સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન, જાણો શું કહ્યું…..

સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનુ નિવેદન સામે આવ્યું છે. સમગ્ર બાબતે તેઓ જણાવ્યું હતું કે, શિવ શક્તિ માર્કેટમાં આગ લાગી હતી, જેમાં તમામ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પોહોંચીને કામગીરી શરૂ કરી હતી. આગની ઘટનાને લઇ અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર ઘટનાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત વિગતો મેળવી રહ્યા છે. અને તેઓ લોકોને મદદ કરી શકાય તેના માટે ચર્ચા કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં ગઇકાલે આગ લાગવાની ઘટના બની હતી. જે આગ 24 કલાક બાદ પણ બેકાબૂ જોવા મળી છે. આ ઘટનાના કારણે માર્કેટના વેપારીઓને હાલાકી વેઠવાની વારી આવી હતી. ત્યારે શિવશક્તિ ટેક્સટાઈલ બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ થયું હોવાનું સામે આવ્યું છે.…

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ: આજથી ST નિગમ દ્વારા કરાઈ ખાસ સુવિધા

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ 2025 સુધી પરીક્ષા ચાલશે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી નિગમના અધિકારી વિષ્ણુ દવે જણાવ્યું છે કે, “27 ફેબ્રુઆરી 2025થી 17 માર્ચ 2025 દરમિયાન ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સંદર્ભે એસ.ટી. નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એસ.ટી. નિગમ દ્વારા દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસો ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રિપો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.” એસટી નિગમને જે તે જિલ્લા વહીવટી તંત્ર તરફથી 85 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવાની માંગણી મળેલી હતી. હજુ…

પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બેઠકની શરુઆત, જાણો કયાં-કયાં મુદ્દાઓ પર થશે ચર્ચા

B INDIA ગાંધીનગર : ગાંધીનગરમાં આજે વિધાનસભાની બેઠકની શરુઆત થવાની છે. જેમાં ઉદ્યોગ, લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગ વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કુટીર ઉદ્યોગ, મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા કરાશે. જોકે, રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. ત્યારે પ્રશ્વોત્તરી કાળ બાદ ગુજરાત લઘુમતી કલ્યાણ અને સંરક્ષણ બિન સરકારી વિધેયક ગૃહમાં રજૂ થશે. જેમાં બિન સરકારી વિધેયક પર ચર્ચા થનાર છે. આ ઉપરાંત અન્ય 4 બિન સરકારી વિધેયક ગૃહમાં બીજું અને ત્રીજું વાંચન થશે. આ ઉપરાંત ગુજરાત પાણી પ્રદૂષણ વિધેયકનું વાંચન વિધાનસભામાં કરવામાં આવશે. જેમાં જાહેર સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મુકવા બાબત વિધેયકનું વાંચન થનાર છે. જેમાં…

‘જ્યારે હું ટીમ સાથે હતો…’, અફઘાનિસ્તાનની ઐતિહાસિક જીત બાદ અજય જાડેજાનું નિવેદન વાયરલ

અફઘાનિસ્તાને બુધવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ગ્રુપ બી મેચમાં ઈંગ્લેન્ડને આઠ રનથી હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી અને 2025ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનને બહાર કરી દીધા. અઝમતુલ્લા ઓમરઝાઈએ ​​ICC ODI ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાન માટે શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કર્યું હતું. તેણે 58 રનમાં 5 વિકેટ લીધી હતી અને ટીમને ઈંગ્લેન્ડ સામે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં બંને ટીમોએ 642 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાને 7 વિકેટ ગુમાવીને 325 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડનો સ્કોર 317 હતો. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં સૌથી વધુ રન 707 હતા. વર્ષ 2017માં ભારત વિરુદ્ધ શ્રીલંકા મેચમાં 643 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનની જીત બાદ અફઘાનિસ્તાનના પૂર્વ મેન્ટર અજય જાડેજાએ પ્રતિક્રિયા આપી છે. અજય જાડેજાએ કહ્યું કે,…

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે થઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલ, આ છે આખું સમીકરણ

અફઘાનિસ્તાનની ટીમે શાનદાર પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડને 8 રનથી હરાવીને સેમીફાઈનલમાં પહોંચવાની આશાઓ વધારી દીધી હતી. અફઘાનિસ્તાનની જીતે ઈંગ્લેન્ડ (AFG vs ENG) ને સેમિફાઈનલની રેસમાંથી બહાર કરી દીધી છે. આ જીત સાથે અફઘાનિસ્તાનની ટીમ હવે સેમીફાઈનલમાં પહોંચવાની આશા રાખી શકે છે. તમને જણાવી દઈએ કે આ જીત સાથે અફઘાનિસ્તાનની ટીમ -0.990ના રન રેટ સાથે ગ્રુપ બીમાં ત્રીજા સ્થાન પર આવી ગઈ છે. હવે અફઘાનિસ્તાન પાસે સેમિફાઇનલમાં જવાની તક છે. અફઘાનિસ્તાન ટીમની આગામી મેચ 28 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે થવાની છે. આ મેચ જીતીને અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકે છે. હવે બીજી તરફ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પણ સેમીફાઈનલ થઈ શકે છે કે કેમ તે અંગે પણ ચર્ચા થઈ રહી છે. કારણ કે ભારતીય ટીમ પહેલાથી જ સેમીફાઈનલમાં…

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં આજે યલો એલર્ટ!

રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ પવનો અને ભેજને કારણે બફારાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોધાય તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાત સહિત કોંકણ, ગોવા, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું એલર્ટ આપ્યું છે. -> ક્યાં કેટલું તાપમાન? :- હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, બુધવારે અમદાવાદમાં 36.8, ડીસામાં 34.6, ગાંધીનગરમાં 36.6, વીવી નગરમાં 38.5, વડોદરામાં 36.8, સુરતમાં 38.4, ભૂજમાં 37.4, નલિયામાં 36.0, કંડલા પોર્ટમાં 34.9, અમરેલીમાં 38.0, ભાવનગરમાં 36.8, પોરબંદરમાં 38.6, રાજકોટમાં 38.7, કેશોદમાં 38.6, સુરેન્દ્રનગરમાં 37.8માં મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ, સુરત, વી. વી નગર, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનદરમાં 21 ડિગ્રીથી વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. -> આગામી બે દિવસમાં તાપમાનમાં થશે…

ગુજરાત: આજથી ધોરણ 10-12ની પરીક્ષાનો આરંભ, 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

આજથી ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની (GSEB) બોર્ડ પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે. રાજ્યમાં GSEB બોર્ડમાં ધોરણ-10 અને 12ના કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા. જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે. જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4.23 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. -> પરીક્ષા કેન્દ્રો સજ્જ બન્યા :- GSEB બોર્ડ પરીક્ષાને લઈને 5222 બિલ્ડીંગના 50991 બ્લોકમાં પરીક્ષાનું આયોજન હાથ ધરાયું છે. તમામ પરીક્ષા કેન્દ્રોના 50991 બ્લોક CCTVથી સજ્જ થઈ ગયા છે. બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે તમામ કેન્દ્રો પરી વિદ્યાર્થીઓનું પુષ્પ આપી સ્વાગત કરાશે. -> શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાનો સંદેશ :- શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાને લઈને શુભકામના પાઠવી. શિક્ષણમંત્રીએ પરીક્ષા આપતા વિદ્યાર્થી અને તેમના પરીવારને સંદેશ…

સુરતના શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગેલી આગ કાબુમાં; 450 થી વધુ દુકાનો બળીને ખાખ

B INDIA સુરત : બુધવારે સવારે ચાર માળના શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ 30 કલાકથી વધુ સમયની જહેમત બાદ કાબુમાં લેવામાં આવી છે. દરમિયાન, ઇમારતમાં આવેલી 800 થી વધુ દુકાનોમાંથી 450 થી વધુ દુકાનો આગને કારણે બળીને ખાખ થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે સવારે સુરતના શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઇટર હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં લગભગ અડધી દુકાનો નાશ પામી હતી. ઇમારતની માળખાકીય સ્થિરતા અંગે ચિંતાઓને કારણે, બહારથી અગ્નિશામક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કાપડ બજારમાં 834 દુકાનો છે, જેમાં મુખ્યત્વે પોલિએસ્ટર સાડીઓ અને અન્ય કાપડ ઉત્પાદનોનો સ્ટોક છે. બાજુની ઇમારતો પણ કાપડ બજારો હોવાથી, આગને વધુ ફેલાતી અટકાવવી એક મોટો…

અમદાવાદમાં વર્ષો જૂની પરંપરા પુનઃશરૂ, નગરદેવી માતા ભદ્રકાળીની નગરયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

અમદાવાદમાં આજે ઉજવણીનો માહોલ છે. આજે અમદાવાદ સ્થાપના દિવસ અને મહાશિવરાત્રી પર્વની સાથે નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન હાથ ધરાયું છે. 614 વર્ષ બાદ ભદ્રકાળી મંદિરથી નગરદેવીની નગરયાત્રા નીકળી છે. નગરદેવીની નગરયાત્રાને લઈને ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો છે. મંદિરના મહારાજ, મેયર પ્રતિભા જૈન અને મંત્રી જગદીશ વિશ્વકર્માએ પહિંદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરાવ્યું છે. નગરદેવી ભદ્રકાળી માતા નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તો ઊમટ્યા છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને ખુલ્લી જીપ અને વાહનો સાથે નગરજનો રથ લઈ આગળ વધી રહ્યાં છે. નગરયાત્રામાં અનેક અખાડાઓ પણ જોડાયા છે. નગરયાત્રા ત્રણ દરવાજા પાસે પહોંચતા જ ભાજપના કોર્પોરેટર પંકજ ભટ્ટ દ્વારા આરતી ઉતારવામાં આવી, આ સાથે જ મુસ્લિમ સમુદાય દ્વારા…

સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, વેપારીઓને થયું કરોડો રૂપિયાનું નુકસાન

સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. ટેક્સટાઈલમાં આગ લાગતા ફાયરની ટીમો દોડતી થઈ હતી. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.અને માર્કેટની અનેક દુકાનો આગની ચપેટમાં આવી હતી. -> આગ લાગતા અફરાતફરીનો માહોલ :- ટેકસટાઇલ માર્કેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શિવશક્તિ ટેકસટાઇલ માર્કેટ ગીચ વિસ્તારમાં આવેલ હોવાથી ત્યાં ચાલવું પણ મુશ્કેલ હોય છે ત્યારે આગ પર કાબુ મેળવવા ફાયર ફાઇટરો માટે માથાનો દુખાવો બન્યો છે. કારણે કોઈપણ વ્યક્તિએ આ વિસ્તારમાંથી પસાર થવું હોય તો બહુ સમય લાગે છે ત્યારે ગીચ વિસ્તારમાં ફાયરબ્રિગેડની ગાડીઓ અંદર કેવી રીતે લઈ જવી તે પણ મોટો પ્રશ્ન રહે છે. માર્કેટના આ રસ્તાથી થઈ સુરત રેલવે સ્ટેશન જવાય છે એટલે સ્વાભાવિક રીતે ત્યાં ટ્રાફિક વધુ…