કચ્છમાં થયેલા ભેદી બ્લાસ્ટમાં પિતા અને પુત્રીનું મોત, માતા ગંભીર

B INDIA કચ્છ : કચ્છનાં મુન્દ્રામાં આજે વહેલી સવારે એક મકાનમાં ભેદી બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીના એક ઘરમાં ભેદી બ્લાસ્ટ થતાં પિતા અને પુત્રીના મોત નીપજ્યાં છે. જ્યારે માતાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ, મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીના એક રહેણાંક મકાનમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી.

આ ઘરમાં ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. આ દુ:ખદ ઘટનામાં પિતા પુત્રીના મોત નીપજ્યાં છે. આ સાથે માતાને ગંભીર ઈજા પહોંચી છે. પ્રાથમિક તપાસમાં એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આ ઘટના ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે. એસીમાં ગેસ લીકેજ અથવા બ્લાસ્ટને કારણે બની આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આમાં એફએસએલના રિપોર્ટ બાદ જ ખબર પડશે કે આ આગ કયા કારણે લાગી હતી.

ભોગ બનનાર પરિવાર આંધ્રપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. બ્લાસ્ટ અંગેની જાણ થતાં મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એફએસએલની મદદથી બ્લાસ્ટ અને આગના કારણો જાણવા તપાસ કરવામાં આવશે. જે બાદ જ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવી શકે છે.

Related Posts

ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની મોટી પહેલ: દેવકા-જામ્બોરી બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’

પશ્ચિમ એશિયામાં વધતી કટોકટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચતની અપીલ વચ્ચે દાદરા અને નગર હવેલી તેમજ દમણ-દીવ પ્રશાસને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રશાસને નાગરિકો, વેપારીઓ અને પ્રવાસીઓને ઈંધણનો ઓછો…

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ઘટશે: આગામી 3 દિવસ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો, હવામાન વિભાગનો અંદાજ

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં પડતી કાળઝાળ ગરમી અને લૂના પ્રકોપ વચ્ચે હવે રાજ્યવાસીઓ માટે રાહતના સંકેતો દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ મુજબ પવનની દિશામાં થયેલા ફેરફાર અને વાતાવરણમાં આવેલા પલટાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *