કોમનવેલ્થ ગેમ્સ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર, 126 ખેલાડીઓ મેદાનમાં ઉતરશે

ગ્લાસગોમાં યોજાશે કોમનવેલ્થ ગેમ્સ 2026 રમતપ્રેમીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે રમતોના મહાકુંભનું આયોજન સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કરવામાં આવશે. કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત 23 જુલાઈથી થશે અને 2 ઓગસ્ટ સુધી વિવિધ રમતોમાં ખેલાડીઓ મેડલ માટે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. આ ગેમ્સમાં દુનિયાભરના 74 દેશોના લગભગ 3,000 ખેલાડીઓ ભાગ લેશે. પેરા-સ્પોર્ટ્સ સહિત કુલ 13 રમતોમાં ખેલાડીઓ પોતાની પ્રતિભા બતાવશે. ભારત પણ આ વખતે મજબૂત ટીમ સાથે મેદાનમાં ઉતરી રહ્યું છે. ભારતના 126 ખેલાડીઓ કરશે પ્રતિનિધિત્વ કોમનવેલ્થ ગેમ્સ 2026 માટે ભારતીય દળમાં કુલ 126 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 77 પુરુષ અને 48 મહિલા ખેલાડીઓ સામેલ છે. ભારતીય ખેલાડીઓ એથલેટિક્સ, બોક્સિંગ, જ્યુડો, સ્વિમિંગ, વેઈટલિફ્ટિંગ, સાઈકલિંગ, જિમ્નાસ્ટિક્સ અને…

Games: IWLF એથલીટ કમિશનની અધ્યક્ષ બની મીરાબાઈ ચાનુ

ભારતીય વેઈટલિફ્ટિંગ જગતમાં એક મહત્વપૂર્ણ ફેસલો લેવામાં આવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી જાણીતી વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુને ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશન (IWLF)ના એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે નિમવામાં આવી છે. આ ચૂંટણી મંગળવારે યોજાઈ, જેમાં મીરાબાઈને ખેલાડીઓ તરફથી સર્વાનુમતે સમર્થન મળ્યું, અને એ વિજય સાથે નવી ભૂમિકા માટેની શરૂઆત કરી. મીરાબાઈ ચાનુએ શું કહ્યું? પદ સંભાળ્યા બાદ મીરાબાઈએ કહ્યું,”આ મારી માટે ગર્વની ક્ષણ છે. ખેલાડીઓનો અવાજ ઊઠાવવો એ એક મોટી જવાબદારી છે અને હું એ પદ પર સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્ઠા સાથે કામ કરીશ.” તેણીએ વધુમાં ઉમેર્યું,”મારું લક્ષ્ય એ રહેશે કે તમામ વેઈટલિફ્ટરો બાહ્ય દબાણ વિના તેમના ખેલ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેઓની સમસ્યાઓને યોગ્ય ફોરમ સુધી પહોંચાડવી મારી મહત્વની ભૂમિકા રહેશે.” મીરાબાઈ ચાનુ જે રીતે…