જૂનાગઢ: મહાશિવરાત્રી મેળાનો ચોથો દિવસ, ભવનાથમાં 4 લાખથી વધુ ભક્તોની ભીડ

જૂનાગઢ ખાતે ચાલી રહેલા મહાશિવરાત્રીના ભવ્ય મેળાનો આજે ચોથો દિવસ છે. ભવનાથ મંદિર ખાતે અત્યાર સુધીમાં 4 લાખથી વધુ ભક્તોએ દર્શન કરી પુણ્યનો લાભ લીધો છે. ‘મિની કુંભ’ તરીકે ઓળખાતા આ મેળામાં જીવ અને શિવના મિલનનો અનોખો આધ્યાત્મિક માહોલ જોવા મળી રહ્યો છે. ભવનાથ મહાદેવના મંદિરમાં અવિરત ભક્તોનો ધસારો યથાવત છે. ગર્ભગૃહમાં બિલીપત્રથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે. તંત્ર દ્વારા સુરક્ષા અને સુવિધાની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે.

1,000 બસોનું સંચાલન: યાત્રિકો માટે વિશેષ આયોજન
મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે યોજાયેલા આ વિશાળ મેળામાં લાખો શ્રદ્ધાળુઓની સલામત અને સુલભ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે Gujarat State Road Transport Corporation (એસ.ટી. નિગમ) દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ ખૂણેથી આવતા યાત્રિકોને પરિવહનમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ વર્ષે કુલ 1,000 બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

850 કર્મચારીઓ 24 કલાક કાર્યર
– જૂનાગઢ ઝોનના 850 કર્મચારીઓ 24 કલાક સેવા આપી રહ્યા છે. મેળા દરમિયાન:
– જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાઓમાંથી આવતા ભક્તો માટે 330 બસો દોડાવવામાં આવી છે.
– અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, કચ્છ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદ સહિતના જિલ્લાઓ માટે વધારાની 500 બસો ફાળવવામાં આવી છે.
– જરૂર પડે તો વધારાની 75 બસો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

આધ્યાત્મિકતા અને વ્યવસ્થાનો સમન્વય
ભવનાથ ખાતે ચાલી રહેલો મહાશિવરાત્રી મેળો માત્ર ધાર્મિક આસ્થા નહીં પરંતુ સંસ્કૃતિ અને વ્યવસ્થાપનનો અનોખો મેળાપ સાબિત થઈ રહ્યો છે. લાખો ભક્તોની ઉપસ્થિતિ છતાં સુચારુ આયોજન અને તંત્રની સજ્જતાના કારણે યાત્રાળુઓને સુખદ અનુભવ મળી રહ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

UGC-NET 2026માં મોટી કાર્યવાહી: અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રની ફરી પરીક્ષા, NTAએ જાહેર કરી તારીખ

UGC-NET જૂન 2026 સત્રને લઈને લાખો ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પરીક્ષાના ત્રણ વિષયોમાં ગંભીર ક્ષતિઓની ફરિયાદો બાદ રી-એક્ઝામ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NTAના જણાવ્યા મુજબ અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્ર (સોશિયોલોજી) વિષયની પરીક્ષા ફરી લેવામાં આવશે. ઉમેદવારો દ્વારા પ્રશ્નપત્રની ગુણવત્તા, ભાષાંતર અને ટાઈપિંગ સંબંધિત ફરિયાદો કરવામાં આવ્યા બાદ સમગ્ર મામલાની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોમાં તથ્ય હોવાનું સામે આવ્યા બાદ આ ત્રણ વિષયની પરીક્ષા ફરી યોજવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી અસરગ્રસ્ત ઉમેદવારોને ફરી એકવાર પરીક્ષામાં બેસવાની તક મળશે. UGC-NET ત્રણ વિષયોની રી-એક્ઝામની તારીખ જાહેર NTA દ્વારા જાહેર કરવામાં આવેલા નવા કાર્યક્રમ મુજબ અંગ્રેજી વિષયની પુનઃપરીક્ષા 9 સપ્ટેમ્બર 2026ના…

ઈરાનનું મોટું એલાન: અમેરિકી સૈનિકને પકડવા કે મારવા પર 30 હજાર ડૉલરનું ઈનામ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ગંભીર સૈન્ય તણાવ વચ્ચે ઈરાને વધુ એક આક્રમક જાહેરાત કરીને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ઈરાનના આર્મી ચીફ કમાન્ડર અમીર હાતમીએ જાહેરાત કરી છે કે જે વ્યક્તિ કોઈ અમેરિકી સૈનિકને મારી નાખશે અથવા જીવતો પકડીને ઈરાની સેનાને સોંપશે, તેને 30,000 અમેરિકી ડૉલર એટલે કે અંદાજે 28 લાખ રૂપિયા જેટલું ઈનામ આપવામાં આવશે. આ જાહેરાતથી મધ્ય પૂર્વમાં પહેલેથી જ તંગ બનેલી સ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. તેહરાનમાં કમાન્ડર અમીર હાતમીની જાહેરાત અહેવાલો અનુસાર ઈરાની આર્મી ચીફ અમીર હાતમીએ રવિવાર, 16 ઓગસ્ટે તેહરાનમાં એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકી સૈન્યના કોઈ “આક્રમણકારી” જવાનને પકડનાર અથવા ઠાર કરનાર વ્યક્તિને ઈરાની સેનાની તરફથી નાણાકીય ઈનામ…