RBI ગવર્નર સંજય મલ્હોત્રાનો ચેતાવણી સંદેશ,નિકાસ 0.2% ઘટી, વેપારી આયાતમાં 22%થી વધુનો વધારો

RBI (Reserve Bank of India) ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે, ભારતની વેપારી નિકાસ આ વર્ષના પ્રથમ બે મહિનામાં વાર્ષિક ધોરણે 0.2% ઘટી છે જે મુખ્ય બજારોમાં નિકાસ સંકોચનનું પરિણામ છે બીજી તરફ, વેપારી આયાતમાં 22%થી વધુનો બે-અંકનો વધારો નોંધાયો છે, ખાસ કરીને સોનાની આયાત વધવાથી. પરિણામે, વેપાર ખાધમાં વધારો થયો છે.ગયા વર્ષે ચોથા ક્વાર્ટરમાં સેવાઓ નિકાસ અને આવક મજબૂત રહેવાના કારણે ભારતની ચાલુ ખાતાની ખાધ સ્થિર રહી શકે છે. જોકે, વૈશ્વિક અનિશ્ચિતતા અને ઊર્જા ચીજવસ્તુઓના ઊંચા ભાવ આ વર્ષમાં ચાલુ ખાતાની ખાધ માટે જોખમ ઊભું કરે છે RBI ગવર્નરે જણાવ્યું કે, તાજેતરના દ્વિપક્ષીય અને પ્રાદેશિક વેપાર કરારો ભારતના વેપાર અને રોકાણ માટે નવા તકો પ્રદાન કરશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/…

કોમનવેલ્થ ગેમ્સ 2030ની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ-અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમની પ્રથમ ગુજરાત મુલાકાત

ગુજરાત અને અમદાવાદમાં 2030 માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વતૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ પ્રથમવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી છે. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ યુત ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં આ ટિમના પાંચ સભ્યો ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોશીએસનના પદાધિકારીઓ સાથે 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા-સૌજન્ય મુલાકાતથી આ ડેલિગેશને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરે અને સીઈઓ સુ કાટે સેડલીરે ગુજરાતમાં તેમને મળેલા ઉષ્માપૂર્ણ આવકાર અને આતિથ્ય સત્કાર માટે પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ટાઇમ બાઉન્ડ, ક્વોલિટીવ અને ઇફેક્ટિવ પ્લાનિંગના આપેલા મંત્રને સાકાર કરીને શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ટિમવર્કથી કાર્યરત રહીને આ ગેમ્સ ભવ્યતા પૂર્વક યોજવાનું રાજ્ય સરકારનું કમિટમેન્ટ છે…

પાકિસ્તાનમાં સ્માર્ટ લોકડાઉન: રાત્રે 8 વાગ્યે બજારો બંધ કરવાનો નિર્ણય,ઈરાન યુદ્ધ વચ્ચે શાહબાઝ શરીફની મોટી જાહેરાત

પાકિસ્તાનની સરકારે પંજાબ, ખૈબર પખ્તુનખ્વા, બલુચિસ્તાન, ઇસ્લામાબાદ રાજધાની પ્રદેશ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં બજારો, શોપિંગ મોલ અને વાણિજ્યિક વિસ્તારો રાત્રે 8 વાગ્યે બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગ અવરોધિત કર્યા પછી દક્ષિણ એશિયન અને યુરોપિયન દેશોએ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની અછતનો સામનો કરવો પડ્યો છે. ભારત, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોએ આ કટોકટીને ઘટાડવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે, પરંતુ પાકિસ્તાને આ કટોકટીમાંથી છટકવા માટે સ્માર્ટ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે, વડા પ્રધાન શાહબાઝ શરીફે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં ઊર્જા સંરક્ષણ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના ઉપયોગને ઓછામાં ઓછો કરવા પર ધ્યાન કેન્દ્રિત…

અક્ષય તૃતીયા 2026: સોનાં-ચાંદીની ખરીદી માટે કેમ છે ખાસ? જાણો ધાર્મિક કારણો

હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર 19 એપ્રિલ 2026, રવિવારે ઉજવાશે. માન્યતા છે કે આ દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે, ખરીદી હોય, દાન હોય અથવા કોઈ નવા કાર્યની શરૂઆત  તેનું શુભ ફળ જરૂર મળે છે. અક્ષય તૃતીયા પર સોનું-ચાંદી ખરીદવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. હિંદુ પંચાંગ મુજબ આ દિવસ ખૂબ જ શુભ ગણાય છે અને કોઈપણ શુભ કાર્ય માટે અલગથી મુહૂર્ત જોવા જરૂરી નથી. માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલી ખરીદી, દાન અથવા રોકાણ અક્ષય (અવિનાશી) ફળ આપે છે. અક્ષય તૃતીયા પર સોનું-ચાંદી ખરીદવાનો શુભ સમય વર્ષ 2026માં ‘અક્ષય તૃતીયા‘ નો તહેવાર સવારે…

સબરીમલા થી સમાન અધિકારો સુધી: સુપ્રીમ કોર્ટમાં મોટો નિર્ણય આજ

ભારતના ન્યાયિક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ મુદ્દા તરીકે ફરી એકવાર Supreme Court of India માં ધાર્મિક સ્થળોએ મહિલાઓના પ્રવેશ અને સમાન અધિકારો અંગેની ચર્ચા શરૂ થઈ છે. 9 ન્યાયાધીશોની બંધારણીય પીઠ આજે એટલે કે 7 એપ્રિલથી આ મામલાની સુનાવણી શરૂ કરી રહી છે, જે 22 એપ્રિલ સુધી ચાલવાની છે. સબરીમલા મુદ્દો કેન્દ્રમાં Sabarimala Temple માં મહિલાઓના પ્રવેશને લઈને અગાઉ આપવામાં આવેલા ચુકાદા સામે રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવ્યા છે. આ કેસમાં મુખ્ય પ્રશ્ન એ છે કે શું તમામ ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશનો અધિકાર હોવો જોઈએ કે નહીં. અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ ચર્ચામાં આ સુનાવણી દરમિયાન માત્ર સબરીમલા મુદ્દો જ નહીં, પરંતુ અન્ય ધર્મો સાથે સંબંધિત સંવેદનશીલ મુદ્દાઓ પર પણ ચર્ચા થશે: મસ્જિદોમાં મહિલાઓને પ્રવેશનો અધિકાર Dawoodi Bohra…

જિલ્લા શિક્ષણ વિભાગ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની શાળાઓમાં ‘સ્વેપ’ અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 ના સંદર્ભમાં અમદાવાદના નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તેવા આશયથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આજે અમદાવાદની વિવિધ શાળાઓમાં ‘લોકશાહીના મહાપર્વ’ નિમિત્તે વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી 26 એપ્રિલ, 2026 ના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે ‘સ્વેપ’ (Systematic Voters’ Awareness Plan-SVAP) અભિયાન અંતર્ગત ચિત્ર અને નિબંધ લેખન સ્પર્ધાઓની સાથે સામૂહિક મતદાન જાગૃતિ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ‘શિક્ષિત મતદાતા, સચેત મતદાતા’, ‘મારો મત, મારી તાકાત’ અને ‘મારો મત, લોકશાહીનો આધાર’ જેવા વિષયો પર પોતાની કલા અને વિચારોના માધ્યમથી મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. વધુમાં, વિદ્યાર્થીઓએ લોકશાહીના આ ઉત્સવમાં પોતાની ભાગીદારી નોંધાવતા મતદાન કરવા માટેના પવિત્ર શપથ ગ્રહણ…

અક્ષય કુમારની ‘ભૂત બંગલા’નો ટ્રેલર રિલીઝ: ફરી એકવાર હોરર-કોમેડીમાં રાજ!

બોલિવૂડના જાણીતા અભિનેતા Akshay Kumar ફરી એકવાર પોતાની અનોખી શૈલી સાથે દર્શકોને મનોરંજન આપવા તૈયાર છે. તેમની નવી ફિલ્મ ‘ભૂત બંગલા’ નો ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયો છે, જેને સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ ‘ભૂત બંગલા’ હોરર અને કોમેડીનો મજબૂત મિશ્રણ છે. ટ્રેલરમાં જોવા મળે છે કે અક્ષય કુમાર એક એવા બંગલામાં પહોંચે છે જ્યાં અજાણી અને ડરાવની ઘટનાઓ બને છે. પરંતુ તેમની ટાઈમિંગ અને હાસ્યપ્રદ અભિનયથી ડર વચ્ચે પણ દર્શકોને હસાવવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટ્રેલરમાં સસ્પેન્સ, થ્રિલ અને કોમિક સીનનો બેલેન્સ જોવા મળે છે, જે ફિલ્મને પરિવાર સાથે જોવા યોગ્ય બનાવે છે. ખાસ કરીને અક્ષય કુમારના એક્સપ્રેશન અને ડાયલોગ ડિલિવરી ફરી એકવાર લોકોને ગમી રહી છે. ફિલ્મના ડિરેક્ટર અને અન્ય…

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ, બોબી દેઓલ થયા ભાવુક

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ને તાજેતરમાં લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા, જે પ્રસંગે સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ ખાસ અવસરે તેમના પુત્ર અને અભિનેતા બોબી દેઓલ ખૂબ જ ભાવુક બની ગયા હતા. બોબી દેઓલે પોતાના પિતાના સન્માન પર ગર્વ વ્યક્ત કરતાં કહ્યું કે, “પાપાએ વર્ષો સુધી પોતાની મહેનત અને પ્રતિભાથી લોકોના દિલોને સ્પર્શ્યા છે. આજે જે પ્રેમ અને સન્માન અમને મળે છે, તે તેમના કારણે જ છે.” તેમના આ શબ્દોમાં પિતાપ્રત્યેનો આદર અને લાગણી સ્પષ્ટ દેખાઈ આવી. ધર્મેન્દ્રએ પોતાના લાંબા ફિલ્મી કરિયરમાં અનેક યાદગાર ફિલ્મો આપી છે અને પોતાના અભિનયથી કરોડો ચાહકોના દિલ જીતી લીધા છે. આ એવોર્ડ તેમના દાયકાઓ લાંબા યોગદાનને માન્યતા આપતો મહત્વપૂર્ણ સન્માન છે. આ પ્રસંગે ફિલ્મ જગતના…

ભાજપના 46મા સ્થાપના દિવસની ગાંધીનગરમાં ભવ્ય ઉજવણી, ‘કમલમ’ ખાતે કેસરીયો માહોલ, કાર્યકરોની ભીડ

ગાંધીનગર:  ગાંધીનગર ખાતે આવેલા કમલમ કાર્યાલય માં ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના હસ્તે ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી.  આ પ્રસંગે ભાજપના સ્થાપકો, વરિષ્ઠ નેતાઓ અને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધારાસભ્યો, પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ‘કમલમ’ કાર્યાલય સમગ્ર રીતે કેસરીયા રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો, જ્યાં કાર્યકરોમાં ઉત્સાહ અને ઉજવણીનો વિશેષ માહોલ સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન કાર્યકરો દ્વારા ભાજપના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપના આગેવાનો દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા, તેમજ બૂથ…

111-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે 3 ઉમેદવારોએ 6 નામાંકન પત્રો ભર્યા

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની 111-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તા. 23 મી એપ્રિલ ના રોજ મતદાન થનાર છે. તે માટે 111- ઉમરેઠ વિધાનસભાના ચૂંટણી અધિકારી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તારીખ 30 માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવા માટે નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. CEO Gujarat Press Note 04.04.2026 (1) જે અન્વયે આજના દિવસે તા. 04-04-2026  ના રોજ નીચે મુજબના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે. 1. મૌલિકકુમારુમાર વિનોદચંદ્ર શાહ ભારતીય નેશનલ જનતા દળ 111- ઉમરેઠ 2. હર્ષદ ગોવિંદભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટી 111- ઉમરેઠ 3. વિમલકુમાર કાંતીલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 111- ઉમરેઠ અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કુલ 17 અરજદારો દ્વારા42 ઉમેદવારી પત્રો મેળવવામાં આવ્યા છે. જાહેર રજાના…