ભાજપના જિલ્લા પ્રમુખો નવી નિમણૂંક આગામી સપ્તાહમાં જાહેર! જુના પ્રમુખો રિપીટ કે પછી થશે નવી નિમણૂક?

B india ગાંધીનગર : ભાજપના જિલ્લા પ્રમુખો નિયુક્તિને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. જેમાં ભાજપે 580 ગુજરાતમાં મંડલ પ્રમુખોની નિયુક્તિ કરી દીધી છે. હવે સૌ કોઈની નજર ગુજરાતના 33 જિલ્લા પ્રમુખો અને આઠ મહાનગરપાલિકા એમ કુલ 41 પ્રમુખોની નિયુક્તિ પર મીટ મંડાઇ રહી છે. જેની જાહેરાત ક્યારે થશે. તે અંગે સૌ કોઈ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યું છે. ભાજપના જિલ્લા પ્રમુખો નિયુક્તિ આગામી સપ્તાહમાં થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કેમકે અગાઉ એવું હતું કે, 10 જાન્યુઆરી સુધીમાં ભાજપ 33 જિલ્લા અને આઠ મહાનગરપાલિકાના સંગઠન પ્રમુખોની નિયુક્તિ પૂર્ણ કરી દેશે. પરંતુ ભાજપના શહેર પ્રમુખો અને જિલ્લા પ્રમુખોની નિયુક્તિ ઘોંચમાં પડી હતી, એટલા માટે નિયુક્તિ પ્રક્રિયામાં વિલંબ થયો હતો.

વિલંબ એવા માટે થયો હતો કેમ કે, સંભવિત નામો અંગે જુના પ્રમુખોને રિપીટ કરવા કે નવી નિમણૂક કરવી તે માટેનું મનોમંથન થતો હતો. હવે તે પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. આગામી સપ્તાહમાં નવા જિલ્લા પ્રમુખો પ્રદેશ ભાજપને જિલ્લા વાઇઝ મળી જશે. નવા જે જિલ્લા પ્રમુખો નિયુક્તિ થાય તેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રણ ટર્મ સુધી જે સક્રિય સભ્ય હોય, 60 વર્ષની વયમર્યાદા સુધીની હોય તેમજ પક્ષના વિવિધ હોદ્દા ઉપર કામગીરીનો અનુભવ ધરાવતા હોય તેને જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્તિ મળે તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જે જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્તિ મેળવશે તે નામો અંતર્ગત ભાજપે એ મંથન કર્યું છે કે, વર્તમાન ભારતીય જનતા પાસ પાર્ટી પાસે ગુજરાતમાં 162 જેટલા ધારાસભ્યોનું સંખ્યાબળ છે.

આ ઉપરાંત 25 સાંસદો પણ ગુજરાતની લોકસભા બેઠક ઉપરથી જીતેલા છે. આ તમામ સાથે પ્રત્યેક જિલ્લામાં જિલ્લા પ્રમુખો સંકલન કરી શકે ધારાસભ્ય સાંસદ સભ્યો તેમજ પક્ષના કાર્યકર્તાઓ સાથે જે તાલમેલ જાળવી શકે તેવા કાર્યકરની નિયુક્તિ પામે તે પ્રકારનું લેસન પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. આ નામો આગામી સપ્તામાં ભારતીય જનતા પાર્ટી જાહેર કરશે. મહત્વનું એ પણ છે કે, આ તમામ જિલ્લા પ્રમુખોમાંથી 33 જિલ્લા અને આઠ મહાનગરપાલિકા પૈકી અંદાજે 10 જેટલા જે પ્રમુખો વર્તમાન સમયમાં ફરજ બજાવી રહ્યા છે. તેમને રિપીટ કરવાની પણ પૂરેપૂરી સંભાવના પણ સેવામાં આવી રહી છે. બસ હવે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આશા સેવીને બેઠા છેકે ક્યારે જિલ્લા પ્રમુખોની જાહેરાત થશે! તેમના માટે હૈયા ધારણા માટેના સમાચાર છે કે, આગામી સપ્તાહમાં જિલ્લા પ્રમુખો મળી જશે.

Related Posts

એન. ચંદ્રશેખરન વધુ ૫ વર્ષ TATA સન્સના ચેરમેન રહેશે: બોર્ડે કાર્યકાળ લંબાવ્યો Elite Hold 2026

ચંદ્રશેખરન વધુ 5 વર્ષ Tataસન્સના ચેરમેન રહેશે: બોર્ડે કાર્યકાળ વધાર્યો; અગાઉ પુનઃનિયુક્તિ નહીં સ્વીકારવાની કરી હતી જાહેરાત Tata ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનના કાર્યકાળને લઈને છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો નવો વળાંક આવ્યો છે. ટાટા સન્સના બોર્ડે ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ નિર્ણય અગાઉના ઘટનાક્રમથી ખાસ મહત્વનો બની રહ્યો છે, કારણ કે ઓગસ્ટ 2026માં ચંદ્રશેખરને પોતાના વર્તમાન કાર્યકાળ બાદ પુનઃનિયુક્તિ નહીં સ્વીકારવાની જાહેરાત કરી હતી. તે સમયે ટાટા સન્સના બોર્ડમાં તેમની આગામી ટર્મને લઈને સર્વસંમતિ બની શકી નહોતી. હવે Tata સન્સના બોર્ડે ફરી એકવાર તેમના નામને આગામી પાંચ વર્ષની ટર્મ માટે મંજૂરી આપી છે. જોકે આ નિર્ણયને અંતિમ અસરકારક બનવા માટે કંપનીની વાર્ષિક…

Vadnagar શર્મિષ્ઠા તળાવ મહાઆરતી અને પદયાત્રા: અમિત શાહે PM મોદીને ગણાવ્યા ‘ધ્રુવ તારા’ 76 Unyielding National Pride

Vadnagarના શર્મિષ્ઠા તળાવ પર મહાઆરતી બાદ પદયાત્રા: અમિત શાહે કહ્યું- PM મોદી ધ્રુવ તારાની જેમ દુનિયામાં ચમકી રહ્યા છે; GMERS સેવા કેમ્પથી સેવાકીય કાર્યક્રમોને વેગ Vadnagar, 17 સપ્ટેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસને લઈને તેમના જન્મસ્થળ Vadnagarમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતી, પદયાત્રા, હાટકેશ્વર મહાદેવના દર્શન તેમજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની સેવાયાત્રાને લઈને શહેરમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી યોજાઈ હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. Vadnagarમાં યોજાયેલા કાર્યક્રમોને વડાપ્રધાન મોદીના જાહેર જીવનના 25 વર્ષ અને સેવા-સમર્પણ સાથે જોડવામાં આવ્યા છે. ગુજરાતમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાવાનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *