ગીર સોમનાથમાં દીપડાની દહેશત, ઘરમાં ઘૂસી આધેડ પર કર્યો હુમલો

B INDIA ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લા છેલ્લા કેટલાય દિવસથી દીપડો આતંક મચાવી રહ્યો છે. પંથકમાં દીપડાના વધતા હુમલાથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. દીપડાએ અલગ અલગ સ્થળે કરેલા હુમલામાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ગીર ગઢડાના કોદીયાં ગામે રાત્રે વાડી વિસ્તારમાં 2 અલગ- અલગ જગ્યાએ દીપડાએ ઘરમાં ઘૂસીને લોકો પર હુમલો કર્યો હતો. વાડી વિસ્તારમાં પણ દીપડાએ ઘરમાં ઘુસીને આધેડ પર હુમલો કર્યો હતો. જેના કારણે તમનું મોત થયું હતું. જેથી આધેડનો મૃતદેહ ગીર ગઢડા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. અને વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.છેલ્લા 5 દિવસમાં ગીર સોમનાથમાં હુમલાની 7 ઘટના બની હતી. જેમાંથી 2 લોકોના…

ભાજપના જિલ્લા પ્રમુખો નવી નિમણૂંક આગામી સપ્તાહમાં જાહેર! જુના પ્રમુખો રિપીટ કે પછી થશે નવી નિમણૂક?

B india ગાંધીનગર : ભાજપના જિલ્લા પ્રમુખો નિયુક્તિને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. જેમાં ભાજપે 580 ગુજરાતમાં મંડલ પ્રમુખોની નિયુક્તિ કરી દીધી છે. હવે સૌ કોઈની નજર ગુજરાતના 33 જિલ્લા પ્રમુખો અને આઠ મહાનગરપાલિકા એમ કુલ 41 પ્રમુખોની નિયુક્તિ પર મીટ મંડાઇ રહી છે. જેની જાહેરાત ક્યારે થશે. તે અંગે સૌ કોઈ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યું છે. ભાજપના જિલ્લા પ્રમુખો નિયુક્તિ આગામી સપ્તાહમાં થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કેમકે અગાઉ એવું હતું કે, 10 જાન્યુઆરી સુધીમાં ભાજપ 33 જિલ્લા અને આઠ મહાનગરપાલિકાના સંગઠન પ્રમુખોની નિયુક્તિ પૂર્ણ કરી દેશે. પરંતુ ભાજપના શહેર પ્રમુખો અને જિલ્લા પ્રમુખોની નિયુક્તિ ઘોંચમાં પડી હતી, એટલા માટે નિયુક્તિ પ્રક્રિયામાં વિલંબ થયો હતો. વિલંબ એવા માટે થયો હતો કેમ કે,…

Champions Trophy 2025: નવજોત સિંહ સિદ્ધુએ પસંદ કરી ભારતની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન, આ દિગ્ગજ ખેલાડીની બાદબાકી

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ આ ICC ટૂર્નામેન્ટ માટે 15 સભ્યોની ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે. શુભમન ગિલને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. આવી સ્થિતિમાં ટીમની જાહેરાત બાદ તરત જ સ્પોર્ટ્સ ટાક સાથે વાત કરતા પૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ ભારતની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. નવજોત સિંહ સિદ્ધુએ 15માંથી 11 ખેલાડીઓની પસંદગી કરી છે જેને ચેમ્પિયન્સ ટ્રોફીની મેચોમાં ભારતીય ટીમ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. નવજોત સિંહ સિદ્ધુએ રોહિત અને શુભમન ગિલને ઓપનર તરીકે પસંદ કર્યા છે. ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજનું માનવું છે કે “જો ગિલ વાઇસ-કેપ્ટન ન હોત,…

Champions Trophy: ભારતીય ટીમ પોતાની સ્ક્વોડમાં કરી શકે છે ફેરફાર? આ અંતિમ તારીખ………..

ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં મોહમ્મદ સિરાજ અને સૂર્યકુમાર યાદવને જગ્યા મળી નથી. બંને ગત વર્ષે વન ડે વર્લ્ડ કપ ટીમનો ભાગ હતા. ભારતીય ફેન્સ માટે સૌથી સારી ખબર જસપ્રીત બુમરાહની વાપસી છે. ભારતના આ સ્ટાર પેસરને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજા થઈ હતી. બુમરાહ પીઠમાં ઈજાના કારણે છેલ્લી ટેસ્ટની બીજી ઈનિંગમાં બોલિંગ પણ કરી શક્યો નહોતો. બુમરાહની ટીમમાં વાપસી સારા સંકેત છે. પરંતુ તેની ફિટનેસને લઈને હજુ પણ ચિંતા છે. -> ભારતીય ટીમ કરી શકે છે 11 ફેબ્રુઆરી સુધી ફેરફાર :- ભારત પોતાની સ્ક્વોડની જાહેરાત 11 ફેબ્રુઆરીએ કરશે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે અંતિમ ટીમ 11 ફેબ્રુઆરી સુધી આઈસીસીને સોંપવાની છે. લાંબી રાહ બાદ ભારતીય ટીમની જાહેરાત તો થઈ ગઈ,…

ભારતીય સમય પ્રમાણે રાત્રે 10 વાગ્યે ડોનાલ્ડ ટ્રમ્પ લેશે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ, જાણો સમગ્ર કાર્યક્રમ

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. સત્તાવાર શપથ ગ્રહણ સમારોહ 20 જાન્યુઆરી, 2025 ના રોજ બપોરે 12 વાગ્યે (ભારતીય સમય મુજબ લગભગ 10:30 વાગ્યે) થશે. યુએસ ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સ ટ્રમ્પને તેમના બીજા કાર્યકાળ માટે પદના શપથ લેવડાવશે. આ સમય દરમિયાન તે બે બાઇબલનો ઉપયોગ કરશે. આમાંથી એક તેમને તેમની માતા દ્વારા ભેટ તરીકે આપવામાં આવ્યું હતું, જ્યારે બીજું લિંકન બાઇબલ હશે. –> શપથ ગ્રહણ સમારોહનું સમયપત્રક (20 જાન્યુઆરી) : સવારે 5 વાગ્યે: ​​ઉપસ્થિત લોકો માટે નેશનલ મોલમાં સુરક્ષા સ્ક્રીનિંગ શરૂ થશે. 9:30 a.m.: કેપિટોલના વેસ્ટ લૉન પર લાઇવ પર્ફોર્મન્સ થશે, જેમાં કેરી અંડરવુડ ‘અમેરિકા ધ બ્યુટીફુલ’ ગાશે. ચૂંટાયેલા પ્રમુખ અને તેમનો પરિવાર વ્હાઇટ હાઉસ નજીક જોન્સ એપિસ્કોપલ ચર્ચમાં સેવાઓમાં હાજરી આપશે. વ્હાઇટ હાઉસમાં…

દ્વારકામાં તંત્રનું મેગા ડિમોલેશન, 525 જેટલા ગેરકાયદેસર દબાણો કરાયા દૂર

B india દ્વારકા : દ્વારકામાં તંત્ર દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આઠ દિવસથી તંત્ર દ્વારા અલગ-અલગ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામને લઈ દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેમાં 8 દિવસમાં 525 ગેરકાયદે બાંધકામ દૂર કરાયા છે અને 73.50 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઇ છે. -> 8 દિવસમાં 525 ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા :- દ્વારકા,બેટ દ્વારકા, ઓખામાં 8 દિવસ ચાલેલા મેગા ડીમોલેશમાં કુલ 525 બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. અને રૂ.73.50 કરોડની કિંમતની 1,27,917 સ્કે.મીટર સરકારી જમીન ખુલ્લી કરાઇ છે. 8 દિવસ સુધી ચાલેલા મેગા ડીમોલેશનમાં 1 હજાર પોલીસ કર્મચારી એસ.આર.પી જવાનોની ટીમ ખડેપગે રહી હતી. હજુ પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામને નોટિસ આપવામાં આવી છે. દેશમાં ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા…

સત્તા સંભાળ્યા પછી તરત 100 ફાઇલો પર હસ્તાક્ષર કરી શકે છે ટ્રમ્પ, એપ્રિલમાં ભારતની મુલાકાત લે તેવી પણ સંભાવના

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિપદના શપથ લેવા જઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ એક ખાસ વિમાન દ્વારા વોશિંગ્ટન પહોંચી ચુક્યા છે, જ્યાં તેમણે નવા રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળવાનો છે. તેમની સાથે તેમની પત્ની મેલાનિયા અને પુત્ર બેરોન પણ હાજર છે. સત્તામાં આવ્યા પછી તરત જ તેઓ ઓછામાં ઓછી 100 એવી ફાઇલો પર હસ્તાક્ષર કરશે જે ફક્ત અમેરિકામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી શકે છે. શપથ ગ્રહણ પછી તરત જ તેઓ વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કરશે. તેમના ઓવલ ઓફિસ ડેસ્ક પર 100 થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર તેમની રાહ જોતા હશે, જે તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જેથી તેઓ સમય બગાડ્યા વિના તેમનો બીજો કાર્યકાળ શરૂ કરી શકે. અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ…

પેલેસ્ટાઇને બંધકોની યાદી હજુ સોંપી ન હોવાથી ઇઝરાયેલ-હમાસ યુદ્ધવિરામ વિલંબમાં પડ્યો

લોકો લાંબા સમયથી ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં યુદ્ધવિરામની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તે રવિવારે મોકૂફ રાખવામાં આવ્યું હતું જ્યારે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે પેલેસ્ટિનિયન જૂથ દ્વારા બંધકોની યાદી જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી યુદ્ધ વિરામ અમલી બનશે નહીં. .હમાસે યુદ્ધવિરામની શરતો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરતા કહ્યું હતું કે “પ્રથમ જૂથમાં જાહેર કરવામાં આવનારા લોકોના નામ આપવામાં વિલંબ ટેકનિકલ કારણોસર છે.” જો કે, હમાસે કહ્યું છે કે તે બંધકોની યાદી કોઈપણ સમયે ઈઝરાયેલને સોંપી શકે છે. -> યુદ્ધવિરામના થોડા સમય પહેલા નેતન્યાહુના કાર્યાલય તરફથી નિવેદન જારી કરવામાં આવ્યું હતું :- નેતન્યાહુના કાર્યાલયે યુદ્ધવિરામ શરૂ થવાના એક કલાક કરતાં ઓછા સમય પહેલાં એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે તેમણે “આઇડીએફ (સેના)ને…

બિહારના કટિહારમાં ગંગા નદીમાં બોટ પલટી જતાં 3ના મોત, અનેક લોકો લાપતા

-> બિહારના કટિહાર જિલ્લામાં એક મોટી બોટ દુર્ઘટના સામે આવી છે.. કટિહારમાં ગંગા નદીમાં બોટ પલટી જતાં અનેક લોકો ડૂબી ગયા. બોટમાં કુલ 17 લોકો સવાર હતા જેમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે : -> ઘણા લોકોનો કોઇ પત્તો નથી :- હજુ પણ ઘણા લોકો ગુમ હોવાના અહેવાલ છે.ચાર લોકોએ તરીને પોતાનો જીવ બચાવ્યો હતો. તમામ લોકો દક્ષિણ કરીમુલ્લાપુરના મેઘુ ઘાટથી બોટમાં સવાર થઈને ગદ્દાઈ ડાયરા જઈ રહ્યા હતા. બોટ દુર્ઘટનાની માહિતી મળતાં જ SDRF અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. ઘટનાસ્થળે ગ્રામજનોની પણ મોટી ભીડ ઉમટી પડી છે. જે ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે તેમાં 60 વર્ષીય પવન કુમાર, 70 વર્ષીય સુધીર મંડલ અને…

મહાકુંભ પર ‘મન કી બાત’માં બોલ્યા પીએમ મોદી ‘હજારો વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ક્યાંય પણ ભેદભાવ કે જાતિવાદ નથી’

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે હજારો વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ક્યાંય પણ ભેદભાવ કે જાતિવાદ નથી. ભારતના દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમથી લોકો અહીં આવે છે. કુંભમાં અમીર અને ગરીબ બંને એક થાય છે. એક તરફ પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક અને હરિદ્વારમાં કુંભનું આયોજન કરવામાં આવે છે, તેવી જ રીતે દક્ષિણ પ્રદેશમાં ગોદાવરી, કૃષ્ણા, નર્મદા અને કાવેરી નદીઓના કિનારે પુષ્કરમનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે, કુંભકોનમથી તિરુક્કડ-યુર, કૂડ-વાસલથી તિરુચેરાઈ સુધી, એવા ઘણા મંદિરો છે જેની પરંપરાઓ કુંભ સાથે જોડાયેલી છે. ‘કુંભ’, ‘પુષ્કરમ’ અને ‘ગંગા સાગર મેળો’ – આપણા આ તહેવારો એવા તહેવારો છે જે આપણા સામાજિક આદાનપ્રદાન, સંવાદિતા અને એકતાને વધારે છે. ગયા વર્ષે અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક પર…