હવામાન વિભાગની આજની આગાહી, જાણો વરસાદ પડશે કે નહીં પડે?

B INDIA ગાંધીનગર : ગુજરાતનાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. હવે માવઠું થવાની શક્યતા ઓછી થઈ ગઈ છે. મહત્વનું છે કે, ગુજરાતમાં બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી.આ માવઠાની આગાહીથી ગુજરાતના ખેડૂતો ચિંતિત બન્યા હતા. જોકે, હવે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી. હવામાન વિભાગે આજે આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં માવઠું થવાની શક્યતા ઓછી થઈ ગઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવનારા સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસે આજે જણાવ્યું છે કે, પહેલા જે બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ વરસાદની આગાહી હતી તેની શક્યતા ઓછી થઈ ગઈ છે. જે અંગે તમને અપડેટ કરતા રહીશું.

આગામી 24 કલાકમાં અમદાવાદનું આકાશ સ્વચ્છ રહેશે અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેવાની શક્યતા છે. તેમણે ઠંડી અંગે એમ પણ જણાવ્યું છે કે, હજી શિયાળો ગયો નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, તે આવ્યા બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. હજી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતા છે.

Related Posts

દિલ્હીના વિવેક વિહારમાં વહેલી સવારે ભીષણ આગ: ફાયર ફાઈટરોની સતર્કતાથી મોટી હોનારત ટળી.

દિલ્હીના વિવેક વિહારમાં વહેલી સવારે ભીષણ આગ.વિવેક વિહારમાં 3:48 વાગ્યે આગથી દોડધામ.દિલ્હી ફાયર સર્વિસીસની તાત્કાલિક કામગીરીથી આગ કાબૂમાં.વિવેક વિહાર વિસ્તારમાં આગ બાદ સર્ચ ઓપરેશન ચાલુ.દિલ્હીમાં આગની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી.દિલ્હીના રહેણાંક વિસ્તારમાં આગથી ચિંતા

દેહરાદૂનમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ગરમીથી રાહત પણ ટ્રાફિક જામથી લોકો પરેશાન.

ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ.દેહરાદૂનમાં વરસાદથી ટ્રાફિક અને જનજીવન પર અસર.ભારે વરસાદથી ગરમીમાંથી રાહત,.ઉત્તરાખંડમાં વરસાદી કહેર, પ્રશાસનની સાવચેતી.દેહરાદૂનમાં સતત વરસાદથી લોકોને મુશ્કેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *