કચ્છમાં થયેલા ભેદી બ્લાસ્ટમાં પિતા અને પુત્રીનું મોત, માતા ગંભીર

B INDIA કચ્છ : કચ્છનાં મુન્દ્રામાં આજે વહેલી સવારે એક મકાનમાં ભેદી બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીના એક ઘરમાં ભેદી બ્લાસ્ટ થતાં પિતા અને પુત્રીના મોત નીપજ્યાં છે. જ્યારે માતાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ, મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીના એક રહેણાંક મકાનમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘરમાં ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. આ દુ:ખદ ઘટનામાં પિતા પુત્રીના મોત નીપજ્યાં છે. આ સાથે માતાને ગંભીર ઈજા પહોંચી છે. પ્રાથમિક તપાસમાં એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આ ઘટના ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે. એસીમાં ગેસ લીકેજ અથવા બ્લાસ્ટને કારણે બની આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આમાં એફએસએલના રિપોર્ટ બાદ જ…

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે T-20 સિરિઝની ત્રીજી મેચ, રાજકોટમાં સાંજના 7 વાગ્યે થશે શરુ

B INDIA રાજકોટ : આજે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત-ઈગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રમાનાર છે. રાજકોટમાં રમાનારી ત્રીજી ટી 20 સાંજના 7 વાગ્યે શરુ થશે. અને 11ની આસપાસ પૂરી થઈ જશે. પાંચ મેચોની ટી 20 સીરિઝમાં હાલમાં ભારતનું પલડું ભારે છે, ભારત 2-0થી આગળ છે. જીત સાથે ભારત ટી 20 સીરિઝમાં 3-0 આગળ થઈ જશે અને આ રીતે તેને સીરિઝ જીતી થશે, અને જો હારે તો પણ મહેમાન ઈંગ્લેન્ડ કરતાં પણ આગળ હશે. જીતની સાથે ભારત પાસે ઈંગ્લેન્ડ ટીમનો વ્હાઈટ વોશ કરવાની પણ તક હશે. -> ભારત સીરિઝમાં 2-0થી આગળ :- ભારત હાલમાં સીરિઝમાં 2-0થી આગળ છે, જીતની સાથે ભારત સીરિઝ જીતી જશે. ત્યાર બાદ ચોથી ટી 20 પુણેમાં 31 જાન્યુઆરીએ અને પાંચમી ટી 20…

દહેજમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનો પર્દાફાશ, પોલીસે એકની ધરપકડ કરી

B INDIA દહેજ : ભરૂચના દહેજમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનો પર્દાફાશ થયો છે. દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટીનમ કોમ્પ્લેક્ષમાં હની સ્પાના ઓથા હેઠળ ચાલતા દેહ વેપારને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યું હતું. સાથે જ પોલીસે એક ઈસમને ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, રંગ પ્લેટીનમ કોમ્પ્લેક્ષમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ એ ડિવિઝન પોલીસે કર્યો છે.એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં 11 અરજી આવી હતી. જેમાં જણાવ્યા અનુસાર, ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટીનમ કોમ્પ્લેક્ષમાં હની સ્પાના ઓથા હેઠળ કૂટણખાનું ચાલી રહ્યું છે.જે અરજીઓને લઇ પોલીસ સબ ઇન્સપેક્ટર એ.વી.શિયાળિયા સહિત સ્ટાફ દ્વારા એક ખાનગી વ્યક્તિને બોલાવી ડમી ગ્રાહક તરીકે તૈયાર કરાયો હતો. દેહ વ્યાપરના ધંધા સાથે સંકળાયેલ ૩ યુવતિઓ તથા દેહ વ્યાપારનો ધંધો ચલાવતા અલ્તાફ હમીદખાન અલીને ઝડપી…

રાજ્યમાં સતત ડિમોલેશનથી લોકોમાં રોષ, મહેસાણામાં દુકાન, કોમ્પલેક્ષ, શોરૂમ આગળના દબાણો દૂર કરાયા

B INDIA મહેસાણા : રાજ્યનાં અલગ -અલગ જિલ્લાઓમાં ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ છે. દ્વારકા, ચોટીલા બાદ હવે મહેસાણામાં પણ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે . નોટિસ આપવા છતાં દબાણ ન હટાવતા મનપાએ ડિમોલિશનની કામગીરી તેજ કરવામાં આવી છે. રાધનપુર રોડ પર દુકાન, કોમ્પલેક્ષ, શોરૂમ આગળના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.મહેસાણામાં મનપા દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. મનપાએ આપેલ નોટિસ બાદ કાર્યવાહી શરૂ કરી છે. રાધનપુર રોડ પર દુકાન, કોમ્પલેક્ષ અને શોરૂમ આગળના દબાણો દૂર કરાયા છે. જેમાં ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઇ છે.અગાઉ મહેસાણાના રાધનપુર ચોકડીથી પાંચોટ રોડ અને પાંચોટ રોડથી રાધનપુર ચોકડી સુધીના રસ્તામાં આવતા હંગામી કે કાયમી દબાણો કે માર્જિનની જગ્યામાં કરાયેલા…

IPL 2025: ધોનીની આ સલાહથી શશાંક સિંહને આત્મવિશ્વાસ મળ્યો, પંજાબ કિંગ્સના બેટ્સમેનનો ખુલાસો

પંજાબ કિંગ્સના બેટ્સમેન શશાંક સિંહે IPL 2025ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શશાંકે ગત સિઝનમાં તેની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. અને તે ફરી એકવાર તે જ પ્રદર્શન કરવા માટે તૈયાર હશે. આ દરમિયાન શશાંકે કહ્યું કે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સલાહથી તેનો આત્મવિશ્વાસ મજબૂત થયો. જેનાથી તેને વધુ સારું પ્રદર્શન કરવામાં મદદ મળી. -> ગત સિઝનમાં પ્રદર્શન મજબૂત હતું :- શશાંકે ગત સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 44.25ની એવરેજ અને 164.65ની સ્ટ્રાઈક રેટથી 354 રન બનાવ્યા હતા. તે ગત સિઝનમાં તેની ફ્રેન્ચાઈઝી માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. જો કે, શશાંકના પંજાબ કિંગ્સ સાથે જોડાવાની વાર્તા રસપ્રદ છે કારણ કે, ફ્રેન્ચાઇઝીએ દાવો કર્યો હતો કે, તેઓ શશાંકના નામ…

રાજકોટમાં નકલી કારોબારની બોલબાલા, નકલી પોલીસે બાઈક ચાલક પાસેથી પડાવ્યા પૈસા

B INDIA રાજકોટ : રાજકોટમાં ફરી નકલી પોલીસનો આતંક જોવા મળી રહ્યો છે. શહેરમાં નકલી પોલીસે બાઈક ચાલક પાસેથી પૈસા પડાવી લીધા હતા. બાઈક ચાલકને નકલી કેસમાં ફસાવી દેનારા બે શખ્સ સામે થોરાળ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે નકલી શખ્સોને શોધવા CCTVના આધારે શોધખોળ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, અમૂલ સર્કલ પાસે બાઈક ચાલકને અજાણ્યા બે શખ્સોએ રોકી લીધો હતો. આ બંને શખ્સોએ પોલીસનો યુનિફોર્મ પહેર્યો હતો. એટલે બાઈક ચાલક તેમના રોકવાથી ઉભો રહ્યો. આ દરમ્યાન બંને શખ્સોએ બાઈક ચાલકને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પોલીસની ઓળખ આપનાર બંને શખ્સોએ ચાલકને ધમકી આપી કે, જો તું અમને રૂપિયા નહીં આપે તો તારું નામ પોલીસ ચોપડે ચઢી જશે. અને તું પોતાને નિર્દોષ સાબિત…

સોશિયલ મીડિયા પર ટ્રમ્પને જાનથી મારી નાંખવાની ધમકી આપનારની ધરપકડ

સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફ્લોરિડાના શેનન એટકિન્સની ધરપકડ કરવામાં આવી છે. આ પછી એફબીઆઈ અને સિક્રેટ સર્વિસ હાઈ એલર્ટ પર છે.યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ધમકીભરી પોસ્ટ પોસ્ટ કરવા બદલ ફ્લોરિડાના શેનોન એટકિન્સની ધરપકડ કરવામાં આવી છે. એફબીઆઈ પાસેથી મળેલી માહિતીના આધારે આ ધરપકડ કરવામાં આવી છે. 46 વર્ષીય એટકિન્સે સોશિયલ મીડિયા પર ઘણી ધમકીભરી પોસ્ટ કરી હતી. જેમાં તેણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર નિશાન સાધ્યું હતું. ધ સન યુએસના અહેવાલ મુજબ, ટ્રમ્પના ઉદ્ઘાટનના એક દિવસ પહેલા શેનન એટકિન્સનું ફેસબુક અપડેટ એક પોસ્ટમાં વાંચ્યું, “અમેરિકાને બચાવવા માટે માત્ર એક જ ગોળીની જરૂર છે.” પોલીસે કહ્યું કે આ પોસ્ટને કારણે એટકિન્સની ધરપકડ થઈ. તેની શુક્રવારે રાત્રે ફ્લોરિડાના પામ…

જાણો કોણ છે એ યુવતી જેના કારણે ઇઝરાયેલ-હમાસ વચ્ચેની યુદ્ધ વિરામ સંધિ મુકાઇ છે જોખમમમાં

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો શનિવાર (25 જાન્યુઆરી) સુધી શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહ્યો હતો, પરંતુ હાલમાં તેમાં અવરોધ ઉભો થયો છે. એક છોકરીને કારણે પરિસ્થિતિ થોડી બદલાઈ. આ છોકરીનું નામ અરબેલ યેહુદ છે. અરબેલ યેહુદ એક ઇઝરાયેલી નાગરિક છે, જે 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયેલમાં પ્રવેશ્યા પછી હમાસ દ્વારા અપહરણ કરાયેલા બંધકોમાંથી એક છે. ગાઝામાં યુદ્ધવિરામ કરાર હેઠળ, હમાસ આ બંધકોને અલગ બેચમાં મુક્ત કરી રહ્યું છે, તેના બદલામાં ઇઝરાયેલ પણ કેદીઓને મુક્ત કરી રહ્યું છે. આ ક્રમમાં, શનિવારે, હમાસે બીજા બેચમાં ચાર મહિલા બંધકોને મુક્ત કર્યા. ઈઝરાયલે તેના બદલામાં 200 કેદીઓને પણ મુક્ત કર્યા હતા, પરંતુ થોડા સમય બાદ ઈઝરાયેલે હમાસ પર યુદ્ધવિરામ કરારના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો.ઈઝરાયેલે કહ્યું કે શનિવારે…

પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા શરૂ કરવા મંજૂરી માટે મસ્કની કંપની સમક્ષ પાકિસ્તાને મુકી આ શરત

તાજેતરમાં જ પાકિસ્તાની સરકારે ટેસ્લા અને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્ક સાથે નવો ઝઘડો શરૂ કર્યો છે. પાકિસ્તાને ઈલોન મસ્ક પર પાકિસ્તાન વિરુદ્ધ નિવેદનો આપીને પ્રોપેગેન્ડા ચલાવવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના સાંસદોએ ઇલોન મસ્કની માફીની માંગ કરી છે. વાસ્તવમાં, એલન મસ્કની સેટેલાઇટ કંપની સ્ટારલિંકે પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે રેગ્યુલેટરી લાયસન્સ માટે અરજી કરી હતી. જોકે, તેને હજુ સુધી પાકિસ્તાન સરકાર તરફથી મંજૂરી મળી નથી. -> એલોન મસ્ક સ્ટારલિંક માટે પાકિસ્તાન પાસેથી લાઇસન્સ માંગે છે :- એએફપીના અહેવાલો અનુસાર, પાકિસ્તાની ધારાશાસ્ત્રીઓએ સ્ટારલિંકને નિયમનકારી મંજૂરી આપતા પહેલા એલન મસ્કની કથિત પાકિસ્તાન વિરોધી ટિપ્પણી માટે માફી માંગવાની માંગ કરી છે. પાકિસ્તાનમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ટેલિકોમ્યુનિકેશન પરની સંસદીય સમિતિએ સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા માટે ઇલોન મસ્કની અરજીની સમીક્ષા કરવા અધિકારીઓ…

આમ આદમી પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર, જાણો ભાડુઆતોને પણ મફત વીજળી-પાણી ઉપરાંત બીજુ શું

આમ આદમી પાર્ટીએ દિલ્હી ચૂંટણીને લઈને તેનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. અરવિંદ કેજરીવાલે સોમવારે 15 ગેરંટી આપી હતી. તેમણે કહ્યું કે યુવાનોને રોજગારની ખાતરી આપવામાં આવી છે. આ ઉપરાંત સંજીવની યોજના હેઠળ વૃદ્ધોને મફત સારવાર આપવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે ભાજપે ષડયંત્ર રચીને મને જેલમાં મોકલી દીધો અને ત્યાર બાદ દિલ્હીના લોકોને ખોટા પાણીના બિલ મોકલવામાં આવ્યા. સરકાર બન્યા બાદ આ તમામ બિલ માફ કરવામાં આવશે. તેમણે કહ્યું- સરકાર બન્યા બાદ ભાડુઆતોને પણ મફત વીજળી અને પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ દરમિયાન કેજરીવાલે મંચ પરથી સ્વીકાર્યું કે કોરોના અને પછી કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ જવાને કારણે તેઓ 2020માં કરેલા ત્રણ વચનો પૂરા કરી શક્યા નથી. આ ત્રણ વચનો હતા – દરેક ઘરમાં ચોવીસ કલાક શુદ્ધ પાણીનો…