દ્વારકામાં તંત્રનું મેગા ડિમોલેશન, 525 જેટલા ગેરકાયદેસર દબાણો કરાયા દૂર

B india દ્વારકા : દ્વારકામાં તંત્ર દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આઠ દિવસથી તંત્ર દ્વારા અલગ-અલગ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામને લઈ દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેમાં 8 દિવસમાં 525 ગેરકાયદે બાંધકામ દૂર કરાયા છે અને 73.50 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઇ છે.

-> 8 દિવસમાં 525 ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા :- દ્વારકા,બેટ દ્વારકા, ઓખામાં 8 દિવસ ચાલેલા મેગા ડીમોલેશમાં કુલ 525 બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. અને રૂ.73.50 કરોડની કિંમતની 1,27,917 સ્કે.મીટર સરકારી જમીન ખુલ્લી કરાઇ છે. 8 દિવસ સુધી ચાલેલા મેગા ડીમોલેશનમાં 1 હજાર પોલીસ કર્મચારી એસ.આર.પી જવાનોની ટીમ ખડેપગે રહી હતી. હજુ પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામને નોટિસ આપવામાં આવી છે. દેશમાં ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.પીરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા.

Related Posts

મોરબીમાં ડબલ મર્ડરથી ચકચાર: જમીન માપણીના વિવાદમાં કાકા-ભત્રીજાની ચકચારી હત્યા

મોરબી જિલ્લાના મેઘપર ઝાલા ગામમાં જમીન માપણીના વિવાદને લઈને ડબલ મર્ડરની ચકચારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, જમીન સંબંધિત વિવાદ ઉગ્ર બનતા કાકા અને ભત્રીજાની હત્યા કરવામાં આવી…

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ વરસતા ગરમીથી મળી રાહત

છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત દક્ષિણ ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે નવસારી અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *