યુનુસની સરકારે લાખો લોકોના મતદાનનો અધિકાર છિનવ્યો! બાંગ્લાદેશની ચૂંટણી પહેલા શેખ હસીનાએ ઉઠાવ્યા સવાલો

બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા અશાંતિ સતત વધી રહી છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે શેખ હસીનાના પક્ષ, અવામી લીગને ચૂંટણીમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરી દીધો છે. આ ક્રમમાં, બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ દેશમાં આગામી ચૂંટણીઓ અંગે વચગાળાની સરકાર પર નિશાન સાધ્યું છે. યુનુસ સરકારને આડે હાથ લેતા હસીનાએ કહ્યું કે દેશના લાખો લોકોના મતદાન અધિકાર છીનવાઈ ગયા છે. શેખ હસીનાએ ગયા અઠવાડિયે ધ એસોસિએટેડ પ્રેસ (એપી) ને લખેલા એક ઇમેઇલમાં ચેતવણી આપી હતી કે સમાવિષ્ટ, મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ વિના, બાંગ્લાદેશ લાંબા સમય સુધી અસ્થિરતાનો સામનો કરશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે ઇરાદાપૂર્વક તેમના પક્ષને ચૂંટણીમાંથી બાકાત રાખીને લાખો સમર્થકોને મતાધિકારથી વંચિત રાખ્યા છે.…

શેખ હસીનાની મુશ્કેલીમાં થયો વધારો, બાંગ્લાદેશની કોર્ટે આ કેસમાં ફટકારી 21 વર્ષની જેલની સજા

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે બાંગ્લાદેશની એક કોર્ટે શેખ હસીનાને ભ્રષ્ટાચારના ત્રણ કેસમાં 21 વર્ષની જેલની સજા ફટકારી છે. જોકે, શેખ હસીના હાલમાં ભારતમાં છે અને જ્યાં સુધી તેઓ બાંગ્લાદેશ પાછા ન ફરે ત્યાં સુધી કોઈ તેમને સજા આપી શકે નહીં. અગાઉ, શેખ હસીનાને બાંગ્લાદેશમાં પણ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. 17 નવેમ્બરના રોજ, એક ખાસ ટ્રિબ્યુનલે તેમને ગયા વર્ષે જુલાઈમાં તેમની સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન કરવામાં આવેલા “માનવતા વિરુદ્ધના ગુનાઓ” માટે મૃત્યુદંડની સજા ફટકારી હતી. મહિનાઓ સુધી ચાલેલી ટ્રાયલ બાદ, બાંગ્લાદેશના સ્પેશિયલ ટ્રિબ્યુનલે પોતાના ચુકાદામાં 78 વર્ષીય આવામી લીગના નેતા શેખ હસીનાને હિંસક કાર્યવાહીના “માસ્ટરમાઇન્ડ” તરીકે નામ આપ્યું હતું જેમાં સેંકડો વિરોધીઓ માર્યા ગયા…

બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

બાંગ્લાદેશની એક કોર્ટ ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના પર પોતાનો ચુકાદો આપવા માટે તૈયાર છે. છેલ્લા બે દિવસથી દેશમાં તણાવ વધી રહ્યો છે, જેમાં આગચંપી અને કાચા બોમ્બ હુમલાની ઘટનાઓ બની રહી છે. આ હિંસક ઘટનાઓએ 2024 ના તોફાની વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનની યાદો તાજી કરી દીધી છે, જેમાં 500 થી વધુ લોકો માર્યા ગયા હતા. શેખ હસીનાની પાર્ટી, અવામી લીગે “ઢાકા લોકડાઉન”નું આહ્વાન કર્યું હોવાથી, બાંગ્લાદેશની રાજધાની ઢાકા ગુરુવારે કિલ્લામાં ફેરવાઈ ગઈ છે. પોલીસ અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) ના કર્મચારીઓને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે. ઢાકાના પ્રવેશ સ્થળોએ અસંખ્ય ચેકપોઇન્ટ બનાવવામાં આવ્યા છે, અને જાહેર વાહનોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ (ICT) ની આસપાસ પણ સુરક્ષા કડક કરવામાં આવી છે.…

વધી શકે છે શેખ હસીનાની મુશ્કેલીઓ, બાંગ્લાદેશે રેડ કોર્નર નોટિસ માટે કર્યો ઇન્ટરપોલનો સંપર્ક

બાંગ્લાદેશ સરકાર હવે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. હસીનાની મુશ્કેલીઓ વધુ વધવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશ પોલીસે ઇન્ટરપોલને 12 લોકો સામે રેડ કોર્નર નોટિસ જારી કરવા વિનંતી કરી છે અને નેશનલ સેન્ટ્રલ બ્યુરો ઓફ બાંગ્લાદેશ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી આ યાદીમાં ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાનું નામ પણ સામેલ છે. બાંગ્લાદેશ પોલીસે ઇન્ટરપોલનો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે તેઓ હસીના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરશે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ અરજીઓ તપાસ દરમિયાન અથવા કોઈપણ ચાલુ કેસની કાર્યવાહીમાં ઉદ્ભવતા આરોપોના સંદર્ભમાં દાખલ કરવામાં આવે છે અને આ નોટિસનો ઉપયોગ ઇન્ટરપોલ દ્વારા વ્યક્તિની કામચલાઉ ધરપકડ માટે કરવામાં આવે છે જેથી ધરપકડ પછી…

શેખ હસીનાએ મુહમ્મદ યુનુસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો, જાણો શું કહ્યું

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને આવામી લીગના વડા શેખ હસીનાએ ફરી એકવાર નોબેલ પુરસ્કાર વિજેતા અને વચગાળાના સરકારના નેતા મુહમ્મદ યુનુસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે યુનુસને “સ્વાર્થી, આતમકેન્દ્રીત અને સત્તાના ભૂખ્યા” ગણાવ્યા અને તેમના પર દેશનો નાશ કરવા માટે વિદેશી દળો સાથે કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો. વર્ચ્યુઅલ સંબોધનમાં, શેખ હસીનાએ વિદ્યાર્થી નેતા અબુ સઈદની હત્યા પર શંકા વ્યક્ત કરી અને તેને સરકાર વિરોધી કાવતરાં સાથે જોડી દીધી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશની સ્વતંત્રતા સાથે જોડાયેલા પ્રતીકોને ભૂંસી નાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુનુસને સીધી ચેતવણી આપતા કહ્યું, “જો તમે આગ સાથે રમશો, તો તે તમને પણ બાળી નાખશે.” તેમણે કહ્યું કે સ્વતંત્રતા સેનાનીઓની યાદો ભૂંસાઈ રહી છે, જિલ્લાઓમાં બનેલા સ્વતંત્રતા સેનાની સંકુલને બાળી નાખવામાં આવી…

શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે? આપ્યા આ સંકેત

  બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ તાજેતરમાં એક ટિપ્પણી કરી હતી જેમાં તેમણે પોતાના જીવિત રહેવાનો શ્રેય અલ્લાહને આપ્યો હતો અને કહ્યું હતું કે એક દિવસ જે લોકો આવામી લીગના સભ્યોને નિશાન બનાવી રહ્યા છે તેમને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. શેખ હસીનાએ સોશિયલ મીડિયા પર તેમના પક્ષના નેતાઓ અને તેમના પરિવારના સભ્યો સાથે વાત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.   શેખ હસીનાએ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ પર પણ નિશાન સાધ્યું. હસીનાએ તેમને “એવા વ્યક્તિ તરીકે વર્ણવ્યા જે ક્યારેય લોકોને પ્રેમ કરતા નહોતા”. તેમણે કહ્યું કે યુનુસે ઊંચા વ્યાજ દરે ઉછીના લીધેલા પૈસાનો ઉપયોગ વિચિત્ર જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે કર્યો. હસીનાએ આગળ કહ્યું, “અમે ત્યારે તેમનો બેવડો સ્વભાવ સમજી શક્યા નહીં, અમે તેમને…

’55 ટકા ભારતીયો ઇચ્છે છે કે શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરાય’, યુનુસ સરકારે કહ્યું આ અમારી પ્રાથમિકતા

બાંગ્લાદેશની વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસના કાર્યાલયે મંગળવારે જણાવ્યું હતું કે પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાનું ભારતથી પ્રત્યાર્પણ તેમના દેશની પ્રાથમિકતા છે. પ્રેસ સચિવ શફીક-ઉલ આલમે કહ્યું કે ઢાકા શેખ હસીનાના પ્રત્યાર્પણના પ્રયાસો ચાલુ રાખશે જેથી તેણી પર વ્યક્તિગત રીતે કેસ ચલાવી શકાય અને ટૂંક સમયમાં ભારતથી પરત લાવી શકાય. આલમે જણાવ્યું હતું કે એક ભારતીય મીડિયા જૂથ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે 55 ટકા ભારતીયો ઇચ્છે છે કે તેમને ઢાકા પાછા લાવવામાં આવે, જ્યારે થોડા ટકા લોકો ઇચ્છે છે કે તેમને બીજા દેશમાં મોકલવામાં આવે અને માત્ર 16-17 ટકા લોકો ઇચ્છે છે કે તેઓ ભારતમાં રહે. -> આ સર્વે ઇન્ડિયા ટુડે એનઇ દ્વારા આયોજિત “મૂડ ઓફ ધ નેશન” શીર્ષક હેઠળ હાથ ધરવામાં…

શું ભારત શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલશે, શેખ હસીનાને કેટલી સજા થઇ શકે છે, શું કહે છે બાંગ્લાદેશના કાયદા ?

તખ્તાપલટ બાદ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના 5 ઓગસ્ટ 2024ના રોજ ભારત આવ્યા હતા. ત્યારથી તે ભારતમાં રહે છે. જો બાંગ્લાદેશની વાત કરીએ તો હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર દેશની બાગડોર સંભાળી રહી છે. દરમિયાન બાંગ્લાદેશ સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણને લઈને ભારત સરકારને પત્ર લખવામાં આવ્યો છે.હાલમાં ભારત સરકાર દ્વારા આ અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. પરંતુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2013માં પ્રત્યાર્પણપાત્ર ફોજદારી કેસો અંગે થયેલી સંધિને જોતા ભારત સરકાર શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલી શકે છે. શેખ હસીના બાંગ્લાદેશ જશે તો તેમનું શું થશે? આ અંગે બાંગ્લાદેશના કાયદા શું છે? ચાલો તમને જણાવીએ. -> શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે તો કાર્યવાહીનો સામનો કરવો પડી…