GSRTCમાં 8,917 જગ્યાઓ માટે મેગા ભરતી, ડ્રાઈવર અને કંડક્ટર બનવાની મોટી તક
સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. Gujarat State Road Transport Corporation (GSRTC) દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની કુલ 8,917 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમય બાદ આટલી મોટી સંખ્યામાં ભરતી જાહેર થતાં રાજ્યભરના યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કુલ 8,917 જગ્યાઓ પર થશે ભરતી GSRTC દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર ભરતી અંતર્ગત કુલ 8,917 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં: – કંડક્ટર – 4,318 જગ્યાઓ – ડ્રાઈવર – 4,599 જગ્યાઓ રાજ્યના વિવિધ ડેપો અને વિભાગોમાં જરૂરી માનવબળ પૂરું કરવા માટે આ ભરતી હાથ ધરવામાં આવી રહી છે. આવતીકાલથી શરૂ થશે અરજી પ્રક્રિયા નિગમ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આવતીકાલથી શરૂ કરવામાં આવશે.…
પ્રકૃતિ અને પત્રકારત્વનો અનોખો સંગમ: નડિયાદમાં રાજ્યનું અદ્ભુત ‘પત્રકાર વન’ આકાર પામ્યું
પંકજ મકવાણા – અમદાવાદ/નડિયાદ: પત્રકારત્વ સમાજને ‘શુદ્ધ વિચારો’ આપે છે અને પ્રકૃતિ માનવજાતને ‘શુદ્ધ હવા’ આપે છે. જ્યારે આ બંનેનો સમન્વય થાય ત્યારે કેવો દિવ્ય નજારો સર્જાય, તેનો જીવતો-જાગતો પુરાવો ખેડા જિલ્લાના નડિયાદમાં જોવા મળ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના સૌપ્રથમ ‘પત્રકાર વન’ નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલા ‘એક પેડ મા કે નામ ૩.૦’ અભિયાન હેઠળ આ અનોખી પહેલ હાથ ધરાઈ છે, જે સમગ્ર દેશના મીડિયાકર્મીઓ માટે પ્રેરણા સ્ત્રોત બનશે. મંત્રી, વહીવટી તંત્ર અને મીડિયા જગત એક જ મંચ પર: આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે રાજ્યના ઉચ્ચ પદાધિકારીઓ અને સ્થાનિક નેતાઓ એકઠા થયા હતા. મહેસૂલ અને પંચાયત…
રીબડા અમિત ખુંટ કેસ સાથે સંકળાયેલી પૂજા રાજગોરનું માર્ગ અકસ્માતમાં મોત, પરિવારના ચાર સભ્યો ઘાયલ
રાજકોટ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે શ્રીનાથગઢ-મોવિયા રોડ પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં અમિત ખુંટ આપઘાત કેસ સાથે ચર્ચામાં રહેલી પૂજા રાજગોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં પાંચ વર્ષની બાળકી સહિત અન્ય ચાર લોકો ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વૃક્ષ સાથે કાર અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત પ્રાથમિક માહિતી મુજબ પૂજા રાજગોર પોતાના પરિવારજનો સાથે સાસણની મુલાકાત પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન શ્રીનાથગઢ-મોવિયા રોડ પર તેમની કાર અચાનક કાબૂ બહાર નીકળી ગઈ હતી અને રસ્તા કિનારે આવેલા વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ઘટનામાં પૂજા રાજગોરને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે…
ગુજરાત કેબિનેટનો ઐતિહાસિક નિર્ણય: ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ની જાહેરાત
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક દરમિયાન રાજ્યના શહેરી વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ આધુનિક બનાવવા માટે ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ મંત્રી યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ કેબિનેટ બેઠકની શરૂઆતમાં માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલના નિધન પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બેઠકમાં બે મિનિટનું મૌન રાખીને તેમને યાદ કરવામાં આવ્યા હતા. સરકારી પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે યોગેશ પટેલે લાંબા સમય સુધી જાહેર જીવનમાં રહીને જનસેવા કરી હતી અને તેઓ રાજ્ય માટે મહત્વપૂર્ણ નેતા રહ્યા હતા. ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ શું છે? રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ આ મિશન અંતર્ગત શહેરોમાં દેખાતા ઓવરહેડ વીજ અને અન્ય…
એક દિવસનો પ્રવાસ અને ૫૬ મેગા પ્રોજેક્ટ્સ! નમો એરપોર્ટથી લઈને આઇકોનિક બ્રિજ સુધી…
PM મોદી 5 જૂને દમણની ઐતિહાસિક મુલાકાતે: ₹૨,૯૭૦ કરોડના ૫૬ મેગા પ્રોજેક્ટ્સ સાથે ‘નવા ભારત’નો ઉદય! દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના ઈતિહાસમાં ૫ જૂન ૨૦૨૬ (શુક્રવાર)નો દિવસ સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યો છે. “નવું ભારત” થીમ પર આયોજિત એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમમાં ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એક દિવસીય દમણની મુલાકાતે આવી રહ્યા છે. છેલ્લા એક દાયકામાં પીએમ મોદીની આ પ્રદેશની આ આઠમી મુલાકાત છે, જે દર્શાવે છે કે આ કેન્દ્રશાસિત પ્રદેશ પ્રત્યે વડાપ્રધાનનો કેટલો વિશેષ પ્રેમ અને વિકાસ માટેની કટિબદ્ધતા છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી નાની દમણના સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતેથી એક વિશાળ અને ઐતિહાસિક જનમેદનીને સંબોધિત કરશે અને પ્રદેશને કુલ ₹૨,૯૭૦ કરોડના ૫૬ વિકાસ…
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટથી જામીન, 2 વર્ષ 10 મહિના બાદ જેલમાંથી મુક્ત
અમદાવાદના ચર્ચિત ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. લગભગ 2 વર્ષ 10 મહિના સુધી જેલમાં રહ્યા બાદ તથ્ય પટેલ આજે જેલમાંથી મુક્ત થયો છે. સુપ્રીમ કોર્ટે જામીન માટે 1 કરોડ રૂપિયાના બોન્ડની શરત મૂકી હતી, જે પૂર્ણ થયા બાદ તેની મુક્તિનો માર્ગ ખુલ્યો હતો. આ કેસ 19 જુલાઈ 2023ની મધરાતે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર બનેલી ભયાનક દુર્ઘટના સાથે સંકળાયેલો છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે ભેગા થયેલા લોકોના ટોળા પર તથ્ય પટેલે પૂરપાટ ઝડપે પોતાની જેગુઆર કાર ચઢાવી દીધી હતી. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા હતા, જ્યારે 13થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાએ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ભારે ચર્ચા જગાવી હતી. ઘટનાના બે દિવસ બાદ, 21…
શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: જ્ઞાન સહાયક યોજનામાં વયમર્યાદા 48 વર્ષ સુધી વધારી
ગુજરાતના શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયક યોજનામાં મહત્વપૂર્ણ સુધારા જાહેર કર્યા છે. રાજ્ય સરકારે શિક્ષકોની અછત દૂર કરવા અને વધુ અનુભવી ઉમેદવારોને તક આપવા માટે યોજનાની મુખ્ય જોગવાઈઓમાં ફેરફારને મંજૂરી આપી છે. નવા નિયમો મુજબ જ્ઞાન સહાયક તરીકે નિમણૂક માટેની મહત્તમ વયમર્યાદા 40 વર્ષથી વધારીને 48 વર્ષ કરવામાં આવી છે. એટલે કે હવે ઉમેદવારોને 8 વર્ષનો વધારાનો લાભ મળશે. સરકારના આ નિર્ણયથી વધુ અનુભવી ઉમેદવારોને શિક્ષણ ક્ષેત્રમાં તક મળવાની શક્યતા વધશે. ભરતી પ્રક્રિયા હવે સંપૂર્ણપણે TET-1 અને TET-2 પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે તૈયાર થતી મેરીટ યાદીથી કરવામાં આવશે. Teacher Eligibility Test (TET)ના ગુણને આધાર બનાવી પ્રક્રિયાને વધુ પારદર્શક અને ગુણાધારિત બનાવવાનો હેતુ સરકારનો છે. સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિયમ મુજબ સ્પષ્ટ કર્યું છે કે ઉમેદવાર હવે માત્ર…
ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની તૈયારી, આગામી 24 કલાકમાં કેરળ પહોંચશે વરસાદ; 7 દિવસ ભારે વરસાદની આગાહી
દેશભરમાં કાળઝાળ ગરમીથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજા અનુમાન મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગામી 24 કલાકમાં કેરળના દરિયાકાંઠે દસ્તક આપી શકે છે. ચોમાસાના આગમન સાથે જ દેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગે કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને લક્ષદ્વીપ સહિતના દક્ષિણ ભારતીય રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારો માટે ઓરેન્જ અને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી…
ગુજરાતમાં ખેતીની જમીનને NA કરવાની પ્રક્રિયા પર એક વર્ષનો બ્રેક, રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાત સરકારે ખેતીની જમીનોના સંરક્ષણ અને જમીન વ્યવહારોમાં પારદર્શિતા લાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુજબ આગામી એક વર્ષ સુધી ખેતીની જમીનને બિનખેતી (Non-Agricultural – NA)માં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા પર રોક લગાવવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ખેતીની જમીનના રૂપાંતરણ સંબંધિત મંજૂરીઓ અને જમીન વ્યવહારો પર સીધી અસર પડશે. ખાસ કરીને વિકાસ પ્રોજેક્ટ્સ, ઔદ્યોગિક વિસ્તરણ અને જમીન સંપાદન માટે થતી ખરીદી-વેચાણની પ્રક્રિયામાં હવે નવી પરિસ્થિતિ ઊભી થશે. માહિતી મુજબ ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવવા માટે આપવામાં આવતી મંજૂરી (MO) પર પણ તાત્કાલિક અસરથી રોક મૂકવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ પગલાથી ખેતીલાયક જમીનનું અનિયંત્રિત રૂપાંતરણ અટકશે તેમજ જમીનના ભાવમાં થતા કૃત્રિમ વધારાને નિયંત્રિત કરવામાં મદદ મળશે. રાજ્ય…
દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિનો નવો અધ્યાય! PM મોદી ૫ જૂને રચશે નવો ઇતિહાસ
ગુજરાતના વિકાસ રથને વધુ વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૫ જૂન, ૨૦૨૬ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે કુલ ₹૧૮,૭૭૭ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને દક્ષિણ ગુજરાતને મોટી ભેટ આપશે. આ મહા-વિકાસકાર્યોમાં સૌથી મહત્વનો હિસ્સો GIDC (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ) હેઠળ તૈયાર થયેલા ₹૧૦૬૩.૪૩ કરોડના ૮ મેગા પ્રોજેક્ટ્સનો છે, જેનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ અંતર્ગત ભરૂચ જિલ્લાને ₹૮૯૪ કરોડથી વધુના અને વલસાડ જિલ્લાને ₹૧૬૯.૩ કરોડના પ્રોજેક્ટ્સ મળવા જઈ રહ્યા છે. દહેજ PCPIR એફ્લુઅન્ટ પાઇપલાઇન (₹૪૭૪.૬૧ કરોડ): દહેજ અને સાયખા ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદૂષિત પાણીના યોગ્ય નિકાલ માટે ૯૦ MLD ક્ષમતાની અત્યાધુનિક ઑફશોર અને ઑનશોર એફ્લુઅન્ટ પાઇપલાઇન શરૂ…
















