પાકિસ્તાનમાં સ્માર્ટ લોકડાઉન: રાત્રે 8 વાગ્યે બજારો બંધ કરવાનો નિર્ણય,ઈરાન યુદ્ધ વચ્ચે શાહબાઝ શરીફની મોટી જાહેરાત

પાકિસ્તાનની સરકારે પંજાબ, ખૈબર પખ્તુનખ્વા, બલુચિસ્તાન, ઇસ્લામાબાદ રાજધાની પ્રદેશ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં બજારો, શોપિંગ મોલ અને વાણિજ્યિક વિસ્તારો રાત્રે 8 વાગ્યે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગ અવરોધિત કર્યા પછી દક્ષિણ એશિયન અને યુરોપિયન દેશોએ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની અછતનો સામનો કરવો પડ્યો છે. ભારત, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોએ આ કટોકટીને ઘટાડવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે, પરંતુ પાકિસ્તાને આ કટોકટીમાંથી છટકવા માટે સ્માર્ટ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે, વડા પ્રધાન શાહબાઝ શરીફે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં જાહેરાત કરી દીધી છે.

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં ઊર્જા સંરક્ષણ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના ઉપયોગને ઓછામાં ઓછો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

  • Related Posts

    NEET-UG પરીક્ષા માટે ગુજરાતમાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા, DGPએ તૈયારીઓની કરી સમીક્ષા

    આગામી 21 જૂને યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG)ને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા…

    મુંબઈ-પુણે વચ્ચે દોડશે બુલેટ ટ્રેન, માત્ર 48 મિનિટમાં પૂર્ણ થશે 170 કિમીની મુસાફરી

    દેશમાં હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણને લઈને કેન્દ્ર સરકાર મોટા પગલાં ભરી રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જાહેરાત કરી છે કે આગામી વર્ષથી મુંબઈ-પુણે બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણ કાર્યની…