મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં AIMIMનો દબદબો, માલેગાંવમાં ઓવૈસી બન્યા કિંગમેકર

મહારાષ્ટ્રમાં BMC સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભાજપ ગઠબંધને બહુમતી મેળવી છે, પરંતુ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટીએ પરંપરાગત પક્ષોની રમત બગાડી નાખી છે. કોંગ્રેસ અને NCP જેવા પક્ષોને AIMIMના કારણે મોટો ફટકો પડ્યો છે. રાજ્યની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 2,869 બેઠકોમાંથી AIMIM 75 બેઠકો પર જીત મેળવી ચૂકી છે અથવા આગળ છે. મુંબઈની BMCમાં માત્ર ત્રણ બેઠકો જીતવા છતાં, ઔરંગાબાદ અને માલેગાંવ જેવા વિસ્તારોમાં AIMIMનું પ્રભાવશાળી પ્રદર્શન જોવા મળ્યું છે. મુંબઈમાં ત્રણ બેઠકો છતાં અસરકારક હાજરી મુંબઈમાં મુસ્લિમ મતદારોનો હિસ્સો 20 ટકા કરતાં વધુ છે. AIMIM એ તમામ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ઉમેદવારો ઉતાર્યા હતા. પાર્ટીએ BMCમાં કુલ ત્રણ બેઠકો જીતી છે: – વોર્ડ 135: ઇર્શાદ ખાન – વોર્ડ 134: મહેજબીન અતિક અહેમદ –…

હિજાબ પર ઓવૈસીના નિવેદનથી રાજકીય ગરમાવો, ભાજપ-કોંગ્રેસે કર્યો પ્રહાર

મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીના એક નિવેદને રાજકીય માહોલ ગરમાવ્યો છે. સોલાપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ઓવૈસીએ કહ્યું હતું કે, “એક દિવસ ભારતની પ્રધાનમંત્રી હિજાબ પહેરનારી બનશે.” તેમના આ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ તરફથી કડક પ્રતિક્રિયાઓ સામે આવી છે. ઓવૈસીએ ભારતીય બંધારણનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આપણા દેશનું બંધારણ તમામ નાગરિકોને સમાન અધિકારો આપે છે અને અહીં કોઈપણ વ્યક્તિ પ્રધાનમંત્રી બની શકે છે. તેમણે પાકિસ્તાનનું ઉદાહરણ આપતાં કહ્યું કે ત્યાં માત્ર મુસ્લિમ પ્રધાનમંત્રી બની શકે છે, જ્યારે ભારતમાં આવી કોઈ બંધનકારક જોગવાઈ નથી. “હું ઈચ્છું છું કે એક દિવસ ભારતની પ્રધાનમંત્રી હિજાબ પહેરનારી બને,” તેમ તેમણે ઉમેર્યું હતું. આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ઉત્તર પ્રદેશના પ્રભારી ભાજપના મંત્રી દિનેશ સિંહે કહ્યું…

શું ઓવૈસીની પાર્ટી બિહાર ચૂંટણીમાં બનશે કિંગમેકર? 100 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાનું જાણો શું છે ગણિત

જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ બિહાર વિધાનસભાની ચૂંટણીઓ વધુને વધુ રસપ્રદ બની રહી છે. NDA અને મહાગઠબંધનમાં સામેલ તમામ પક્ષો શક્ય તેટલી વધુ બેઠકો મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ દરમિયાન, ઓવૈસીની પાર્ટી, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) એ 32 બેઠકોની જાહેરાત કરી છે જેના પર તે ઉમેદવારો ઉભા રાખશે. વધુમાં, પાર્ટીએ 100 વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાના પોતાના ઈરાદાની જાહેરાત કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. આને ત્રીજા મોરચાના ઉદભવના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ તાજેતરમાં સીમાંચલનો વ્યાપક પ્રવાસ કર્યો છે, જે પાર્ટીનો પરંપરાગત ગઢ માનવામાં આવે છે. તેમણે ત્યાં ઘણી જાહેર સભાઓ યોજી હતી અને નવા રાજકીય પરિદૃશ્ય પર ચર્ચા કરવા માટે પાર્ટીના…

પાકિસ્તાનની પરમાણુ હુમલાની ધમકી પર ઓવૈસીએ આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનની તુલના આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) સાથે કરી છે. ઓવૈસીએ પાકિસ્તાનના પરમાણુ બોમ્બ હુમલાની ધમકી પર પણ પ્રતિક્રિયા આપી છે. એક કાર્યક્રમમાં, હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ પાકિસ્તાનને આડેહાથ લેતા કહ્યું કે પાકિસ્તાન વારંવાર કહે છે કે તેની પાસે પરમાણુ બોમ્બ છે. તેમણે કહ્યું કે યાદ રાખો, જો તમે કોઈપણ દેશની અંદર જાઓ છો અને નિર્દોષ લોકોને મારી નાખો છો, તો કોઈપણ દેશ શાંત બેસવાનો નથી. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે સત્તામાં કોણ છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમણે કહ્યું કે આ રીતે આવીને આપણી ભારતીય ધરતી પર હુમલો કરવો અને કોઈનો ધર્મ પૂછીને ગોળી મારી દેવી ખોટું છે. તમે કયા ધર્મની વાત કરો છો, તમે ખાવલિદ કરતા પણ…

વકફ બિલને લઇને AIMIMએ આપી દેશવ્યાપી આંદોલનની ચીમકી..જાણો શું કહ્યું ?

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) એ વક્ફ બિલ સામે દેશવ્યાપી આંદોલનની ધમકી આપી છે. AIMIM દિલ્હીના પ્રમુખ ડૉ. શોએબ જમાઈએ સોશિયલ મીડિયા પર કહ્યું કે જો આ બિલ મુસ્લિમો પર બળજબરીથી લાદવામાં આવશે તો તેઓ દેશવ્યાપી આંદોલન શરૂ કરશે. તેમણે કહ્યું કે તેઓ પોતાના લોકશાહી અધિકારોનો ઉપયોગ કરશે અને બંધારણમાં લઘુમતીઓને આપેલા અધિકારો પર કોઈપણ હુમલો સહન કરશે નહીં. સંસદમાં બિલ પર ચર્ચા, વિપક્ષનો વિરોધ:- વક્ફ સુધારા બિલ પસાર કરવા માટે લોકસભામાં ચર્ચા ચાલી રહી છે. શાસક પક્ષ આ બિલ પસાર કરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે વિપક્ષી પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે તેઓ આ બિલને પસાર થવા દેશે નહીં. પ્રસ્તાવિત કાયદા પર ચર્ચા કરવા માટે બંને ગૃહોને આઠ-આઠ કલાકનો…

ઓવૈસીએ કહ્યું ‘વડાપ્રધાન મોદી દ્વારા અજમેર દરગાહ પર ચાદર મોકલવાનો કોઇ અર્થ નથી’ આપી આ સલાહ

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અજમેર દરગાહ પર ચાદર મોકલવાનો કોઈ અર્થ નથી અને સરકારે હાલની મસ્જિદો અથવા દરગાહને લઈને કોર્ટમાં કરવામાં આવતા દાવાઓને રોકવા જોઈએ તેને રોકવા માટે પગલાં લેવા જોઈએ. અસદુદ્દીન ઓવૈસીએ પત્રકારોને કહ્યું કે ચાદર મોકલવા પાછળનો સંદેશ એ છે કે સરકાર મસ્જિદોમાં માનનારાઓની ચિંતા કરે છે, પરંતુ ભાજપ અને સંઘ પરિવારના લોકો કોર્ટમાં જઈને કહે છે કે ખ્વાજા અજમેર દરગાહ નથી, અને આવોજ તર્ક તેમનો અન્ય કેટલીક મસ્જિદો બાબતે પણ છે. -> ઓવૈસીએ મોદી સરકારને આપી સલાહ :- AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે સરકારનું અસલી કામ આવા દાવાઓને ખતમ કરવાનું છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ શનિવારે અજમેર દરગાહ ખાતે સૂફી સંત ખ્વાજા…