Champions Trophy: ભારતીય ટીમ પોતાની સ્ક્વોડમાં કરી શકે છે ફેરફાર? આ અંતિમ તારીખ………..

ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં મોહમ્મદ સિરાજ અને સૂર્યકુમાર યાદવને જગ્યા મળી નથી. બંને ગત વર્ષે વન ડે વર્લ્ડ કપ ટીમનો ભાગ હતા. ભારતીય ફેન્સ માટે સૌથી સારી ખબર જસપ્રીત બુમરાહની વાપસી છે. ભારતના આ સ્ટાર પેસરને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજા થઈ હતી. બુમરાહ પીઠમાં ઈજાના કારણે છેલ્લી ટેસ્ટની બીજી ઈનિંગમાં બોલિંગ પણ કરી શક્યો નહોતો. બુમરાહની ટીમમાં વાપસી સારા સંકેત છે. પરંતુ તેની ફિટનેસને લઈને હજુ પણ ચિંતા છે.

-> ભારતીય ટીમ કરી શકે છે 11 ફેબ્રુઆરી સુધી ફેરફાર :- ભારત પોતાની સ્ક્વોડની જાહેરાત 11 ફેબ્રુઆરીએ કરશે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે અંતિમ ટીમ 11 ફેબ્રુઆરી સુધી આઈસીસીને સોંપવાની છે. લાંબી રાહ બાદ ભારતીય ટીમની જાહેરાત તો થઈ ગઈ, પરંતુ બુમરાહની ફિટનેસ પર શંકા છે. તો શું હવે ભારતીય ટીમ પોતાના સ્ક્વોડમાં ફેરફાર કરી શકે છે? જો એવું લાગશે કે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી સુધી ફિટ નહીં થઈ શકે કે અન્ય કોઈ ખેલાડી ફિટ ન હોય તો ટીમ ઈન્ડિયા પાસે ટીમમાં ફેરફાર કરવાની હજી પણ તક છે. ભારતીય ટીમ 11 ફેબ્રુઆરી સુધી પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને રવીન્દ્ર જાડેજા, રિઝર્વ-હર્ષિત રાણા છે.

Related Posts

અમિત શાહનું મેગા વિઝન: ગાંધીનગર બનશે દેશની પ્રથમ ‘હરિયાળી લોકસભા’, વર્ષ 2026-27માં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ

અમિત શાહનું મેગા વિઝન: ગાંધીનગર બનશે દેશની પ્રથમ ‘હરિયાળી લોકસભા’, વર્ષ 2026-27માં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ ગાંધીનગર: ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ…

#Drugs/ શું ગુજરાતમાં પાંગરી ગયો છે ‘મોતમિત્ર’ સમો ડ્રગ્સનો કાળો કારોબાર?

ગુજરાતનો સાગરકાંઠો ડ્રગ્સ કાર્ટેલ માટે આશીર્વાદ રુપ બનતો દેખાય રહ્યો છે, જ્યારે દેશ માટે યુવા પેઢીને નષ્ટ કરતા ઝેરનાં પ્રવેશદ્વાર સમાન બની રહ્યો છે. વાત વિચાર માંગી લે તેવી છે કે જો આટલા વિપુર જથ્થામાં ડ્રગ્સ પકડાયું હોય અને તે પણ ફક્ત આ માસમાં જ, તો ડ્રગ્સ ટોટલ માત્રામાં ગુજરાતમાં ઠલવાયું કેટલું હશે? વિપુલ અને કરોડોનો જથ્થો પકડાય જવા છતા જો ડ્રગ્સનાં દાનવોને કોઇ ફરક પડતો ન હોય અને ડ્રગ્સ આવીરત રીતે મોકલી રહ્યા હોય તો આવી ગયેલો જથ્થો કેટલો હશે? વળી આ કાળા ઝેરનાં કારોબારમાં કેટલા યુવાનો ખપ્યા હશે? અને ડ્રગ્સ કાર્ટલની કાળા ઝેરની કાળી કમાણી કાટલી હશે? આ કાળી કમાણી ક્યાં વપરાતી હશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *