રાજકોટ અગ્નિકાંડને લઇને હાઇકોર્ટે 3 આરોપીઓના જામીન કર્યા મંજૂર

B INDIA રાજકોટ : ગુજરાત હાઇકોર્ટે TRP અગ્નિકાંડ મામલે 3 આરોપીના જામીન મંજૂર કર્યા છે. જ્યારે અન્ય સાગઠીયા, ઇલેશ ખેર, અશોકસિંહ, કિરીટસિંહ જાડેજાના જામીન નામંજૂર કર્યા છે. મહત્વનું છે કે, રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં બાળકો, મહિલાઓ સહિત 27 લોકો મોત થયા હતા. જે બાદ પોલિસે ગેમ ઝોનનાં માલિક અને મનપા ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ચીફ ફાયર ઓફિસર સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી.

TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આરોપીઓએ જામીન અરજી કરી હતી, જોકે ગુજરાત હાઇકોર્ટે 3 આરોપીઓને જામીન આપ્યા છે, જ્યારે અન્ય આરોપી સાગઠીયા, ઇલેશ ખેર, અશોકસિંહના જામીન નામંજૂર કર્યા છે. આ સાથે કિરીટસિંહ જાડેજાના જામીન પણ કોર્ટે ફગાવ્યા છે.રાજકોટ નાના મવા રોડ પર આવેલ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે 25મી સપ્ટેમ્બરે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપીઓએ ચાર્જશીટ બાદની જામીન અરજી મામલે કેસ ચાલ્યો હતો.

જેમાં ગેમ ઝોનના માલિક અશોકસિંહ જાડેજા, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાના વકીલ દ્વારા આરોપીઓનો બચાવ કરવામાં આવ્યો હતો.જેમાં રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હાઇકોર્ટે ત્રણ આરોપીઓના જમીન મંજૂર કર્યા છે. ATP રાજેશ મકવાણા, ગૌતમ જોશી, જયદીપ ચોધરીના જમીન મંજૂર કરવામાં આવ્યા છે.

Related Posts

NEET-UG પરીક્ષા માટે ગુજરાતમાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા, DGPએ તૈયારીઓની કરી સમીક્ષા

આગામી 21 જૂને યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG)ને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા…

શું હવે પાણીથી ચાલશે તમારી કાર? ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિનો થયો આરંભ!

ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિ: ૨૧મી સદીના ભારતનું પર્યાવરણને અનુકૂળ ‘સુપર-ફ્યુઅલ’ નવી દિલ્હી: વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ જળવાયુ પરિવર્તન (Climate Change) અને ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *