રાજૂ કરપડાના રાજીનામાં મામલે પ્રતાપ દૂધાતના નિવેદન પર ઇસુદાન ગઢવીએ આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું

ગુજરાતના રાજકારણમાં છેલ્લા 3 દિવસથી રાજૂ કરપડાના રાજીનામાં અંગે સતત ચર્ચાઓ અને આરોપ પ્રત્યારોપની રાજનીતિ ચાલી રહી છે. આ દરમિયાન અમરેલી જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે રાજૂ કરપડાના રાજીનામાં અંગે ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા છે. પ્રતાપ દૂધાતે ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, રાજૂ કરપડા જેવા જ હાલ ઇસુદાન ગઢવીના થશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ‘ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીને સંપૂર્ણપણે મુક્ત કરી, પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. જનતાએ હવે આ રાજકીય ખેલ સમજવાની જરૂર છે.’ બીજી તરફ ઇસુદાન ગઢવીએ પણ કોંગ્રેસ પર આંકરા પ્રહારો કર્યા છે. ઇસુદાન ગઢવીએ કહ્યું કે, કોંગ્રેસ ઓલરેડી પતિ ગઈ છે. કોંગ્રેસના નેતાઓની નાવડી…

શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ પોતાના મતવિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનો કરાવ્યો શુભારંભ, જાણો વિગત

અમદાવાદ : શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ પોતાના અસારવા વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યો પ્રજાને અર્પણ કર્યા હતા. શહેરી વિકાસ રાજ્યમંત્રીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડના વિવિધ વિસ્તારોમાં જન સુખાકારીમાં વધારો કરતા વિવિધ પ્રકલ્પોનો શુભારંભ કરાવ્યો હતો. શહેરી વિકાસ રાજ્યમંત્રીએ ઇદગાહ સર્કલ પર નવનિર્મિત ચબૂતરો અને સર્કલનું લોકાર્પણ કરાવ્યું હતું. આ ઉપરાંત, શાહીબાગમાં નમસ્તે સર્કલ પાસે આવેલા હાજીપુરા ગાર્ડન ખાતે નવનિર્મિત ગજેબો તથા ડફનાળા જંક્શન પર નવનિર્મિત કમળ સ્કલ્પચરનું પણ મંત્રીએ લોકાર્પણ કરાવ્યું હતું. અસારવા વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ વિકાસ પ્રકલ્પોના શુભારંભ પ્રસંગે શહેરના મેયર પ્રતિભાબહેન જૈન, શાસક પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ, સ્થાનિક કાઉન્સિલરઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER…

શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને માઈનોરો હાર્ટ એટેક, જાણો કેવી છે તબિયત

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રદ્યુમન વાજાની તબિયત લથડતા પોતે અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રદ્યુમન વાજા સાંજ સુધી મુખ્યમંત્રી સાથે નિર્ધારિત જાહેર કાર્યક્રમમાં સતત વ્યસ્ત હતા. ગઈકાલે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અચાનક તબિયત લથડતા તેઓ સ્વૈચ્છિક રીતે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે રૂટિન ચેકઅપ માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તબીબો દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક ટેસ્ટ અને તપાસમાં હૃદયની નળીઓમાં બ્લોકેજ હોવાનું માલુમ પડ્યું હતું. રિપોર્ટમાં બ્લોકેજ જણાતા તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. તબિયત સુધારા પર પ્રદ્યુમન વાજાની સ્થિતિને લઈને તાત્કાલિક તેમની એન્જિયોપ્લાસ્ટી કરવાનો નિર્ણય લેવાયો હતો. શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને બ્લોકેજને કારણે એક સ્ટેન્ટ મુકવામાં આવ્યું છે. હોસ્પિટલના સૂત્રો મુજબ હાલ રાજ્યના શિક્ષણમંત્રી…

શિક્ષકોને શ્વાનની ગણતરીના સમાચાર મામલે શિક્ષણ વિભાગે અહેવાલોનો આપ્યો રદિયો, જાણો શું કહ્યું

રાજ્યમાં ગાઈકાલથી શિક્ષકોને શ્વાનની ગણતરી કરવા મામલે થયેલ પરિપત્ર મામલે મીડિયામાં સતત સમાચારો સામે આવી રહ્યા હતા. આ દરમિયાન ગાંધીનગર સ્થિત શાળાઓની કચેરીએ આ સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. આ સાથે જ સંયુક્ત શિક્ષણ નિયામકે એક પત્ર પણ જાહેર કર્યો છે. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે શિક્ષકોને આવી કોઈ પણ કામગીરી સોંપવામાં આવી નથી. મીડિયામાં આવતા સમાચારોને લઈને કમિશનર શાળાઓની કચેરીએ સત્તાવાર રીતે પત્ર જાહેર કર્યો છે કે, જિલ્લા શિક્ષણાધિકારીઓને જે આદેશો અપાયા છે તેમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો કે કર્મચારીઓએ કૂતરાં ગણવાની કામગીરી કરવાની રહેશે. આ સૂચનાઓ માત્ર જાહેરહિતમાં અને વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે આપવામાં આવી હતી, જેને મીડિયામાં ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.   નામદાર…

ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાણી કલ્યાણ અંગે જાગૃતતા માટે સૂચનો અપાયા

Gujarat Animal Welfare Boardએ 03 ફેબ્રુઆરી, 2026ના પત્ર અનુસાર રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, કચેરીઓ અને કેમ્પસમાં રહેલ પ્રાણીઓની સુખાકારી અને સલામતી માટે જરૂરી પગલાં અમલમાં લાવવા સૂચના આપી છે. આ કામગીરી રાજ્યના તમામ મ.સ.ત.પ્રમ કોર્ટના આદેશ અને સંબંધી પત્રોના અમલને અનુરૂપ છે. મુખ્ય સૂચનાઓ શૈક્ષણિક સંસ્થાઓ અને કેમ્પસ: સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન વગેરેમાં રહેલ પ્રાણીઓ માટે યોગ્ય વ્યવસ્થા અને સુરક્ષા સુનિશ્ચિત કરવી. પ્રાણીઓની સુખાકારી માટે સંસ્થા દ્વારા નિયમિત દેખરેખ અને જરૂરી કામગીરી કરવી. કચેરીઓ અને સરકારી વિભાગો: પ્રાણી કલ્યાણને ધ્યાનમાં રાખીને મો.સ.પ્રીમ કોર્ટના 07/11/2025ના આદેશ અનુસાર કામગીરી કરવી. મધ્યમ અને ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતી ટીમો અને કર્મચારીઓ પ્રાણીઓની સલામતી અને સન્માનને ધ્યાનમાં રાખીને કામ કરશે. જવાબદારી અને અમલ: રાજ્યના તમામ શૈક્ષણિક સંસ્થાઓ,…

જૂનાગઢ: મહાશિવરાત્રી મેળાનો ચોથો દિવસ, ભવનાથમાં 4 લાખથી વધુ ભક્તોની ભીડ

જૂનાગઢ ખાતે ચાલી રહેલા મહાશિવરાત્રીના ભવ્ય મેળાનો આજે ચોથો દિવસ છે. ભવનાથ મંદિર ખાતે અત્યાર સુધીમાં 4 લાખથી વધુ ભક્તોએ દર્શન કરી પુણ્યનો લાભ લીધો છે. ‘મિની કુંભ’ તરીકે ઓળખાતા આ મેળામાં જીવ અને શિવના મિલનનો અનોખો આધ્યાત્મિક માહોલ જોવા મળી રહ્યો છે. ભવનાથ મહાદેવના મંદિરમાં અવિરત ભક્તોનો ધસારો યથાવત છે. ગર્ભગૃહમાં બિલીપત્રથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે. તંત્ર દ્વારા સુરક્ષા અને સુવિધાની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે. 1,000 બસોનું સંચાલન: યાત્રિકો માટે વિશેષ આયોજન મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે યોજાયેલા આ વિશાળ મેળામાં લાખો શ્રદ્ધાળુઓની સલામત અને સુલભ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે Gujarat State Road Transport Corporation (એસ.ટી. નિગમ) દ્વારા…

ગુજરાતમાં બેવડી ઋતુની અસર: સવારે ગુલાબી ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ

ગુજરાતમાં હાલ હવામાનમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે તો બપોરના સમયે તાપમાન વધતા ગરમીનો અનુભવ થાય છે. રાજ્યના વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હોવા છતાં, શિયાળો આ વર્ષે નરમ રહ્યો હોવાનું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે. વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાન રાજ્યના અનેક શહેરોમાં આજે નોંધાયેલું સૌથી નીચું તાપમાન નીચે મુજબ છે: – નલિયા – 14.3°C – કેશોદ – 15.3°C – રાજકોટ – 15.5°C – ભૂજ – 17.4°C – ડીસા – 17.1°C – વડોદરા – 18.4°C – ગાંધીનગર – 18.8°C – ભાવનગર – 18.6°C – અમદાવાદ – 19.7°C આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યમાં સવાર-સાંજ ઠંડક હોવા છતાં કડકડતી ઠંડીનો અભાવ છે. શિયાળો ‘નરમ’ કેમ રહ્યો? હવામાન…

વડોદરા BCA ચૂંટણીમાં કાયદાકીય પેચ: કિરણ મોરે સહિતના દિગ્ગજો મુશ્કેલીમાં, હાઈકોર્ટે આપ્યો આદેશ

બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) ની આગામી ચૂંટણીઓના વિવાદે હવે કાયદાકીય વળાંક લીધો છે. વડોદરાના એક અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા ન્યાયાધીશે આ મામલે મહત્વનો વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે 15 ફેબ્રુઆરીના રોજ યોજાનારી પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી સહિતના હોદ્દાઓની ચૂંટણી નિર્ધારિત સમય મુજબ જ યોજાશે, પરંતુ હાઈકોર્ટની આગોતરી મંજૂરી વિના આ ચૂંટણીના પરિણામો જાહેર કરી શકાશે નહીં. અરજદારે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલા લોઢા સમિતિના માપદંડોને ટાંકીને પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જિકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરવાની માંગ કરી છે. આ કેસમાં BCCI અને BCA ને પક્ષકાર બનાવવામાં આવ્યા છે, કારણ કે અરજદારનો આક્ષેપ છે કે ચૂંટણી અધિકારીએ ઉમેદવારોની યોગ્યતા અંગેના વાંધા રજૂ કરવા છતાં…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું અમદાવાદ ઈસરો ખાતે યુવા વૈજ્ઞાનિકોને સંબોધન, સ્પેસ ટેકનોલોજી અને કૃષિ સંશોધન પર ભાર

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અમદાવાદ ઈસરો – સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા આયોજિત ડીપટેક ઈન્ડસ્ટ્રી કનેક્ટ 2026 કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાયન્સ કોમ્યુનિટીને સંબોધન કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે ભારતના વૈજ્ઞાનિકો આધુનિક યુગના યોગી સમાન છે. જેઓ તપ, અનુશાસન અને એકાગ્રતાથી રાષ્ટ્રને અંતરીક્ષ ક્ષેત્રે નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે. ભારતના અંતરીક્ષ વૈજ્ઞાનિકોની અથાગ મહેનતથી દેશે આજે સ્પેસ ટેકનોલોજીમાં અદ્દભૂત સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજ્યપાલએ જણાવ્યું કે સ્પેસ ટેકનોલોજી માત્ર સંશોધન પુરતી મર્યાદિત નથી પરંતુ તેમા સ્ટાર્ટઅપ, ઈનોવેશન, ડેટા સર્વિસ, ઉપગ્રહ આધારિત સેવાઓ અને ડિફેન્સ એપ્લિકેશન જેવા ક્ષેત્રોમાં રોકાણની વિશાળ તકો રહેલી છે. ખાનગીક્ષેત્ર અને ઉદ્યોગ સાહસિકો માટે સ્પેસ સેક્ટર ભાવિ વિકાસનું એક શક્તિશાળી માધ્યમ બની શકે છે. તેમણે એમ પણ જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર…

ગુજરાતના MSME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ SME સેક્ટરને મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત નેપાળ અને લંકા તથા માલદીવ્સના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સુ. સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી અને ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી. અમદાવાદમાં તા. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ રહેલા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના 12માં ટ્રેડશોમાં સહભાગી થવા આ ડેલિગેશન ગુજરાત આવેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ ડેલિગેશને ગાંધીનગરમાં યોજેલી સૌજન્ય મુલાકાત બેઠક દરમિયાન તેમણે ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝ સેક્ટરને ગુજરાતના SME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટિઝનો સહયોગ મળે તે અંગે ફળદાયી ચર્ચા-પરામર્શ કર્યા હતા. ઝિમ્બાબ્વેના એમ્બેસેડરઅને ડેપ્યુટી મિનિસ્ટરએ આ સંદર્ભમાં કહ્યું કે, ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબ અને ઉભરતા સેકટર એવા સેમિકન્ડક્ટરમાં પણ હબ બનવા સાથે MSME સેક્ટરમાં પણ અગ્રેસર છે તેનો લાભ લેવા ઝિમ્બાબ્વે…