ગુજરાતના MSME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ SME સેક્ટરને મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત નેપાળ અને લંકા તથા માલદીવ્સના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સુ. સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી અને ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી.

અમદાવાદમાં તા. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ રહેલા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના 12માં ટ્રેડશોમાં સહભાગી થવા આ ડેલિગેશન ગુજરાત આવેલું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ ડેલિગેશને ગાંધીનગરમાં યોજેલી સૌજન્ય મુલાકાત બેઠક દરમિયાન તેમણે ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝ સેક્ટરને ગુજરાતના SME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટિઝનો સહયોગ મળે તે અંગે ફળદાયી ચર્ચા-પરામર્શ કર્યા હતા.

ઝિમ્બાબ્વેના એમ્બેસેડરઅને ડેપ્યુટી મિનિસ્ટરએ આ સંદર્ભમાં કહ્યું કે, ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબ અને ઉભરતા સેકટર એવા સેમિકન્ડક્ટરમાં પણ હબ બનવા સાથે MSME સેક્ટરમાં પણ અગ્રેસર છે તેનો લાભ લેવા ઝિમ્બાબ્વે ઉત્સુક છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાતના MSMEની આ તજજ્ઞતાનો લાભ ઝિમ્બાબ્વેને મળી રહે તે માટે તેમના SME સેક્ટરના પોટેન્શિયલ અને સ્કીલ ડેવલપમેન્ટ તથા ટ્રેનિંગમાં કઈ રીતે કોલાબોરેશનથી આગળ વધી શકાય તેની સંભાવનાઓ ચકાસીને મદદ માટેની તત્પરતા વ્યક્ત કરી હતી.

ઝિમ્બાબ્વે ડેલિગેશને ઉદ્યોગ વેપાર ઉપરાંત એજ્યુકેશન સેક્ટરમાં પણ ગુજરાત સાથે સંબંધો વિસ્તારવામાં રસ દાખવ્યો હતો. ગાંધીનગરની NFSUમાં સિક્યુરિટી, સાયબર ક્રાઇમ સિક્યુરિટી જેવા વિવિધ વિષયોના ઉચ્ચ અભ્યાસક્રમમાં ઝિમ્બાબ્વેના પોલીસ અને સિક્યુરિટી અધિકારીઓ જોડાયેલા છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝિમ્બાબ્વે આગામી વાઇબ્રન્ટ સમિટ-2027 અને વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની આગામી કડીમાં સહભાગી થાય તે માટેનું આમંત્રણ પાઠવ્યું હતું.

ઝિમ્બાબ્વેના એમ્બેસેડર તથા ડેપ્યુટી મિનિસ્ટરે માર્ચ-2026માં તેમને ત્યાં યોજાઇ રહેલા SME એક્ઝિબિશનમાં ગુજરાતના MSME સેક્ટરના ઉદ્યોગકારો અને રાજ્ય સરકારના અધિકારીઓને મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું.

SME અને ટ્રેડના લોકો સાથે ઇન્ટરેકશન અને ઉદ્યોગોની પ્રત્યક્ષ મુલાકાતથી ઝિમ્બાબ્વેના SME સેક્ટરને નવી ટેકનોલોજી સુસંગત વિકાસ માટેની તક આના પરિણામે મળશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મતી મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ અને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે આ સૌજન્ય મૂલાકાત બેઠકમાં જોડાયા હતા.

Related Posts

UGC-NET 2026માં મોટી કાર્યવાહી: અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રની ફરી પરીક્ષા, NTAએ જાહેર કરી તારીખ

UGC-NET જૂન 2026 સત્રને લઈને લાખો ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પરીક્ષાના ત્રણ વિષયોમાં ગંભીર ક્ષતિઓની ફરિયાદો બાદ રી-એક્ઝામ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NTAના જણાવ્યા મુજબ અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્ર (સોશિયોલોજી) વિષયની પરીક્ષા ફરી લેવામાં આવશે. ઉમેદવારો દ્વારા પ્રશ્નપત્રની ગુણવત્તા, ભાષાંતર અને ટાઈપિંગ સંબંધિત ફરિયાદો કરવામાં આવ્યા બાદ સમગ્ર મામલાની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોમાં તથ્ય હોવાનું સામે આવ્યા બાદ આ ત્રણ વિષયની પરીક્ષા ફરી યોજવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી અસરગ્રસ્ત ઉમેદવારોને ફરી એકવાર પરીક્ષામાં બેસવાની તક મળશે. UGC-NET ત્રણ વિષયોની રી-એક્ઝામની તારીખ જાહેર NTA દ્વારા જાહેર કરવામાં આવેલા નવા કાર્યક્રમ મુજબ અંગ્રેજી વિષયની પુનઃપરીક્ષા 9 સપ્ટેમ્બર 2026ના…

ઈરાનનું મોટું એલાન: અમેરિકી સૈનિકને પકડવા કે મારવા પર 30 હજાર ડૉલરનું ઈનામ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ગંભીર સૈન્ય તણાવ વચ્ચે ઈરાને વધુ એક આક્રમક જાહેરાત કરીને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ઈરાનના આર્મી ચીફ કમાન્ડર અમીર હાતમીએ જાહેરાત કરી છે કે જે વ્યક્તિ કોઈ અમેરિકી સૈનિકને મારી નાખશે અથવા જીવતો પકડીને ઈરાની સેનાને સોંપશે, તેને 30,000 અમેરિકી ડૉલર એટલે કે અંદાજે 28 લાખ રૂપિયા જેટલું ઈનામ આપવામાં આવશે. આ જાહેરાતથી મધ્ય પૂર્વમાં પહેલેથી જ તંગ બનેલી સ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. તેહરાનમાં કમાન્ડર અમીર હાતમીની જાહેરાત અહેવાલો અનુસાર ઈરાની આર્મી ચીફ અમીર હાતમીએ રવિવાર, 16 ઓગસ્ટે તેહરાનમાં એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકી સૈન્યના કોઈ “આક્રમણકારી” જવાનને પકડનાર અથવા ઠાર કરનાર વ્યક્તિને ઈરાની સેનાની તરફથી નાણાકીય ઈનામ…