Navsari : નવસારીમાં મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીનું સંબોધન, કહ્યું-“પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ માટે માતૃશક્તિને નમન કરૂ છું.”
B INDIA Navsari : નવસારીનાં વાંસી-બોરસીમાં ‘લખપતિ દીદી’ કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ” મહાકુંભમાં માતા ગંગાના આશીર્વાદ મળ્યા હતા અને આજે માતૃશક્તિના આ મહાકુંભમાં તેમને બધી માતાઓ અને બહેનોના આશીર્વાદ મળ્યા છે. આજે, મહિલા દિવસ પર, મારી માતૃભૂમિ ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં બધી માતાઓ, બહેનો અને પુત્રીઓ તરફથી મળેલા પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ માટે માતૃશક્તિને નમન કરૂ છું.” આ પણ વાંચો :- PM મોદીએ મહિલા દિવસની પાઠવી શુભેચ્છા, કહ્યું ‘મહિલા શક્તિને સલામ’ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજનો દિવસ દરેક માટે મહિલાઓ પાસેથી પ્રેરણા લેવાનો અને તેમની પાસેથી શીખવાનો છે. તમામ મહિલાઓને અભિનંદન અને આભાર માનતા પીએમ મોદીએ કહ્યું કે, તેઓ ગર્વથી કહી શકે છે કે, તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમના જીવનના…







