયા તણાવ વચ્ચે ચીનની મજબૂત ઉર્જા નીતિ: વૈશ્વિક સંકટમાં સ્થિરતા તરફ એક પગલું
પશ્ચિમ એશિયામાં વધતા તણાવના કારણે અનેક દેશો ઉર્જા સંકટનો સામનો કરી રહ્યા છે. તેલના ભાવમાં વધારાની સાથે વૈશ્વિક સપ્લાય ચેઇન પણ અસરગ્રસ્ત થઈ છે. છતાં, આ પરિસ્થિતિમાં ચીન પર તેની અસર તુલનાત્મક રીતે ઓછી જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ છે ચીનની લાંબા ગાળાની વ્યૂહાત્મક તૈયારી અને ઉર્જા ક્ષેત્રમાં કરવામાં આવેલા પરિવર્તનો. ચીન વિશ્વનો સૌથી મોટો ક્રૂડ ઓઈલ આયાતકાર દેશ છે. સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં તેને સૌથી વધુ નુકસાન થવાનું હોય, પરંતુ ચીને પહેલેથી જ વિશાળ પ્રમાણમાં ઓઈલનો સ્ટ્રેટેજિક સંગ્રહ (Strategic Petroleum Reserve) તૈયાર કરી રાખ્યો છે. આ સંગ્રહ ચીનને વૈશ્વિક પુરવઠામાં આવેલા આંચકાઓ સામે મજબૂત બનાવે છે. આ ઉપરાંત, ચીને તેની ઉર્જા નીતિમાં મોટા ફેરફારો કર્યા છે. પરંપરાગત ફોસિલ ફ્યુઅલ પર નિર્ભર રહેવાના બદલે,…
RBI ગવર્નર સંજય મલ્હોત્રાનો ચેતાવણી સંદેશ,નિકાસ 0.2% ઘટી, વેપારી આયાતમાં 22%થી વધુનો વધારો
RBI (Reserve Bank of India) ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે, ભારતની વેપારી નિકાસ આ વર્ષના પ્રથમ બે મહિનામાં વાર્ષિક ધોરણે 0.2% ઘટી છે જે મુખ્ય બજારોમાં નિકાસ સંકોચનનું પરિણામ છે બીજી તરફ, વેપારી આયાતમાં 22%થી વધુનો બે-અંકનો વધારો નોંધાયો છે, ખાસ કરીને સોનાની આયાત વધવાથી. પરિણામે, વેપાર ખાધમાં વધારો થયો છે.ગયા વર્ષે ચોથા ક્વાર્ટરમાં સેવાઓ નિકાસ અને આવક મજબૂત રહેવાના કારણે ભારતની ચાલુ ખાતાની ખાધ સ્થિર રહી શકે છે. જોકે, વૈશ્વિક અનિશ્ચિતતા અને ઊર્જા ચીજવસ્તુઓના ઊંચા ભાવ આ વર્ષમાં ચાલુ ખાતાની ખાધ માટે જોખમ ઊભું કરે છે RBI ગવર્નરે જણાવ્યું કે, તાજેતરના દ્વિપક્ષીય અને પ્રાદેશિક વેપાર કરારો ભારતના વેપાર અને રોકાણ માટે નવા તકો પ્રદાન કરશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/…
કોમનવેલ્થ ગેમ્સ 2030ની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ-અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમની પ્રથમ ગુજરાત મુલાકાત
ગુજરાત અને અમદાવાદમાં 2030 માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વતૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ પ્રથમવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી છે. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ યુત ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં આ ટિમના પાંચ સભ્યો ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોશીએસનના પદાધિકારીઓ સાથે 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા-સૌજન્ય મુલાકાતથી આ ડેલિગેશને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરે અને સીઈઓ સુ કાટે સેડલીરે ગુજરાતમાં તેમને મળેલા ઉષ્માપૂર્ણ આવકાર અને આતિથ્ય સત્કાર માટે પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ટાઇમ બાઉન્ડ, ક્વોલિટીવ અને ઇફેક્ટિવ પ્લાનિંગના આપેલા મંત્રને સાકાર કરીને શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ટિમવર્કથી કાર્યરત રહીને આ ગેમ્સ ભવ્યતા પૂર્વક યોજવાનું રાજ્ય સરકારનું કમિટમેન્ટ છે…
















