ગુજરાત સરકારનો વહીવટી નિર્ણય: IAS ડૉ. રતનકંવર ગઢવીચરણને આરોગ્ય કમિશનર (શહેરી)નો વધારાનો હવાલો
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા અધિકૃત જાહેરનામા મુજબ 2009 બેચના IAS અધિકારી ડૉ. રતનકંવર એચ. ગઢવીચરણને આરોગ્ય કમિશનર (શહેરી) તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. હાલની જવાબદારી સાથે વધારાનો હવાલો ડૉ. રતનકંવર ગઢવીચરણ હાલમાં આરોગ્ય કમિશનર (ગ્રામીણ) તેમજ રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM)ના મિશન ડિરેક્ટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. સરકારના નવા આદેશ અનુસાર, હવે તેઓ આરોગ્ય કમિશનર (શહેરી)ની જવાબદારી પણ સંભાળશે. આ વ્યવસ્થા ત્યાં સુધી અમલમાં રહેશે, જ્યાં સુધી 2003 બેચના IAS અધિકારી ડૉ. સંધ્યા ભુલ્લર ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશનર (શહેરી) તરીકેની પોતાની ફરજો વિધિવત રીતે સંભાળી ન લે. રાજ્યપાલના નામે આદેશ જાહેર આ વહીવટી આદેશ ગુજરાતના રાજ્યપાલના નામે સામાન્ય…
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ 7 જાન્યુઆરી સુધી ED કસ્ટડીમાં
સુરેન્દ્રનગર: બહુમુખી ચર્ચામાં રહેલા જમીન બિનખેતી (NA) કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને મોટી સફળતા મળી છે. શુક્રવારે અમદાવાદની વિશેષ અદાલતે જિલ્લાના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વર્ષ 2015 બેચના આ IAS અધિકારી હવે આગામી 7 જાન્યુઆરી સાંજે 5 વાગ્યા સુધી ED ની કસ્ટડીમાં રહેશે. મુખ્ય વિગતો અને તપાસ ED દ્વારા કોર્ટમાં કલેક્ટરના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે 5 દિવસ માટે મંજૂરી આપી. તપાસ એજન્સીનો આરોપ છે કે રાજેન્દ્ર પટેલના કાર્યકાળ દરમિયાન ખેતીની જમીન બિનખેતી (NA) માટે બદલવામાં આવતી વ્યવસ્થા દરમિયાન વ્યાપક ભ્રષ્ટાચાર થયો હતો. ડિસેમ્બર મહિનામાં પડેલા દરોડામાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી ₹67.5 લાખ રોકડ મળી આવી હતી, જે આ કેસમાં મહત્વપૂર્ણ પુરાવા તરીકે સમાવિષ્ટ છે.…
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડૉ. રાજેન્દ્ર કુમાર પટેલની ED દ્વારા ધરપકડ, જમીનના કૌભાંડમાં મોટો ખુલાસો
સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના જમીન NA (બિનખેતી) કૌભાંડ મામલે મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડૉ. રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. લાંબી પૂછપરછ બાદ તેમને ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાનું વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મોડીરાત સુધી ચાલેલી EDની કાર્યવાહી EDની ટીમે પૂર્વ કલેક્ટરના નિવાસસ્થાને મોડીરાત સુધી સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મહત્વપૂર્ણ ફાઇલો, જમીન સંબંધિત દસ્તાવેજો તેમજ ઘરના લોકરમાંથી સોનાં-ચાંદીની કિંમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી બાદ તેમને સત્તાવાર રીતે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ED ઓફિસ ખાતે પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. 1500 કરોડના જમીન NA કૌભાંડની તપાસ આ સમગ્ર મામલો અંદાજે 1500 કરોડ રૂપિયાના જમીન…
કર્ણાટક: વરિષ્ઠ IAS અધિકારી મહંતેશ બિલાગી સહિત 3ના મોત, જાણો વિગત
કર્ણાટકના કાલાબુરાગી જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં વરિષ્ઠ IAS અધિકારી મહંતેશ બિલાગી સહિત ત્રણ લોકોના મોત થયા છે. મહંતેશ બિલાગી કર્ણાટક રાજ્ય ખનિજ નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓ પારિવારિક લગ્નમાં હાજરી આપવા માટે રામદુર્ગથી કાલાબુરાગી જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પલટી ગઈ. અક્સીડન્ટની વિગતો અહેવાલો અનુસાર, મહંતેશ બિલાગી તેમના ભાઈ શંકર બિલાગી અને અન્ય એક વ્યક્તિ ઈરાના શિરસાંગી સાથે એક કૌટુંબિક લગ્નમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. જેવર્ગી તાલુકાના ગૌનાલી ક્રોસ પાસે અચાનક એક કૂતરો વાહનની સામે આવ્યો, અને તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો. આ કારણે કાર પલટી ગઈ અને ત્રણ લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા. મહંતેશ બિલાગી કાલાબુરગીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ડોકટરો તેમને…
યુપી: મોડી રાત્રે 11 DM સહિત 33 IAS અધિકારીઓની મોટા પાયે બદલી
ઉત્તર પ્રદેશમાં રાજકીય અને વહીવટી સ્તરે મોટો ફેરફાર જોવા મળ્યો છે. રાજ્ય સરકારે સોમવારે મોડી રાત્રે 33 IAS અધિકારીઓની બદલીઓ જાહેર કરતાં વહીવટ તંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે. આ બદલીઓમાં 11 જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ (DMs) તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. સાથે જ, માહિતી નિયામક શિશિરને બદલીને વિશાલ સિંહને માહિતી અને સંસ્કૃતિ વિભાગનો નવા નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મુખ્ય નિયુક્તિઓ અને બદલીઓની યાદી: માહિતી વિભાગમાં મોટો ફેરફાર: શિશિર, માહિતી અને સંસ્કૃતિ નિયામકના પદ પરથી મુક્ત, હવે વિશેષ સચિવ (લઘુ ઉદ્યોગ અને નિકાસ પ્રોત્સાહન) અને ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના CEO તરીકે નિયુક્ત. વિશાલ સિંહ, અગાઉ DM ભદોહી, હવે માહિતી અને સંસ્કૃતિ વિભાગના નિયામક. મહત્વપૂર્ણ જિલ્લાઓના નવા DM તરીકે નિમણૂક: વારાણસી: એસ. રાજલિંગમ → ડિવિઝનલ…











