પાકિસ્તાનની પરમાણુ હુમલાની ધમકી પર ઓવૈસીએ આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનની તુલના આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) સાથે કરી છે. ઓવૈસીએ પાકિસ્તાનના પરમાણુ બોમ્બ હુમલાની ધમકી પર પણ પ્રતિક્રિયા આપી છે. એક કાર્યક્રમમાં, હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ પાકિસ્તાનને આડેહાથ લેતા કહ્યું કે પાકિસ્તાન વારંવાર કહે છે કે તેની પાસે પરમાણુ બોમ્બ છે.

તેમણે કહ્યું કે યાદ રાખો, જો તમે કોઈપણ દેશની અંદર જાઓ છો અને નિર્દોષ લોકોને મારી નાખો છો, તો કોઈપણ દેશ શાંત બેસવાનો નથી. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે સત્તામાં કોણ છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમણે કહ્યું કે આ રીતે આવીને આપણી ભારતીય ધરતી પર હુમલો કરવો અને કોઈનો ધર્મ પૂછીને ગોળી મારી દેવી ખોટું છે. તમે કયા ધર્મની વાત કરો છો, તમે ખાવલિદ કરતા પણ ખરાબ છો.

IS આતંકવાદીઓ જેવું વર્તન કર્યું
ઓવૈસીએ કહ્યું કે તમે IS આતંકવાદીઓ જેવું વર્તન કર્યું છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ક્રૂર હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલો 22 એપ્રિલના રોજ થયો હતો. પાકિસ્તાનના રેલ્વે મંત્રી હનીફ અબ્બાસીએ રાવલપિંડીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પરમાણુ હુમલાની ધમકી આપી હતી. અબ્બાસીએ ભારતને ચેતવણી આપતા કહ્યું કે જો ભારત પાકિસ્તાનને પાણી પુરવઠો બંધ કરશે તો તેને યોગ્ય જવાબ મળશે.

આ પણ વાંચો: આતંકી હુમલા બાદ આજે જમ્મુ વિધાનસભાનું વિશેષ સત્ર, કેન્દ્રના સમર્થનમાં આવશે પ્રસ્તાવ

પાકિસ્તાન સરકારના એક મંત્રીએ દાવો કર્યો હતો કે પાકિસ્તાન પાસે વિશ્વનો સૌથી શક્તિશાળી પરમાણુ બોમ્બ છે. ભારત માટે ગોરી, શાહીન, ગઝનવી જેવા 130 બોમ્બ અને મિસાઇલો તૈયાર રાખવામાં આવ્યા છે. પાકિસ્તાને તેની સરહદની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. જો ભારત કંઈ કરવાની હિંમત કરશે તો તેને મોટું નુકસાન સહન કરવું પડશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Vadodara Scam : ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર પર ગંભીર સવાલ: ₹300 કરોડથી વધુની સરકારી જમીનના દસ્તાવેજોને લઈને કોંગ્રેસના આક્ષેપ

Vadodara વડોદરા તાલુકાના ખટંબા ગામમાં આશરે 6 લાખ સ્ક્વેર ફૂટ જેટલી ‘શ્રી સરકાર’ જમીનને લઈને રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. આ જમીનની અંદાજિત કિંમત રૂ. 300 કરોડથી વધુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખાસ કરીને જમીનના દસ્તાવેજો, મરણના દાખલા, જન્મના દાખલા, પેઢીનામું અને મહેસૂલ રેકોર્ડમાં હક ફેરફારની પ્રક્રિયાને લઈને અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાની સરકારી જમીન સાથે સંકળાયેલા દસ્તાવેજોમાં કથિત રીતે ગેરરીતિ કરવામાં આવી અને આ પ્રક્રિયામાં સરકારી તંત્રની વિવિધ કચેરીઓની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી છે. જોકે, આ તમામ આક્ષેપોની સત્તાવાર તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ શકશે.…

Awarapan 2 ને મળ્યું UA 16+ સર્ટિફિકેટ હિંસા અને ડ્રગ્સના દ્રશ્યોમાં કરાયા મોટા ફેરફાર Strict Directive.

Awarapan 2ને CBFCનું UA 16+ સર્ટિફિકેટ: રિલીઝ પહેલાં ફિલ્મમાં કરાયા ફેરફાર, હિંસા અને ડ્રગ્સ સીન પર નજર ઇમરાન હાશ્મીની Awarapan 2ને CBFC તરફથી UA 16+ સર્ટિફિકેટ મળ્યું છે. ફિલ્મમાં હિંસા અને ડ્રગ્સ સંબંધિત કેટલાક દૃશ્યોમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ઇમરાન હાશ્મીની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘Awarapan 2’ સિનેમાઘરોમાં રિલીઝ થાય તે પહેલાં જ ચર્ચામાં આવી છે. ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી UA 16+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ સાથે ફિલ્મની રિલીઝનો રસ્તો સાફ થયો છે. જોકે, સર્ટિફિકેશન પ્રક્રિયા દરમિયાન ફિલ્મના કેટલાક દૃશ્યો અને કન્ટેન્ટમાં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.‘Awarapan 2’ ઇમરાન હાશ્મીના ચાહકો માટે ખાસ ફિલ્મ છે, કારણ કે તેમાં તેઓ ફરી એકવાર શિવમ પંડિતના પાત્રમાં જોવા મળશે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *