સુરતમાં 31 વર્ષે ઝડપાયો હત્યાનો આરોપી, લાફો મારવા જેવી બાબતમાં કરી હતી હત્યા

B INDIA સુરત : સુરતમાં હત્યાનાં કેસમાં વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીદારોને કામે લગાડી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. અને 31 વર્ષ બાદ રૂમ પાર્ટનરની હત્યા કરી ફરાર થનાર આરોપીને ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે 31 વર્ષ પહેલા એક શખ્સની હત્યા કરી ફરાર થનાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી ૧૯૯૪માં વરાછા પોલીસ સ્ટેશનના ચોપડે વોન્ટેડ હતો. આરોપી એક ઉડિયા યુવક છે જેણે લાફો મારવા જેવી સામાન્ય બાબતે બબાલ કરી એક શખ્સને મોતને ઘાટ ઉતાર્યો હતો. મળતી માહિતી મુજબ, માથાકૂટ થયા બાદ ઉડિયા યુવક આરત દિવાકર બિસોઈએ લાફો મારનારને ચપ્પુથી રહેંસી નાખ્યો હતો. લાફો મારનારની હત્યા કર્યા બાદ થોડા સમય સુધી બિસોઇ, ઓરિસ્સા અને બંગાળમાં છુપાઈને રહેતો હતો. વારંવાર સ્થળાંતર…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધાનેરાના ધારાસભ્યએ લખ્યો પત્ર, કહ્યું-મહાકુંભમાં એક ગુજરાતી થયો ગુમ

મહાકુંભ મેળામાં ધાનેરાના 50 વર્ષિય બાળકાભાઈ રબારી લાપતા થયા છે. ત્યારે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. ધારાસભ્ય માવજી દેસાઈ કહ્યું છે કે, બાળકાભાઈ રબારી લાપતા થયા છે તેની જાણ ઉત્તરપ્રદેશ તંત્રને ફોટા સાથે કરવા છતાં ભાળ ન મળતા પરિવાર ચિંતિત જોવા બન્યો છે.ઉલ્લેખનિય છે કે, મહાકુંભમાં થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે 60 લોકો ઘાયલ થયાના સમાચાર છે. જો કે, ધાનેરાના 50 વર્ષિય બાળકાભાઈ રબારી 29મી જાન્યુઆરીના રોજ પરિવારથી વિખુટા પડ્યા હતા. બાળકાભાઈ 29મી જાન્યુઆરીના વહેલી સવારે પરિવાર સાથે કુંભમેળામાં સ્નાન કરીને ત્યાંથી વિખૂટા પડી ગયા હતા. તેમનો હજી સુધી કોઈ પત્તો નથી. પત્રમાં જણાવ્યા પ્રમાણે, યુપી પ્રસાશનને તેમના ફોટા, નામ સાથે…

મહાકુંભમાં જતા ગુજરાતીઓને ચિત્રકૂટમાં નડ્યો અકસ્માત, 1નું મોત, 7 લોકોને ઈજા

મહાકુંભ મેળાને લઈને હાલ લોકો પ્રયાગરાજ તરફ જઈ રહ્યા છે.ત્યારે નવસારીના વતની સ્વાતિ પટેલ તેમના સંબંધીઓ સાથે કુંભમેળામાં જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રવિવારે રાતે 11 વાગ્યાની આસપાસ ચિત્રકૂટ નજીક તેમની કારને અકસ્માત નડતાં સ્વાતિ પટેલની કરૂણ મોત નીપજ્યું, જ્યારે તેમની સાથે કારમાં સવાર અન્ય સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. નવસારીના ધર્મિનગરના જલારામનગર સોસાયટીના રહેવાસી સ્વાતિ પટેલ સંબંધીઓ સાથે પ્રયાગરાજના કુંભમેળામાં જવા નીકળ્યા હતા. ત્યારે ચિત્રકૂટ પાસે એક કાર સાથે તેમની કારને ઓવરટેક કરવા જતાં સાઇડમાંથી ટકરાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્વાતિ પટેલને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેમને સારવાર અર્થે તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું છે. કારમાં સવાર અન્ય સાત…

દિલ્હીમાં રાહુલ ગાંધીની જનસભા, કેજરીવાલ અને ભાજપ પર સાધ્યું નિશાન

દિલ્હી ચૂંટણી પ્રચારના ભાગ રૂપે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બવાનામાં એક જાહેર સભાને સંબોધવા પહોંચ્યા. રાહુલ ગાંધીના નિશાના પર ભાજપની સાથે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પણ હતા. રાહુલે બંને પર પ્રહારો કરતા કહ્યું કે અહીં પાણીની સમસ્યા છે. પીવાનું પાણી ઉપલબ્ધ નથી. ગંદુ પાણી ઉપલબ્ધ છે. મોંઘા ભાવે પાણી ખરીદવું પડે છે. -> કેજરીવાલે કહ્યું મોદીજી અને આરએસએસે નફરત ફેલાવવાનું કામ કર્યું છે :- તેઓ જ્યાં પણ જાય છે, તેઓ ધર્મને ધર્મની વિરુદ્ધ અને જાતિને જાતિની વિરુદ્ધ લડાવે છે. તેઓ એક ભાષાને બીજી ભાષા સાથે લડાવે છે. તેઓ તમારા પૈસા અંબાણી અને અદાણી જેવા અબજોપતિઓને આપે છે. મોદી સરકારે પચીસ અબજોપતિઓના ૧૬ લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા. નોટબંધી અને જીએસટીના કારણે નાની…

બાંગ્લાદેશની નવી સરકારનું ભારત વિરોધી વલણ યથાવત, હવે મુક્યો ડ્રગ્સની દાણચોરીનો આરોપ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો હંમેશા ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે, પરંતુ બાંગ્લાદેશની નવી વચગાળાની સરકાર હવે ભારત વિરોધી વલણમાં એટલી આંધળી બની ગઈ છે કે તેણે ભારત પર ડ્રગ્સની સ્મગલિંગનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની સરકારે ભારત સાથે થયેલા અગાઉના કરારોની સમીક્ષા કરવાની પણ જાહેરાત કરી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં ગૃહ બાબતોના સલાહકાર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે ફેન્સિડિલ નામનું ડ્રગ ભારતમાંથી બાંગ્લાદેશમાં દાણચોરી કરવામાં આવી રહ્યું છે. મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીના મતે, ભારતીય નાગરિકો ફેન્સિડિલ દવા બનાવે છે, પરંતુ વાસ્તવમાં તે એક ડ્રગ્સ છે જે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ મોકલવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે બંને દેશોની સંમતિ વિના સરહદના…

મહાકુંભમાં નાસભાગની દુર્ઘટનાનું પુનરાવર્તન ટાળવા 5 મોટા ફેરફાર

પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યા સ્નાન પહેલા સંગમ કિનારે થયેલી ભાગદોડ અને દુ:ખદ મૃત્યુ બાદ, વહીવટીતંત્રે કડક પગલાં લીધાં છે. જે અંતર્ગત મેળા વિસ્તારમાં પાંચ મોટા ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે. આ સાથે, સમગ્ર મેળા વિસ્તારને હવે નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે કોઈપણ પ્રકારના વાહનને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એટલું જ નહીં, VVIP પાસ અને ટ્રાફિક અંગે પણ ફેરફારો કરવામાં આવ્યા છે. મહાકુંભમાં થયેલી ભાગદોડની ઘટના બાદ પોલીસ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે, સીએમ યોગીની કડક સૂચના બાદ, ભક્તોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને મેળા વિસ્તાર માટે પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે જેથી આવા અકસ્માતો રોકી શકાય. ભવિષ્યમાં ટાળી શકાય. હવે પોલીસ વહીવટીતંત્ર સામે વસંત પંચમી પર અમૃત સ્નાન કાર્યક્ષમ રીતે કરાવવાનો પડકાર…

અમેરિકામાં યાત્રી વિમાન-આર્મી હેલિકોપ્ટર વચ્ચે ટક્કર,બન્ને નદીમાં પડ્યા,19 મૃતદેહ મળ્યા

વોશિંગ્ટન ડીસી નજીક રીગન વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ (DCA) નજીક એક ભયંકર વિમાન દુર્ઘટના બની છે. PSA એરલાઇન્સનું એક પેસેન્જર વિમાન હવામાં જ આર્મી હેલિકોપ્ટર સાથે અથડાયું અને નદીમાં પડી ગયું. એરલાઇનના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાનમાં 64 મુસાફરો સવાર હતા, જેમાં 4 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. પીએસએ એરલાઇન્સ અમેરિકન એરલાઇન્સની પેટાકંપની છે. જે વિમાન અકસ્માતનો ભોગ બન્યું તેમાં 65 મુસાફરોની બેઠક ક્ષમતા હતી. રોઇટર્સના અહેવાલ મુજબ, અકસ્માત બાદ, વોશિંગ્ટન ડીસી એરપોર્ટ પર તમામ ટેકઓફ અને લેન્ડિંગ બંધ કરી દેવામાં આવ્યા છે. આ જ મુદ્દા પર, યુએસ સેનેટર ટેડ ક્રુઝે ટ્વિટ કર્યું કે અકસ્માતમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા. જોકે, મૃત્યુઆંકની ચોક્કસ સંખ્યા હજુ સુધી પુષ્ટિ થઈ નથી. -> વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો :- બીએનઓના અહેવાલ મુજબ, અમેરિકન…

રાજકોટ અગ્નિકાંડને લઇને હાઇકોર્ટે 3 આરોપીઓના જામીન કર્યા મંજૂર

B INDIA રાજકોટ : ગુજરાત હાઇકોર્ટે TRP અગ્નિકાંડ મામલે 3 આરોપીના જામીન મંજૂર કર્યા છે. જ્યારે અન્ય સાગઠીયા, ઇલેશ ખેર, અશોકસિંહ, કિરીટસિંહ જાડેજાના જામીન નામંજૂર કર્યા છે. મહત્વનું છે કે, રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં બાળકો, મહિલાઓ સહિત 27 લોકો મોત થયા હતા. જે બાદ પોલિસે ગેમ ઝોનનાં માલિક અને મનપા ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ચીફ ફાયર ઓફિસર સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી. TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આરોપીઓએ જામીન અરજી કરી હતી, જોકે ગુજરાત હાઇકોર્ટે 3 આરોપીઓને જામીન આપ્યા છે, જ્યારે અન્ય આરોપી સાગઠીયા, ઇલેશ ખેર, અશોકસિંહના જામીન નામંજૂર કર્યા છે. આ સાથે કિરીટસિંહ જાડેજાના જામીન પણ કોર્ટે ફગાવ્યા છે.રાજકોટ નાના મવા રોડ પર આવેલ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે 25મી સપ્ટેમ્બરે રાજકોટ ડિસ્ટ્રિક્ટ…

અમદાવાદ: મેટ્રિમોનિયલ સાઇટ પર લગ્નના બહાને એક મહિલા સાથે ૧૩.૨૦ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ

B INDIA વેજલપુર:- પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.     અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારની રહેવાસી 31 વર્ષીય મહિલાએ Shaadi.com પર લગ્ન માટે અમેરિકામાં રહેતા હોવાનો દાવો કરતા એક યુવકની પ્રોફાઇલ પસંદ કરી. તેથી, તેના વિશ્વાસનો લાભ લઈને, યુવકે છોકરી સાથે છેતરપિંડી કરી અને અલગ અલગ કારણો આપીને તેની પાસેથી ૧૩.૨૦ લાખ રૂપિયા પડાવી લીધા. વેજલપુર પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.     –:તેના જન્મદિવસ પર ઓનલાઈન સાઈટ પરથી ફૂલો મોકલીને, છોકરીનો વિશ્વાસ મેળવ્યો:–   શહેરના જુહાપુરા મકતમપુરા વિસ્તારની રહેવાસી 31 વર્ષીય યુવતી તેના માતાપિતા સાથે રહે છે અને ઘરેથી એક વિદેશી કંપનીમાં કામ કરે છે. તેણીએ Shaadi.com પર લગ્ન માટે એક પ્રોફાઇલ બનાવી હતી અને પોતાના માટે એક…

હવામાન વિભાગની આજની આગાહી, જાણો વરસાદ પડશે કે નહીં પડે?

B INDIA ગાંધીનગર : ગુજરાતનાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. હવે માવઠું થવાની શક્યતા ઓછી થઈ ગઈ છે. મહત્વનું છે કે, ગુજરાતમાં બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી.આ માવઠાની આગાહીથી ગુજરાતના ખેડૂતો ચિંતિત બન્યા હતા. જોકે, હવે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી. હવામાન વિભાગે આજે આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં માવઠું થવાની શક્યતા ઓછી થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવનારા સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસે આજે જણાવ્યું છે કે, પહેલા જે બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ વરસાદની આગાહી હતી તેની શક્યતા ઓછી થઈ ગઈ છે. જે અંગે તમને અપડેટ કરતા રહીશું.…