પાકિસ્તાનની પરમાણુ હુમલાની ધમકી પર ઓવૈસીએ આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનની તુલના આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) સાથે કરી છે. ઓવૈસીએ પાકિસ્તાનના પરમાણુ બોમ્બ હુમલાની ધમકી પર પણ પ્રતિક્રિયા આપી છે. એક કાર્યક્રમમાં, હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ પાકિસ્તાનને આડેહાથ લેતા કહ્યું કે પાકિસ્તાન વારંવાર કહે છે કે તેની પાસે પરમાણુ બોમ્બ છે.

તેમણે કહ્યું કે યાદ રાખો, જો તમે કોઈપણ દેશની અંદર જાઓ છો અને નિર્દોષ લોકોને મારી નાખો છો, તો કોઈપણ દેશ શાંત બેસવાનો નથી. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે સત્તામાં કોણ છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમણે કહ્યું કે આ રીતે આવીને આપણી ભારતીય ધરતી પર હુમલો કરવો અને કોઈનો ધર્મ પૂછીને ગોળી મારી દેવી ખોટું છે. તમે કયા ધર્મની વાત કરો છો, તમે ખાવલિદ કરતા પણ ખરાબ છો.

IS આતંકવાદીઓ જેવું વર્તન કર્યું
ઓવૈસીએ કહ્યું કે તમે IS આતંકવાદીઓ જેવું વર્તન કર્યું છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ક્રૂર હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલો 22 એપ્રિલના રોજ થયો હતો. પાકિસ્તાનના રેલ્વે મંત્રી હનીફ અબ્બાસીએ રાવલપિંડીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પરમાણુ હુમલાની ધમકી આપી હતી. અબ્બાસીએ ભારતને ચેતવણી આપતા કહ્યું કે જો ભારત પાકિસ્તાનને પાણી પુરવઠો બંધ કરશે તો તેને યોગ્ય જવાબ મળશે.

આ પણ વાંચો: આતંકી હુમલા બાદ આજે જમ્મુ વિધાનસભાનું વિશેષ સત્ર, કેન્દ્રના સમર્થનમાં આવશે પ્રસ્તાવ

પાકિસ્તાન સરકારના એક મંત્રીએ દાવો કર્યો હતો કે પાકિસ્તાન પાસે વિશ્વનો સૌથી શક્તિશાળી પરમાણુ બોમ્બ છે. ભારત માટે ગોરી, શાહીન, ગઝનવી જેવા 130 બોમ્બ અને મિસાઇલો તૈયાર રાખવામાં આવ્યા છે. પાકિસ્તાને તેની સરહદની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. જો ભારત કંઈ કરવાની હિંમત કરશે તો તેને મોટું નુકસાન સહન કરવું પડશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.

છૂટા પૈસાની ઝંઝટ ખતમ! GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટથી થાય છે.

છૂટા પૈસાની ઝંઝટ ખતમ! GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટથી થાય છે. રાજ્યમાં 8,000થી વધુ બસોમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને યુપીઆઇ થકી ઓનનાલઇન બૂકીંગ, મોબાઇલ એપ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *