સુરેન્દ્રનગર: DGPએ લીંબડી પોલીસ સ્ટેશનના 5 પોલીસકર્મીઓ સામે લીધા તાત્કાલિક પગલાં
ગુજરાત પોલીસના શિસ્ત અને કાયદાનું પાલન કરાવવાના ધોરણ સામે આજે મોટો સવાલ ઉભો થયો છે. લીંબડી પોલીસ સ્ટેશનના પાંચ પોલીસકર્મીઓને ગુનેગારો અને જુગારના આરોપીઓ સાથે સાંઠગાંઠ રાખવાના ગંભીર આક્ષેપો સામે તપાસ બાદ બરતરફ કરવામાં આવ્યા છે. આ નિર્ણય ગુજરાત રાજ્યના DGPની સીધી સુચના પરથી લેવામાં આવ્યો છે. જુગારના માફિયાઓ સાથે હતી સાંઠગાંઠ તપાસમાં ખુલ્યું હતું કે, લીંબડીના કેટલાક પોલીસ કર્મીઓ જુગારના આરોપી નવદીપ સિંહ અને તનવીર સિંહ જેવા અસામાજિક તત્વો સાથે સંપર્કમાં હતા અને સંરક્ષણ આપતા હતા. આ સંબંધો પોલીસની નૈતિકતા અને શિસ્તના ઘોર ઉલ્લંઘન સમાન ગણાયા છે. બરતરફ કરાયેલા પોલીસકર્મીઓના નામ: – પો.કો. વિજયસિંહ દિલીપસિંહ ઝાલા (ડ્રાયવર) – પો.કો. અજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ડ્રાયવર) – આર્મડ પો.કો. મયુરધ્વજસિંહ નરવીરસિંહ ઝાલા – અ.હે.કો. દિગપાલસિંહ લાલુભા સરવૈયા –…







