હવામાન વિભાગની આજની આગાહી, જાણો વરસાદ પડશે કે નહીં પડે?

B INDIA ગાંધીનગર : ગુજરાતનાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. હવે માવઠું થવાની શક્યતા ઓછી થઈ ગઈ છે. મહત્વનું છે કે, ગુજરાતમાં બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી.આ માવઠાની આગાહીથી ગુજરાતના ખેડૂતો ચિંતિત બન્યા હતા. જોકે, હવે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી. હવામાન વિભાગે આજે આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં માવઠું થવાની શક્યતા ઓછી થઈ ગઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવનારા સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસે આજે જણાવ્યું છે કે, પહેલા જે બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ વરસાદની આગાહી હતી તેની શક્યતા ઓછી થઈ ગઈ છે. જે અંગે તમને અપડેટ કરતા રહીશું.

આગામી 24 કલાકમાં અમદાવાદનું આકાશ સ્વચ્છ રહેશે અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેવાની શક્યતા છે. તેમણે ઠંડી અંગે એમ પણ જણાવ્યું છે કે, હજી શિયાળો ગયો નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, તે આવ્યા બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. હજી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતા છે.

Related Posts

કચ્છમાં રેલ વિકાસને નવી ગતિ: ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને મંજૂરી

કચ્છમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલવેએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના આદિપુર-ભુજ રેલવે સેક્શનના 49 કિલોમીટર લાંબા ડબલિંગ (બેવડી લાઇન) પ્રોજેક્ટને ₹493 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં…

NEET-UG પરીક્ષા માટે ગુજરાતમાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા, DGPએ તૈયારીઓની કરી સમીક્ષા

આગામી 21 જૂને યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG)ને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *