શેખ હસીનાની મુશ્કેલીમાં થયો વધારો, બાંગ્લાદેશની કોર્ટે આ કેસમાં ફટકારી 21 વર્ષની જેલની સજા

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે બાંગ્લાદેશની એક કોર્ટે શેખ હસીનાને ભ્રષ્ટાચારના ત્રણ કેસમાં 21 વર્ષની જેલની સજા ફટકારી છે. જોકે, શેખ હસીના હાલમાં ભારતમાં છે અને જ્યાં સુધી તેઓ બાંગ્લાદેશ પાછા ન ફરે ત્યાં સુધી કોઈ તેમને સજા આપી શકે નહીં. અગાઉ, શેખ હસીનાને બાંગ્લાદેશમાં પણ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. 17 નવેમ્બરના રોજ, એક ખાસ ટ્રિબ્યુનલે તેમને ગયા વર્ષે જુલાઈમાં તેમની સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન કરવામાં આવેલા “માનવતા વિરુદ્ધના ગુનાઓ” માટે મૃત્યુદંડની સજા ફટકારી હતી.

મહિનાઓ સુધી ચાલેલી ટ્રાયલ બાદ, બાંગ્લાદેશના સ્પેશિયલ ટ્રિબ્યુનલે પોતાના ચુકાદામાં 78 વર્ષીય આવામી લીગના નેતા શેખ હસીનાને હિંસક કાર્યવાહીના “માસ્ટરમાઇન્ડ” તરીકે નામ આપ્યું હતું જેમાં સેંકડો વિરોધીઓ માર્યા ગયા હતા. જોકે, આવામી લીગે આરોપ લગાવ્યો હતો કે ખાસ ટ્રિબ્યુનલનો નિર્ણય મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર દ્વારા આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાંથી શેખ હસીના અને તેમના પક્ષને બાકાત રાખવાના રાજકીય કાવતરાનો ભાગ હતો.

હસીનાની સજા સામે અવામી લીગનો વિરોધ
અવામી લીગે સ્પેશિયલ ટ્રિબ્યુનલના નિર્ણયને નકારી કાઢ્યો, તેને ગેરકાયદેસર ગણાવ્યો અને મુહમ્મદ યુનુસના રાજીનામાની માંગ કરી. મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી કે હાંકી કાઢવામાં આવેલા વડા પ્રધાન શેખ હસીનાના પક્ષ અવામી લીગ, મૃત્યુદંડની સજાના વિરોધમાં 30 નવેમ્બર સુધી સમગ્ર બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનો અને વિરોધ કૂચ કરશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતમાં એકસાથે 3 હવામાન સિસ્ટમ સક્રિય, 2થી 4 જુલાઈ વચ્ચે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ધીમી જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) અનુસાર હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિઝનલ ટ્રફ…

સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન ગ્રીન લેઝર લાઇટ, પાઇલટના એલર્ટ બાદ તપાસ શરૂ

સુરત એરપોર્ટ પર શનિવારે રાત્રે વિમાન સુરક્ષા સાથે જોડાયેલી ગંભીર ઘટના સામે આવી છે. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન અજાણ્યા શખ્સે વિમાન તરફ ગ્રીન લેઝર લાઇટ…